click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કોંગ્રેસના રાજમાં નાના-નાના દેશો હુમલા કરીને જતાં રહેતા હતા: બિહારની રેલીમાં PM મોદીનું નિવેદન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કોંગ્રેસના રાજમાં નાના-નાના દેશો હુમલા કરીને જતાં રહેતા હતા: બિહારની રેલીમાં PM મોદીનું નિવેદન
Gujarat

કોંગ્રેસના રાજમાં નાના-નાના દેશો હુમલા કરીને જતાં રહેતા હતા: બિહારની રેલીમાં PM મોદીનું નિવેદન

Last updated: 2024/04/04 at 3:45 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi in Bihar)એ બિહારના જમુઈમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. અહીં તેમણે જનસભા સંબોધી વખતે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ‘કોંગ્રેસ અને આરજેડી જેવા પક્ષોએ પોતાની સરકાર હતી, તે સમયે વિશ્વભરમાં દેશનું નામ ખરાબ કરી દીધું હતું. જ્યારે અત્યારની ભાજપ અને એનડીએના સમયમાં વિકસિત ભારત અને ખુશખુશાલ ભારતનું નિર્માણ થઈ રહ્યું છે.

Contents
તે સમયે કોંગ્રેસ અન્ય દેશોને હુમલાની ફરિયાદ કરતી હતી : મોદી‘બિહારને દલદલમાંથી બહાર કાઢવામાં નિતિશની મોટી ભૂમિકા’ચિરાગ પાસવાન મારો નાનો ભાઈ : વડાપ્રધાનવડાપ્રધાને લાલુ પરિવાર પર સાધ્યુ નિશાનબિહારમાં 6 તબક્કામાં યોજાશે ચૂંટણીભાજપ-17, JDU-16 બેઠક પર ચૂંટણી લડશેએલજેપીઆર તાજેતરમાં જ ઉમેદવારોની યાદી જાહેર કરી હતીબિહારમાં કયા પક્ષના ભાગમાં કંઈ બેઠકો?

તે સમયે કોંગ્રેસ અન્ય દેશોને હુમલાની ફરિયાદ કરતી હતી : મોદી

તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ (Congress)ની સત્તા હતી, ત્યારે ભારત નબળું અને ગરીબ દેશ કહેવાતું હતું. આજના સમયમાં જે નાના-નાના દેશો લોટ માટે તરસી રહ્યા છે, તે દેશો કોંગ્રેસના રાજમાં ભારતમાં હુમલાઓ પર હુમલાઓ કરી જતા રહેતા હતા. તે સમયની કોંગ્રેસ અન્ય દેશો પાસે ફરિયાદ લઈને જતી હતી, પરંતુ આજના સમયમાં આવું નહીં ચાલે.’

"Whatever has been done in the last ten years is just a trailer; there is a lot more to be done," says PM Modi in Jamui, Bihar. pic.twitter.com/ehZpRviiVG

— IANS (@ians_india) April 4, 2024

‘બિહારને દલદલમાંથી બહાર કાઢવામાં નિતિશની મોટી ભૂમિકા’

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ‘NDA ગઠબંધને ખૂબ જ પરિશ્રમ કર્યા બાદ બિહાર દલદલમાંથી બહાર આવ્યું છે, તેમાં નિતિશ કુમારની બહુ મોટી ભૂમિકા છે. બિહાર અને ભારતના ભવિષ્ય માટે 2024ની ચૂંટણી ખૂબ જ નિર્ણાયક રહેવાની છે, તેથી જ હવે સમય આવી ગયો છે કે, બિહાર વધુ ઝડપી ગતિએ વિકાસ કરે.’

ચિરાગ પાસવાન મારો નાનો ભાઈ : વડાપ્રધાન

તેમણે રામવિલાસ પાસવાનને યાદ કરી કહ્યું કે, ‘હું જ્યારે પણ તમારી પાસે આવ્યો, ત્યારે તમે ભરપૂર પ્રેમ અને સ્નેહ આપ્યો, પરંતુ અમારા માટે આજના મંચ પર પ્રથમ વખત એવું બન્યું છે કે, આજના મંચ પર બિહારના પુત્ર, દલિતો-વંચિતોના પ્રિય અને મારા પ્રિય મિત્ર, પદ્મભૂષણથી સન્માનિત રામવિલાસ પાસવાન આપણી વચ્ચે નથી. મને સંતોષ છે કે, મારો નાનો ભાઈ ચિરાગ પાસવાન તેમના વિચારોને ગંભીરતાથી લઈ આગળ વધી રહ્યો છે.

વડાપ્રધાને લાલુ પરિવાર પર સાધ્યુ નિશાન

વડાપ્રધાને લોકોને અપીલ કરી કે, તેઓ અરૂણ ભારતની વોટ આપે. તેમને મત આપવાથી રામવિલાસ પાસવાનના સંકલ્પો પૂરા થશે. લાલુ પરિવાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ‘જે લોકોએ નોકરી માટે બિહારના યુવાઓની જમીન લખાવી દીધી, તેઓ ક્યારે બિહારનું ભલુ ન કરી શકે.’

બિહારમાં 6 તબક્કામાં યોજાશે ચૂંટણી

આ વખતે બિહારની કુલ 40 બેઠકો માટે બીજા તબક્કાથી સાતમાં તબક્કા સુધી ચૂંટણી યોજાવાની છે. જેમાં 26 એપ્રિલે, સાતમી મેએ અને 20મી મેએ પાંચ-પાંચ બેઠકો માટે જ્યારે 25મી મે અને પહેલી જૂને આઠ-આઠ બેઠકો માટે મતદાન યોજાશે. ચોથી જૂને પરિણામ જાહેર કરાશે.

ભાજપ-17, JDU-16 બેઠક પર ચૂંટણી લડશે

બિહારમાં એનડીએ નેતૃત્વ હેઠળ થયેલી સીટ શેયરિંગની સમજૂતી મુજબ ભાજપ 17 બેઠકો પર ચૂંટણી લડશે, તો નીતિશ કુમાર (Nitish Kumar)ની આગેવાની હેઠળની જેડીયુ 16 બેઠકો પર પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારશે. આ ઉપરાંત ચિરાગ પાસવાન (Chirag Paswan)ની એલજેપી પાંચ બેઠકો પર અને ઉપેન્દ્ર કુશવાહા (Upendra Kushwaha)ની પાર્ટી રાષ્ટ્રીય લોક જનતા દળ (RLJD) અને પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીને HAM પાર્ટી એક-એક બેઠક પર ચૂંટણી લડશે.

એલજેપીઆર તાજેતરમાં જ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી

ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી રામવિલાસને રાજ્યની પાંચ બેઠકો મળ્યા બાદ ઉમેદવારો નામ જાહેર કર્યા હતા, જેમાં હાજીપુર બેઠક પરથી ચિરાગ પાસવાન, વૈશાલીથી વર્તમાન સાંસદ વીણા સિંહ, જમુઈથી અરૂણ ભારતી, સમસ્તીપુરથી સાંભવી ચૌધરી અને ખડગિયાથી રાજેશ વર્માને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

બિહારમાં કયા પક્ષના ભાગમાં કંઈ બેઠકો?

JDUને જે 16 બેઠકો અપાઈ છે, જેમાં બાલ્મિકી નગર, સીતામઢી, ઝાંઝરપુર, સુપૌલ, કિશનગંજ, કટિયાર, પૂર્ણિયા, મધેપુરા, ગોપાલગંજ, સિવાન, ભાગલપુર, બાંકા, મુંગેર, નાલંદા, જહાનાબાદ અને શિવહર બેઠકોનો સમાવેશ થાય છે. તો BJPના હિસ્સામાં જે 17 બેઠકો આવી છે, તેમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ ઔરંગાબાદ, મધુબની, અરરિયા દરભંગા, મુઝફ્ફરપુર, મહારાજગંજ, સારણ, ઉજિયારપુર, બેગુસરાઈ, નવાદા, પટના સાહિબ, પાટલીપુત્ર આરા, બક્સર અને સાસારામ સામેલ છે. LJPRને વૈશાલી, હાજીપુર, સમસ્તીપુર, જમુઈ, ખગડિયા તેમજ RLJDને કારાકાટ, HAM પાર્ટીને ગયા લોકસભા બેઠક ફાળવાઈ છે.

You Might Also Like

વડાપ્રધાન મોદી આવતીકાલે સીસીએસ સાથે યોજશે બેઠક, જાણો કયા મુદ્દે ચર્ચા થશે

પાકિસ્તાન PoK ખાલી કરે, કાશ્મીર મુદ્દે મધ્યસ્થી મંજૂર નથી: ભારતનો વિશ્વને જવાબ

વાલોડ ખાતે લગ્નમાં ગરબા ના પ્રસંગમાં નાચવા બાબતે બે ફળિયાના રહીશો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા

PF અકાઉન્ટનું બેલેન્સ જાણવું છે સરળ, સ્ટેપ બાય સ્ટેપ જાણો સંપૂર્ણ પ્રોસેસ

‘ઘરમાં ઘૂસીને મારીશું, બચવાનો મોકો પણ નહીં આપીએ…’ આતંકીઓને PM મોદીની ચેતવણી

TAGGED: Bihar, BJP, bjp government, bjp gujart, Congress rule, Lok Sabha 2024 Election, pm modi, PM Modi's statement at Bihar rally, Small countries

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 4, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અદાણી ગ્રીન એનર્જી 10,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સાથે ભારતની પ્રથમ કંપની બની
Next Article કપડવંજના પારીયાના મુવાડામાં જમીનથી અંદાજે 5 ફૂટ ઉંચે ઈંડા મૂક્યા હોવાથી સારા વરસાદનો વર્તારો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

વડાપ્રધાન મોદી આવતીકાલે સીસીએસ સાથે યોજશે બેઠક, જાણો કયા મુદ્દે ચર્ચા થશે
મે 13, 2025
પાકિસ્તાન PoK ખાલી કરે, કાશ્મીર મુદ્દે મધ્યસ્થી મંજૂર નથી: ભારતનો વિશ્વને જવાબ
Gujarat મે 13, 2025
ઓપરેશન સિંદૂરની અસર… ISRO એક જ વર્ષમાં બનાવશે 52 જાસૂસી ઉપગ્રહ
મે 13, 2025
વાલોડ ખાતે લગ્નમાં ગરબા ના પ્રસંગમાં નાચવા બાબતે બે ફળિયાના રહીશો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા
Gujarat Tapi મે 13, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?