click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મસ્જિદ સમિતિને જ્ઞાનવાપી કેસમાં હાઈકોર્ટમાં જવા માટે સુપ્રીમે 26મી સુધી સમય આપ્યો.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મસ્જિદ સમિતિને જ્ઞાનવાપી કેસમાં હાઈકોર્ટમાં જવા માટે સુપ્રીમે 26મી સુધી સમય આપ્યો.
Gujarat

મસ્જિદ સમિતિને જ્ઞાનવાપી કેસમાં હાઈકોર્ટમાં જવા માટે સુપ્રીમે 26મી સુધી સમય આપ્યો.

જ્ઞાનવાપી પરિસરમાં ASI દ્વારા સંશોધન શરૂ. અમે અરજદારોને (મસ્જિદ મેનેજમેન્ટ સમિતિને) સંવિધાનના અનુચ્છેદ 227 નીચે ડી.કોર્ટના હુકમ સામે હાઈકોર્ટમાં જવા પરવાનગી આપીએ છીએ.

Last updated: 2023/07/25 at 10:32 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

સુપ્રીમ કોર્ટે આજે સોમવારે જ્ઞાનવાપી કેસમાં વારાણસીની ડિસ્ટ્રીક્ટ કોર્ટે આર્કીયોલોજિક સર્વે ઓફ ઇંડિયાને જ્ઞાનવાપીમાં સંશોધન શરૂ કરવા આપેલ આદેશ સામે સ્ટે આપ્યો છે અને જણાવ્યું છે કે આ કેસ અંગે મસ્જિદ મેનેજમેન્ટ સમિતિને શ્વાસ લેવાનો સમય આપો. આ સાથે સુપ્રીમ કોર્ટે ૨૬ જુલાઈના સાંજના પાંચ વાગ્યા સુધીનો મસ્જિદ મેનેજમેન્ટ સમિતિને હાઈકોર્ટમાં જવા માટેનો સમય આપ્યો છે. આ હુકમ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, મસ્જિદ મેનેજમેન્ટ કમિટીને સંવિધાનના અનુચ્છેદ ૨૨૭ (રીટ જયુરિસ્ડીકશન) નીચે ડીસ્ટ્રીકટ કોર્ટના હુકમ સામે હાઇકોર્ટમાં અરજી કરવા પરવાનગી આપીએ છીએ.

આ પૂર્વ મસ્જિદ મેનેજમેન્ટ સમિતિએ એએસઆઈ દ્વારા જ્ઞાનવાપી મસ્જિદમાં હાથ ધરાઈ રહેલી સંશોધન કાર્યવાહી ઉપર એક સપ્તાહનો સ્ટે મુકવા અરજી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે ૨૬ જુલાઈ સાંજના ૫ વાગ્યા સુધીનો સ્ટે આપવા સાથે તે કમીટીને હાઇકોર્ટમાં જવા માટે અનુમતિ પણ આપી દીધી હતી.

આજે સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષ તરફથી કાઉન્સેલ શ્યામ દીવાન ઉપસ્થિત રહ્યા હતા. જયારે મુસ્લિમ પક્ષ મસ્જિદ મેનેજમેન્ટ સમિતિ – તરફથી વકીલ મુશીફા અહમદ ઉપસ્થિત હતા. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી તુષાર મહેતા હાજર રહ્યા હતા.

દરમિયાન વારાણસી સ્થિત જ્ઞાનવાપી પરિસરનો એએસઆઈ (આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા) દ્વારા સર્વે શરૂ થઈ ગયો છે. આજે સવારે ૭ વાગ્યાથી એએસઆઈના દિલ્હી, આગ્રા, લખનૌ અને પટણાના વિદ્વાનો કાર્યરત બની ગયા છે. વાસ્તવમાં તેઓ ગઇકાલે (રવિવારે) જ વારાણસી પહોંચી ગયા હતા.

તે સર્વ વિદિત છે કે ૨૨ જુલાઈએ કોર્ટ પરિસરનો સર્વે કરવાનો આદેશ આપી દીધો હતો. તે પ્રમાણે કાશી વિશ્વનાથ મંદિર પાસેથી મા શ્રૃંગાર ગૌરી જ્ઞાનવાપી મસ્જીદના વિવાદિત સ્થાનો છોડી અન્ય સ્થળોના સંપૂર્ણ જ્ઞાનવાપી પરિસરની પુરાતત્વીય તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ય માહિતી પ્રમાણ સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષના વકીલ સુધીર ત્રિપાઠીનું કહેવું હતું કે,કાશી વિશ્વનાથ મંદિર જ્ઞાનવાપી મસ્જિદ વિવાદનો સમગ્ર મસ્જિદ પરિસરની પુરાતત્વીય તપાસ દ્વારા જ ઉકેલ આવી શકે તેમ છે. પરંતુ મુસ્લીમ પક્ષ એએસઆઈ સર્વેનો વિરોધ કરી રહ્યો છે.

દરમિયાન સમગ્ર પરિસર અને વારાણસીમાં આજે કડક સલામતી ગોઠવાઈ ગઈ છે.

હિન્દુ પક્ષના વકીલ સુધીર ત્રિપાઠી કહ્યું હતું કે, આજ થઈ રહેલી જ્ઞાનવાપી સર્વે અમારા માટે બહુ મહત્વની વાત છે. સર્વે સવારે સાત વાગ્યાથી શરૂ થઈ તે ક્યારે પૂરી થશે તે કહી શકાય તેમ નથી.

ઉલ્લેખનીય છે કે પુરાતત્વ વિદો તો ગઈકાલે (રવિવારે) વારાણસી પહોંચી ગયા હતા. તેમાં દિલ્હી, આગ્રા, લખનૌ અને પટણાના વિદ્વાનો સમાવિષ્ટ છે.

જ્ઞાનવાપી મસ્જિદ મામલામાં યાચિકાકર્તા સોહનલાલ આર્યએ કહ્યું હતું કે, ‘આ અમારા માટે હિન્દુ સમુદાય જ કરોડો લોકો માટે, એક ઘણી ગૌરવશાળી ક્ષણ છે. સર્વેક્ષણ તે જ જ્ઞાનવાપી મુદ્દાનું એક માત્ર સમાધાન છે.

હિન્દુ પક્ષના વકિલ સુભાષનંદન ચાતુર્વેદીએ કહ્યું હતું કે, અમને વિશ્વાસ છે કે સંપૂર્ણ પરિસર મંદિરનો જ છે. સર્વેક્ષણનું પરિણામ અમને અનુકૂળ જ રહેશે.

દરમિયાન મુસ્લિમ પક્ષે આ સર્વેક્ષણ રોકવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. મુસ્લિમ પક્ષનું કહેવું છે કે સર્વે દરમિયાન કેટલાક હિન્દુઓ પણ અંદર પહોંચી ગયા છે. તેથી અમે સર્વેનો વિરોધ કરીએ છીએ.

આજે સવારે એએસઆઈ ટીમે માપપટ્ટી લઈ પરિસરનું માપ લીધું. ૪ ટ્રાઈપોડઝ ઉપર ૪ અલગ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે વિવાદિત હિસ્સો છોડી પરિસરની ઇંટ અને પથ્થરની લંબાઈ અને પહોળાઈ માપવામાં આવી છે. પાયા પાસેની માટીનાં સેમ્પલ લેવાયા છે. ચારે દિવાલોની વિડીયો, ફોટોગ્રાફી કરાઈ છે. પગથિયાના પથ્થરોના સેમ્પલ ઉપરાંત જ્ઞાનવાપીના દરેક ખંડો અને દિવાલોની ફોટોગ્રાફી તથા વિડીયો થઈ રહ્યું છે.

You Might Also Like

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?

‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર

ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.

BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી

ગોલ્ડન બોય નીરજ ચોપરાને ભારતીય સેનામાં મળ્યું મોટું પદ, હવે સંભાળશે આ જવાબદારી”

TAGGED: gyanvapi masjid, Supreme Court

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 25, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article GMERS સરકારી કોલેજોમાં ૬૬.૬૬ % તેમજ મેનેજમેન્ટ કોટા ની ફી મા ૮૮.૮૮ % જેટલો ધરખમ વધારો વિદ્યાર્થી હિત માટે કેટલો યોગ્ય?
Next Article મણિપુર મુદ્દે સંસદની અંદર-બહાર હોબાળો યથાવત્, વિપક્ષી સાંસદોએ આખી રાત કર્યા ધરણાં-પ્રદર્શન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?
Gujarat મે 15, 2025
‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર
Gujarat મે 15, 2025
ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.
Gujarat મે 15, 2025
BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી
Gujarat મે 15, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?