click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભરૂચમાં ભગવાન ઝુલેલાલનું મંદિર, જળ અને જ્યોતની થાય છે પૂજા, પાકિસ્તાન સાથે જોડાયેલો છે ઈતિહાસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભરૂચમાં ભગવાન ઝુલેલાલનું મંદિર, જળ અને જ્યોતની થાય છે પૂજા, પાકિસ્તાન સાથે જોડાયેલો છે ઈતિહાસ
Gujarat

ભરૂચમાં ભગવાન ઝુલેલાલનું મંદિર, જળ અને જ્યોતની થાય છે પૂજા, પાકિસ્તાન સાથે જોડાયેલો છે ઈતિહાસ

ભગવાન ઝુલેલાલના મંદિરે દૂરદૂરથી દર્શનાર્થીઓ દર્શને આવી મંદિરમાં બિરાજમાન ભગવાન ઝુલેલાલ અને પ્રજ્વલિત જ્યોતના દર્શન કરી પોતાની મનોકામના વ્યક્ત કરે છે.

Last updated: 2025/03/31 at 10:57 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

ભરુચ શહેરમાં નર્મદા નદી કિનારે ભગવાન ઝુલેલાલનું મંદિર આવેલુ છે. ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ભગવાન ઝુલેલાલના વંશજ ઉડેરોલાલ મંદિરથી દરિયાઈ માર્ગે અખંડ જ્યોત લઈને ભરુચ શહેરમાં આવ્યા ત્યારે જ્યોતને પહેલા શિવ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી. પછી ભગવાન ઝુલેલાલનું મંદિર બનાવી સિંધ પ્રાંતમાં આવેલા મંદિર પ્રમાણે જ અહિં જ્યોતનું સ્થાપન કરવામાં આવ્યુ હતુ. પ્રાચીન શહેર ભરુચનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં મળે છે. સિંધી સમાજ માટે ખૂબ મહત્વનું શહેર ભરુચ એક સમયે જહાજ બનાવવા માટે પ્રસિદ્ધ હતુ. સિંધી સમાજનું ભગવાન ઝુલેલાલનું મુખ્ય મંદિર અહિં આવેલું છે. ભારત પાકિસ્તાનના વિભાજન પછી સિંધી સમાજના દેવતા ભગવાન ઝુલેલાલના વંશજ ભરુચમાં આવીને વસ્યા હતા. અને ભરુચમાં ભગવાન ઝુલેલાલનું ભવ્ય મંદિર બનાવ્યુ હતુ. ઝુલેલાલ ભગવાનના મંદિરે આવતા ભાવિકો તેમના ગ્રંથ અમરકથાનું પઠન કરે છે આ ગ્રંથની રચનાની શરુઆત 1018માં થઈ અને તેની પૂર્ણાહુતી 1020ના ભાદરવા મહિનાની ચૌદસે થઈ હતી ત્યારે ભગવાન ઝુલેલાલ ધરતીમાં અંતર ધ્યાન થયા હતા.

Contents
ભરુચમાં ભગવાન ઝુલેલાલનું મુખ્ય મંદિરભાવિકો મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છેઅમૃત સમાન જળ ભાવિક ભક્તોના કષ્ટ કરે છે દૂર

ભરુચમાં ભગવાન ઝુલેલાલનું મુખ્ય મંદિર

ભગવાન ઝુલેલાલના મંદિરે દૂરદૂરથી દર્શનાર્થીઓ દર્શને આવી મંદિરમાં બિરાજમાન ભગવાન ઝુલેલાલ અને પ્રજ્વલિત જ્યોતના દર્શન કરી પોતાની મનોકામના વ્યક્ત કરે છે. અને તેમની મનોકામના ભગવાનના આશીર્વાદથી અચૂક પૂર્ણ થાય છે. પાકિસ્તાનના સિંધમાં આવેલા ઉડેરોલાલ મંદિરથીJhulelal Temple ઝુલેલાલ ભગવાનના વંશજ અખંડ જ્યોતને દરિયાઈ માર્ગે ભરુચ લઈને આવ્યા હતા. વર્ષોથી અનેક ઘટનાઓની સાક્ષી રહેલી મંદિરમાં ઝળહળતી અખંડ જ્યોતને જ્યારે સિંધમાંથી અહિં લાવવામાં આવી, ત્યારે આ મંદિર નહોતુ એટલે નર્મદા તટના કિનારે આવેલા અભિમુક્તેશ્વર મહાદેવના મંદિરે તે જ્યોતની સ્થાપના કરવામાં આવી હતી. ભગવાન ઝુલેલાલના મંદિરનું નિર્માણ કર્યા પછી સિંધના ઉડેરોલાલ મંદિરની જેમ જ ત્રણ જ્યોતની સ્થાપના કરવામાં આવી, જેમાં પહેલી જ્યોત શ્રી રામચંદ્રની, બીજી જ્યોત શ્રી સુજાનાથની અને ત્રીજી જ્યોત અમાબાઈની છે. સિંધી સમાજમાં જે પરિવારના ઘરે સંતાન પ્રાપ્તિ થાય છે તે સહપરિવાર બાળકનું માથુ ટેકવવા ભગવાન ઝુલેલાલના મંદિરે આવે છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

ભાવિકો મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છે

ભરુચ શહેરમાં સિંધી સમાજના અનેક પરિવારો વસે છે. માનનીય ઠાકુર ઓમપ્રકાશ ભગવાન ઝુલેલાલના પચ્ચીસમાં વંશજ છે. મંદિરની સંપુર્ણ દેખરેખ તેમનો પરિવાર રાખે છે. મંદિરે દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ચાલિહો ઉત્સવ મનાવવામાં આવે છે જેને દેશના બીજા શહેરોના ઉત્સવ કરતાં વિશેષ ગણવામાં આવે છે. ભગવાન ઝુલેલાલના મંદિરે વર્ષ દરમ્યાન અનેક ઉજવણી કરવામાં આવે છે. ભાવિક ભક્તો આ દરેક ઉજવણીમાં ઉલ્લાસભેર જોડાય છે. જે શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય તે લોકો મંદિરે ભંડારો અને આરતી કરી ભગવાનના આશીર્વાદ મેળવી ધન્ય થાય છે. કોઈને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય તો તે નજીવી રકમ ભરી રજીસ્ટ્રેશન કરાવી નિદાન કરાવી શકે તેવી આધુનિક હોસ્પિટલ ઝુલેલાલ મંદિર તરફતી બનાવવામાં આવી છે. આમ ભગવાન ઝુલેલાલ મંદિર ભક્તિ અને સેવાનો સંગમ છે. વર્ષોથી નિયમિત ભગવાન ઝુલેલાલના દર્શન કરવા આવતા ભાવિક ભક્તોને ભગવાન પર અતૂટ શ્રદ્ધા આસ્થા છે. ભાવિકો મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી હોસ્પિટલમાં સેવા આપીને પુણ્ય કર્મ કરી અલૌકિક અહેસાસ કરે છે.

અમૃત સમાન જળ ભાવિક ભક્તોના કષ્ટ કરે છે દૂર

મંદિરેથી દર્શનાર્થીઓને આપવામાં આવતુ જળ ગંગાજળ સમાન છે. મંદિરમાં જળ અને જ્યોતની પૂજા થાય છે. આખા મહિના સુધી જે જળની પૂજા અર્ચના થાય છે તેને દર મહિનાની બીજના દિવસે બદલવામાં આવે છે. અને તે જળ મંદિરે આવતા દર્શનાર્થીઓને પ્રસાદરુપે આપવામાં આવે છે જેને લોકો ઘરે લઈ જઈ ગ્રહણ કરે છે અમૃત સમાન ગણવામાં આવતુ જળ ભાવિક ભક્તોના કષ્ટ દૂર કરે છે. મંદિરે ઝુલેલાલ ભગવાનની જન્મ જયંતિની ધામધૂમપુર્વક ઉજવણી કરવામાં આવે છે. દર બીજના દિવસે કરવામાં આવતી પૂજામાં જે લોકો દર્શન કરે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે એટલે તે ભાવિકો મંદિરે વરુણદેવની પૂજા કરાવે છે. ગુરુપૂર્ણિમાએ ભવ્ય મેળો થાય છે જેમાં ભાવિકો હર્ષલ્લાસ સાથે જોડાય છે. ઝુલેલાલ ભગવાનને મીઠા ભાત અને ચણાનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

You Might Also Like

‘બોર્ડર પર ફાયરિંગ નહીં, ઓછી થશે સૈનિકોની સંખ્યા’, ભારત-પાકિસ્તાન DGMO વચ્ચેની વાતચીતમાં નિર્ણય

ઓપરેશન સિંદૂર’માં ભારતને સ્પેસ માંથી કેવી રીતે મળી મદદ?, જાણો ડિટેઈલ

આજે રાજકોટ સહિત આ 5 શહેરની ફ્લાઈટ્સ રદ, ઇન્ડિગોની મુસાફરો માટે એડવાઇઝરી જાહેર

PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન આતંકવાદ સામે ‘નવા ભારત’ની નીતિની સ્પષ્ટ ઘોષણા : CM યોગી

દેશભરમાં જાણીતું બાલા હનુમાન મંદિર, 1964થી ચાલે છે અખંડ રામધૂન, પરચા અપરંપાર

TAGGED: Bharuch, Dev Darshan, Jhulelal Temple, latest guajrti news, Lord Jhulelal, oneindia, oneindianews, Temple of Lord Jhulelal, topnews, water and fire, ભગવાન ઝુલેલાલ, ભરુચ શહેર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 31, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ખાસ લેખ – માધવપુર ધેડનો મેળો
Next Article કાશ્મીરમાં પ્રથમ વાર દોડશે વંદે ભારત ટ્રેન, PM મોદી દેખાડશે લીલી ઝંડી, આ તારીખે લોકાર્પણ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘બોર્ડર પર ફાયરિંગ નહીં, ઓછી થશે સૈનિકોની સંખ્યા’, ભારત-પાકિસ્તાન DGMO વચ્ચેની વાતચીતમાં નિર્ણય
Gujarat મે 13, 2025
ઓપરેશન સિંદૂર’માં ભારતને સ્પેસ માંથી કેવી રીતે મળી મદદ?, જાણો ડિટેઈલ
Gujarat મે 13, 2025
આજે રાજકોટ સહિત આ 5 શહેરની ફ્લાઈટ્સ રદ, ઇન્ડિગોની મુસાફરો માટે એડવાઇઝરી જાહેર
Gujarat મે 13, 2025
PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન આતંકવાદ સામે ‘નવા ભારત’ની નીતિની સ્પષ્ટ ઘોષણા : CM યોગી
Gujarat મે 13, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?