click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: તંબાડી ગામે પંચમુખી હનુમાનજીનું મંદિર, 300 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયા હતા બજરંગબલી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > તંબાડી ગામે પંચમુખી હનુમાનજીનું મંદિર, 300 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયા હતા બજરંગબલી
Gujarat

તંબાડી ગામે પંચમુખી હનુમાનજીનું મંદિર, 300 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયા હતા બજરંગબલી

ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજી મહારાજ વિવિધ સ્વરૂપમાં પૂજાય છે. બજરંગબલી પર લોકોની અતૂટ શ્રદ્ધા છે. તેમા પણ હનુમાનજીદાદાના પંચમુખી સ્વરુપનું વિશેષ મહત્વ છે. આજે દેવદર્શનમાં કપરાડાના મોટી તંબાડી ગામમાં 300 વર્ષ જુના સ્વયંભૂ પ્રગટ થયેલા પંચમુખી હનુમાનજીદાદાના દર્શન કરી ધન્ય થઈશુ.

Last updated: 2025/05/03 at 11:27 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

ભગવાન શ્રી રામનું નામ લેવાય એટલે બજરંગ બલીને પણ યાદ કરવામાં આવે છે. હનુમાનજી મહારાજના દેશભરમાં અસંખ્ય મંદિરો આવેલા છે. આ મંદિરોમાં વિવિધ સ્વરૂપે પૂજાતા બજરંગબલીનું પંચમુખી સ્વરૂપ સૌથી શ્રેષ્ઠ, ફળદાઇ અને ચમત્કારિક માનવામાં આવે છે. વલસાડમાં કપરાડાના છેવાડે આવેલા ગામ મોટી તંબાડીમાં સ્વયંભૂ પ્રગટ પંચમુખી હનુમાનજીનું મંદિર આવેલુ છે. દાદાનું આ મંદિર સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોમાં આસ્થાનું કેન્દ્ર છે. સ્થાનિક લોકોની માન્યતા પ્રમાણે, 300 વર્ષ પહેલા મોટી તંબાડી ગામની બાજુમાં આવેલા વાઘછીપા ગામમાં હનુમાનજી મહારાજ પ્રગટ થયા હતા. ગામના કેટલાક લોકોના સ્વપ્નમાં આવી હનુમાનજી મહારાજે પોતાને અન્ય જગ્યાએ બિરાજવાનું સૂચન કર્યુ હતું એટલે પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિને વાઘછીપાની બાજુમાં આવેલા મોટી તંબાડી ગામમાં લાવી તેમની સ્થાપના કરી હતી.

મોટી તંબાડીના પંચમુખી હનુમાનજીની મૂર્તિને ચમત્કારિક માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સ્વયંભૂ પ્રગટ થયેલા પંચમુખી હનુમાનજીનું આ એકમાત્ર મંદિર છે. એટલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ મંદિરે ઉમટે છે. આખા વર્ષ દરમિયાન આ મંદિર પર સતત શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. શનિવાર, મંગળવાર અને અન્ય વારે તહેવારે મંદિર મેળાનો માહોલ સર્જાય છે. દૂરદૂરથી ભક્તો અહીં હનુમાનજીના દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. આ મંદિરમાં રામનવમી, હનુમાન જયંતિ અને બીજા તમામ તહેવારોની ભારે ધૂમધામ પુર્વક ઉજવણી કરવામાં આવે છે. આ મંદિરમાં રામ, લક્ષમણ, જાનકી અને રાધાકૃષ્ણ પણ બિરાજમાન છે. વહેલી સવારે અને સાંજે 7 વાગ્યે મંદિરમાં કરવામાં આરતી સમયે મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાય છે.

પંચમુખી હનુમાનજીનું સ્વરૂપ અત્યંત પાવનકારી અને ચમત્કારિક માનવામાં આવે છે. મોટી તંબાડીના આ પંચમુખી હનુમાનજી મહારાજ પર લોકોની અતૂટ શ્રદ્ધા છે. પંચમુખી હનુમાનજીના માત્ર દર્શન કરવાથી જ તમામ દુઃખોનો અંત આવે છે. અને મનને અપાર શાંતિ મળે છે. મંદિરે આવતા ભાવિક ભક્તો હનુમાનજી સમક્ષ જે પણ મનોકામના માંગે છે અચૂક પૂર્ણ થવાની માન્યતા છે. મોટી તંબાડી ગામના લોકો પોતાના ઘરે કોઈપણ પ્રસંગ કરે ત્યારે સૌથી પહેલી કંકોત્રી દાદાના ચરણોમાં મુકીને તેમને આમંત્રિત કરવામાં આવે છે.

હનુમાનજી દાદા તમામ ભક્તોના જીવનના તમામ કષ્ટ અને મુસીબતોનો પળવારમાં જ નાશ કરી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ અર્પણ કરે છે. હનુમાન ચાલીસાનો પાઠ તમામ વિઘ્નોને હરી લોકોને કષ્ટ અને મુશ્કેલીઓમાંથી ઉગારનારો હોવાનું માનવામાં આવે છે. મંદિરે આવતા શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરી હનુમાન ચાલીસાના પાઠ કરે છે. અને દાદાની આશીર્વાદ પ્રાપ્ત કરે છે. મંદિરે નિયમિત દર્શન કરવા આવતા ભાવિકભકતોનું માનવું છે કે આ સ્વયંભૂ પ્રગટ થયેલા પંચમુખી હનુમાનજી સામે માથું ટેકવાથી કાંઈ કહ્યા વિના જ તેમના દુઃખોનો અંત આવે છે.અને મનને પરમ શાંતિનો અહેસાસ થાય છે.

સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને સમગ્ર દક્ષિણ ગુજરાતના હનુમાન ભક્તો અહીં દાદાના દર્શને ઉમટે છે. શનિવાર, મંગળવાર, વર્ષના અન્ય વાર તહેવાર અને હનુમાન જયંતીના દિવસે મંદિરે દિવસભર ભજન, સત્સંગ, હનુમંત યજ્ઞ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દિવસભર ભક્તોની ભારે ભીડ જામે છે. અને દાદાના દર્શન કરવા શ્રદ્ધાળુઓ કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભા રહી દાદાની અસીમ કૃપાના આશીર્વાદ મેળવે છે..

આદિવાસી વસ્તી ધરાવતા નાનકડા ગામ મોટી તંબાડીમાં બિરાજમાન પંચમુખી હનુમાનજી મહારાજ હોવાથી ગામની કીર્તિ ચોમેર પ્રસરી રહી છે. દાદાના આશીર્વાદ હંમેશા ગામ પર વરસતા રહે છે. ગામના લોકો કોઈપણ શુભ કાર્ય કરે ત્યારે સૌ પહેલા અચૂક દાદાના આશીર્વાદ મેળવે છે. ગામની કોઈપણ સમસ્યા હોય તો તેનું નિવારણ દાદા અચૂક લાવી દે છે. અને એટલે જ ગામના લોકો પંચમુખી હનુમાનજી મહારાજ હાજરાહજૂર હોવાની અતૂટ શ્રદ્ધા રાખે છે.

હનુમાન ચાલીસાનું પઠન મનની અશાંતિને હરનારું માનવામાં આવે છે. પંચમુખી હનુમાનજી મહારાજનું સ્વરૂપ અને તે પણ સ્વયંભૂ પ્રગટ થયેલા હનુમાનજી મહારાજનું સ્વરૂપનું વિશેષ મહત્વ ધરાવે છે. નાનકડા મોટી તંબાડી ગામમાં બિરાજતા હનુમાનજી મહારાજની કૃપા અને આશીર્વાદ લોકો પર સદાય રહે છે અને એટલે આ વિસ્તારના અસંખ્ય શ્રદ્ધાળુઓ માટે દાદા તમામ દુઃખો હરનારા અને તેમનું રક્ષણ કરી રહ્યા હોવાની માન્યતા છે.

You Might Also Like

નરેન્દ્ર મોદી વિચાર મંચની ગુજરાત પ્રદેશ ટીમમાં તાપીના ૪ યુવાનોની નિમણુંક

અયોધ્યામાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા લાભ

ઓપરેશન સિંદૂરને લઈ BSFનો મોટો દાવો, પાકિસ્તાને 600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા

ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ સ્કૂલ પ્રવાસમાં પોલીસ કર્મચારીને સાથે રાખવા પડશે

PM મોદીએ પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવાર સાથે મુલાકાત કરી

TAGGED: Dev Darshan, devotess, gujarti news, Moti Tambadi, oneindianews, Panchmukhi Hanumanji, topnews, topnewschannelinindia, તંબાડી ગામે, પંચમુખી હનુમાનજી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 3, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અશોક શિલાલેખના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
Next Article જો તમારી વેઈટિંગ ટિકિટ કન્ફર્મ ના થઈ હોય તો, હવે સ્લીપર કે એસી કોચમાં મુસાફરી ના કરતા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નરેન્દ્ર મોદી વિચાર મંચની ગુજરાત પ્રદેશ ટીમમાં તાપીના ૪ યુવાનોની નિમણુંક
Gujarat Tapi મે 31, 2025
અયોધ્યામાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા લાભ
Bhavnagar Gujarat મે 31, 2025
ઓપરેશન સિંદૂરને લઈ BSFનો મોટો દાવો, પાકિસ્તાને 600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા
Gujarat મે 30, 2025
ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ સ્કૂલ પ્રવાસમાં પોલીસ કર્મચારીને સાથે રાખવા પડશે
Gujarat મે 30, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?