click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘દુનિયા આતંકવાદ સામે લડવા માટે ભારતની સાથે આવે’, પાકિસ્તાન અને તૂર્કિયે મુદ્દે વિદેશ મંત્રાલયે જાણો શું કહ્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘દુનિયા આતંકવાદ સામે લડવા માટે ભારતની સાથે આવે’, પાકિસ્તાન અને તૂર્કિયે મુદ્દે વિદેશ મંત્રાલયે જાણો શું કહ્યું
Gujarat

‘દુનિયા આતંકવાદ સામે લડવા માટે ભારતની સાથે આવે’, પાકિસ્તાન અને તૂર્કિયે મુદ્દે વિદેશ મંત્રાલયે જાણો શું કહ્યું

Last updated: 2025/05/22 at 6:40 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

વિદેશ મંત્રાલયે ગુરુવારે સાપ્તાહિક બ્રીફિંગમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના પ્રસ્થાન સહિત તમામ મુદ્દાઓ પર માહિતી આપી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, અમે આતંકવાદ સામે લડવાના અમારા સંકલ્પને વિશ્વ સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. ‘અમે ઇચ્છીએ છીએ કે વિશ્વ આતંકવાદ સામે તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે લડવા માટે એક સાથે આવે.’

Contents
‘ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કોઈ મતભેદ નથી’‘પાકિસ્તાનને કહો કે, આતંકવાદનું સમર્થન બંધ કરે’, ભારતની તૂર્કીયેને સલાહપાકિસ્તાનનો પ્રર્દાફાશ કરવો જરૂરી‘દુનિયા આતંકવાદ સામે લડવા માટે ભારતની સાથે આવે’કાશ્મીર મુદ્દે માત્ર PoK મુદ્દે વાત થશે

Weekly Media Briefing by the Official Spokesperson (May 22, 2025)
https://t.co/umABZjPAjk

— Randhir Jaiswal (@MEAIndia) May 22, 2025

‘ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કોઈ મતભેદ નથી’

ભારતના વિદેશ મંત્રીએ હાલમાં જ અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું કે, ‘આ વાતચીતમાં વિદેશ મંત્રીએ પહલગામ આતંકવાદી હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરવા માટે અફઘાનના મંત્રીનો આભાર માન્યો હતો. વાતચીત દરમિયાન વિદેશ મંત્રીએ આ વાતને ફગાવી હતી કે, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કોઈ મતભેદ છે. તેમણે કહ્યું કે, કેટલાક ખોટા અને મનફાવે તેવા રિપોર્ટ દ્વારા બંને દેશો વચ્ચે ભ્રમ ફેલાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે, જેને ભારત સંપૂર્ણ રીતે ફગાવે છે.’

‘પાકિસ્તાનને કહો કે, આતંકવાદનું સમર્થન બંધ કરે’, ભારતની તૂર્કીયેને સલાહ

તૂર્કીયે અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે, ‘અમે આશા કરીએ છીએ કે, તૂર્કીયે, પાકિસ્તાનને એ અપીલ કરશે કે તેઓ બોર્ડર પાર આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરે અને તે આતંકવાદી માળખા વિરૂદ્ધ વિશ્વસનીય અને આકરા પગલાં ભરે, જેને તેમણે વર્ષોથી આશરો આપી રાખ્યો છે. દ્વિપક્ષીય સંબંધો એક-બીજાની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલતાના આધાર પર જ બને છે. સેલેબી મામલે તૂર્કીયે એમ્બેસી સાથે ચર્ચા થઈ છે. પરંતુ મારી સમજ અનુસાર, આ નિર્ણય નાગરિક ઉડ્ડયન સુરક્ષા દ્વારા લેવાયો હતો.’

પાકિસ્તાનનો પ્રર્દાફાશ કરવો જરૂરી

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એ પણ જણાવ્યું હતું કે, ‘આગામી દિવસોમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળની વિદેશ યાત્રામાં આતંકવાદ વિરૂદ્ધ ભારતની લડાઈને પ્રાધાન્યતાથી રજૂ કરાશે. જે દેશ આતંકવાદને સમર્થન આપી રહ્યો છે, તેને જવાબદાર ગણાવવા અને આંતરરાષ્ટ્રીય મંચો પર ખુલ્લું પાડવું જરૂરી છે.’

‘દુનિયા આતંકવાદ સામે લડવા માટે ભારતની સાથે આવે’

સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને લઈને વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ‘કુલ સાત પ્રતિનિધિમંડળ છે. ત્રણ પ્રતિનિધિમંડળ રવાના થઇ ચૂક્યા છે. આ એક રાજનીતિક મિશન છે. આપણો ઉદ્દેશ્ય દુનિયાથી વ્યાપક સંપર્ક સ્થાપિત કરવાનો છે, જેથી આપણે એ સંદેશ આપી શકીએ કે ભારત આતંકવાદ વિરૂદ્ધ લડાઈ માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. અમે ઇચ્છીએ છીએ કે, દુનિયા આતંકવાદના તમામ રૂપો અને સ્વરૂપો વિરૂદ્ધ એકજૂટ થાય. અમે દુનિયાને અપીલ કરીએ છીએ કે બોર્ડર પારથી થનારા આતંકવાદ માટે જવાબદાર લોકોને જવાબદાર ગણાવવામાં આવે. જે દેશ છેલ્લા 40 વર્ષોથી ભારત વિરૂદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યો છે. પાકિસ્તાનની ગતિવિધિઓને ઉજાગર કરવી જરૂરી છે. તેમણે ભારત પર કરવામાં આવેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર ગણાવવું જોઈએ.’

કાશ્મીર મુદ્દે માત્ર PoK મુદ્દે વાત થશે

ડોનાલ્ડ ટ્રમ્પના હાલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા MEA પ્રવક્તાએ કહ્યું કે, ‘ભારતની સ્થિતિ પહેલા જ સ્પષ્ટ કરાઈ ચૂકી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ચર્ચા માત્ર દ્વિપક્ષીય સ્તરે થઈ શકે છે. કોઈ ત્રીજા દેશની તેમાં કોઈ જરૂર નથી. જમ્મુ કાશ્મીર સંદર્ભમાં ભારત માટે એકમાત્ર મુદ્દો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની વાપસી છે.’

તેમણે એમ પણ કહ્યું કે, ‘જો પાકિસ્તાન તે આતંકવાદીઓને સોંપવા માગે છે જેમના નામ ભારતે વર્ષો પહેલા ઉપલબ્ધ કર્યા હતા, તો ભારત વાતચીત માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે, આતંકવાદ અને વાતચીત એકસાથે ન ચાલી શકે, ન આતંકવાદ અને વેપાર સાથે કરી શકાય છે. સિંધુ જળ સંધિ ત્યાં સુધી રદ રહેશે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ વિરૂદ્ધ કોઈ આકરાં પગલા ન ભરે.’

You Might Also Like

જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ: IPLમાં આ મહારેકોર્ડ બનાવનારો વિશ્વનો પ્રથમ બોલર

હવેથી આ કેટેગરીમાં અપગ્રેડ નહીં થાય સ્લીપર ક્લાસની વેઈટિંગ ટિકિટ, રેલવેએ બદલ્યો નિયમ

‘મોદીની નસોમાં હવે લોહી નથી, પણ ગરમ સિંદૂર છે’,PMએ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો

ED બંધારણનો ભંગ કરી રહી છે, બધી હદ પાર કરી દીધી… TASMAC કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

અમેરિકા એકલું નહોતું, ઘણાં દેશોએ વાત કરી, સંઘર્ષ વિરામના ટ્રમ્પના દાવા અંગે જયશંકરનો જવાબ

TAGGED: @india, All-party delegation, Bilateral relations, Civil aviation security, External Affairs Ministry Spokesperson Randhir Jaiswale, indian pakistan tension, pakistan, રણધીર જયસ્વાલે, સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 22, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ: IPLમાં આ મહારેકોર્ડ બનાવનારો વિશ્વનો પ્રથમ બોલર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘દુનિયા આતંકવાદ સામે લડવા માટે ભારતની સાથે આવે’, પાકિસ્તાન અને તૂર્કિયે મુદ્દે વિદેશ મંત્રાલયે જાણો શું કહ્યું
Gujarat મે 22, 2025
જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ: IPLમાં આ મહારેકોર્ડ બનાવનારો વિશ્વનો પ્રથમ બોલર
Gujarat મે 22, 2025
હવેથી આ કેટેગરીમાં અપગ્રેડ નહીં થાય સ્લીપર ક્લાસની વેઈટિંગ ટિકિટ, રેલવેએ બદલ્યો નિયમ
Gujarat મે 22, 2025
‘મોદીની નસોમાં હવે લોહી નથી, પણ ગરમ સિંદૂર છે’,PMએ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો
Gujarat મે 22, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?