ઓપરેશન સિંદૂરના પ્રચાર અને પાકિસ્તાનની મેલી મુરાદને વિશ્વ સમક્ષ ખુલ્લી પાડવા માટે ભારત સરકાર દ્વારા ઓલ પાર્ટી ડેલિગેશનને જુદાજુદા દેશોમાં મોકલવામાં આવ્યું છે. જેમાં દરેક પાટીના નેતાઓનો સમાવેશ થાય છે. ડીએમકે પાર્ટીના સાંસદ કનિમોઝી કરુણાનિધિ સાથેનું ડેલિગેશન સ્પેન ખાતે પહોંચ્યું છે. જ્યાં સાંસદ કનિમોઝીએ ભારતની રાષ્ટ્રીય ભાષા અંગે નિવેદન આવ્યું છે. જે વાયરલ થયું છે.
#WATCH | Madrid, Spain: While addressing the Indian diaspora, DMK MP Kanimozhi said, "The national language of India is unity and diversity. That is the message this delegation brings to the world, and that is the most important thing today…" pic.twitter.com/cVBrA99WK3
— ANI (@ANI) June 2, 2025
સ્પેન ખાતે સાંસદ કનિમોઝીએ ભારતીય સમુદાયનું સંબોધન કર્યું હતું. જ્યાં તેઓને મીડિયા દ્વારા ભારતની રાષ્ટ્રીય ભાષા કંઈ છે? એવો સવાલ કરવામાં આવ્યો હતો. જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, “ભારતની રાષ્ટ્રભાષા એકતા અને વિવિધતા છે. આ ડેલિગેશન વિશ્વમાં આ સંદેશ પહોંચાડી રહ્યું છે. જે આજના સમયમાં મહત્ત્વપૂર્ણ છે.”
રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં આપવામાં આવેલી ત્રિભાષા ફોર્મુલાનો દક્ષિણ ભારતના રાજ્યો વિરોધ કરી રહ્યા છે. સાંસદ કનિમોઝીની પાર્ટી ડીએમકે દ્વારા ભાજના નેતૃત્ત્વવાળી સરકારને રાષ્ટ્રીય શિક્ષા નીતિની ત્રિ-ભાષા ફોર્મુલાના માધ્યમથી રાજ્ય પર હિંદી ભાષા લાગુ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેની વચ્ચે સ્પેન ખાતે તેમણે આપેલું નિવેદન હાલ ચર્ચામાં આવ્યું છે.