ચારધામ યાત્રામાં કેદારનાથ ધામના દરવાજા ખુલી ગયા છે. કેદારનાથ ધામ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. જેને ભગવાન શિવના સૌથી પવિત્ર મંદિરો માનવામાં આવે છે. ઉપરાંત તે પંચકેદાર તીર્થસ્થાનોમાંનું પ્રથમ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાં સૌથી ઊંચું છે. હિન્દુ દંતકથાઓ અનુસાર આ પવિત્ર સ્થળ જે વર્ષના લગભગ 6 મહિના બરફથી ઢંકાયેલું રહે છે. તેને ભગવાન શિવનું નિવાસસ્થાન પણ કહેવામાં આવે છે. બીજી ખાસ વાત એ છે કે કેદારનાથ ધામના શિવલિંગનો આકાર વિશ્વના અન્ય તમામ શિવલિંગ કરતા અલગ છે. આ શિવલિંગનો આકાર બળદની પીઠ જેવો છે અને તેની પાછળનું કારણ પણ જાણવા જેવુ છે.
ક્ષમા યાચના માટે પાંડવો શિવજી પાસે ગયા
બળદના રૂપે થયા શિવજીના દર્શન
આ પછી પાંડવો ભગવાન શિવની શોધમાં જ્યાં પણ જતા ભગવાન શિવ ત્યાંથી ચાલ્યા જતા. અંતે પાંડવોએ હિમાલયની ટેકરીઓમાં ભગવાન શિવના દર્શન કર્યા,. પરંતુ ત્યાં પણ મહાદેવે બળદનું રૂપ ધારણ કર્યું. તે પછી જ્યારે પાંડવોએ તે બળદને પકડવાનો પ્રયાસ કર્યો તે જ ક્ષણે ભગવાન શિવ પાતાળમાં જવા લાગ્યા. પરંતુ ભીમે કોઈક રીતે બળદનો ગળા પકડી લીધો અને તેને જમીન પર પડતા બચાવી લીધો. પછી, આ કોલુએ શિવલિંગનો આકાર લીધો અને તે જ જગ્યાએ સ્થાપિત થયો. એવું કહેવાય છે કે પાંડવોએ અહીં ભગવાન શિવની પૂજા કરી હતી અને તેમનાથી પ્રસન્ન થઈને ભોલેનાથે તેમના બધા પાપો માફ કરી દીધા હતા.