કેનેડાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિગતો મુજબ અમેરિકાએ ગેરકાયદેસર રહેતા લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ તરફ હવે કેનેડાથી પણ એક આ પ્રકારના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કેનેડાના નવા લિબરલ પાર્ટીના નેતા અને આગામી વડા પ્રધાન માર્ક કાર્ની ભારત સાથે સંબંધો સુધારવા આતુર છે, પરંતુ તેમની ઇમિગ્રેશન નીતિ ભારતીય નાગરિકોને અસર કરી શકે છે. કાર્નેએ કહ્યું છે કે, જ્યાં સુધી ઇમિગ્રેશન કોરોના પહેલાના સ્તર સુધી ન પહોંચે ત્યાં સુધી તેઓ મર્યાદિત રાખશે. એક અહેવાલ મુજબ ફેબ્રુઆરી 2025માં મોન્ટ્રીયલમાં યોજાનારી પ્રથમ નેતૃત્વ ચર્ચા પહેલા કાર્નેની ઝુંબેશમાં આર્થિક વિકાસ અને આવાસ યોજનાઓ માટે એક માળખું ઘડવામાં આવ્યું હતું.
કેનેડિયન ઇમિગ્રેશન વિશ્લેષક દર્શન મહારાજાએ જણાવ્યું કે, માર્ક કાર્ને ઇમિગ્રેશન નીતિમાં મોટા ફેરફારો નહીં કરે.
મૂખ્ય મુદ્દા:
- કોઈ નક્કર નિવેદન નથી: કાર્નેએ હજી સુધી ઇમિગ્રેશન નીતિ પર સ્પષ્ટ વાત કરી નથી.
- અત્યારનો મુખ્ય પડકાર: કેનેડા માટે સૌથી મોટો પડકાર અમેરિકા સાથે ચાલતું ટેરિફ યુદ્ધ છે.
- ઇમિગ્રેશન મુદ્દા પર દબાણ નહીં: હાલના સંજોગોમાં ઇમિગ્રેશન મુદ્દે નવું દબાણ આવવાની શક્યતા ઓછી.
- ટ્રમ્પ અને 51મું રાજ્ય મુદ્દે કાર્નેનો જવાબ: કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનવાની શક્યતા નકારી કાઢી.
ભારત સાથે સંબંધો સુધારવા માંગુ છું : PM માર્ક કાર્ની
માર્ક કાર્નેએ ભારત સાથે સંબંધો સુધારવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અગાઉ જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો નોંધપાત્ર રીતે બગડ્યા હતા. ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે, ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોઈ શકે છે, ત્યારબાદ બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા હતા. જોકે ભારતે આ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવીને નકારી કા
કેનેડાના ભૂતપૂર્વ કેન્દ્રીય બેંક ગવર્નર માર્ક કાર્ને આગામી સમયમાં ભારત સાથે વેપાર વધારવા ઉત્સુક છે.
મુખ્ય મુદ્દા:
વેપાર વૈવિધ્યીકરણ: કેનેડા અન્ય દેશો, ખાસ કરીને ભારત સાથે વેપાર વધારવા ઈચ્છે છે.
યુએસ-કેનેડા ટેરિફ વિવાદ: કાર્નેએ કેલગરીમાં મીડિયા સાથે યુએસ સાથેના ટેરિફ સમસ્યાઓ પર ચર્ચા કરી.
ભારત સાથે તકો: કેનેડા માટે ભારત સાથે વ્યાપાર અને રોકાણના નવા અવસર ઉપલબ્ધ છે.
સમાન વિચારધારા ધરાવતા દેશો સાથે વ્યાપાર: કેનેડા યુએસ પર આધારીત રહેવા બદલે અન્ય દેશો સાથે પણ વ્યવસાયિક સંબંધો મજબૂત કરવા માંગે છે.