click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ધામોદમાં 1200 વર્ષ પૌરાણિક કેદારેશ્વર મહાદેવનું મંદિર, પાંડવોએ અહીં કર્યો હતો વસવાટ, કથા રોચક
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ધામોદમાં 1200 વર્ષ પૌરાણિક કેદારેશ્વર મહાદેવનું મંદિર, પાંડવોએ અહીં કર્યો હતો વસવાટ, કથા રોચક
Gujarat

ધામોદમાં 1200 વર્ષ પૌરાણિક કેદારેશ્વર મહાદેવનું મંદિર, પાંડવોએ અહીં કર્યો હતો વસવાટ, કથા રોચક

મહીસાગર જિલ્લાના વીરપુર, લુણાવાડા અને અરવલ્લીના ધોળી ડુંગરીથી વીરપુર રોડ પર આવેલા જોધપુર પાસે ડુંગરોની હરોળમાં ગીચ જંગલ વચ્ચે ધામોદમાં કેદારેશ્વર મહાદેવ બિરાજમાન છે.

Last updated: 2025/03/25 at 10:39 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

ધામોદ ખાતે કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. 1200 વર્ષ જૂના મહાદેવજીના આ મંદિરે પાંડવોએ પૂજા કરી હતી. અહિં એકાદશીએ પૂજા કરવાનો અનોખો મહિમા છે. એકાદશીએ કરવામાં આવતી વિશેષ પૂજાથી તેનું વિશેષ ફળ મળે છે. ત્રણ તાલુકાના ત્રિભેટે આવેલા કેદારેશ્વર મહાદેવજીના મંદિરેમાં પાંડવોએ વસવાટ કર્યો હતો. મહીસાગર જિલ્લાના વીરપુર, લુણાવાડા અને અરવલ્લીના ધોળી ડુંગરીથી વીરપુર રોડ પર આવેલા જોધપુર પાસે ડુંગરોની હરોળમાં ગીચ જંગલ વચ્ચે ધામોદમાં કેદારેશ્વર મહાદેવ બિરાજમાન છે. ડુંગર પર કિલ્લા વચ્ચે આવેલા કેદારેશ્વર મંદિરનું વાતાવરણ રમણીય છે. લુણાવાડાની ઉંતરે ખાનપુર તાલુકાના કલેશ્વરીથી લઇ કપડવંજ સુધીનો પ્રદેશ હેડંબાવન તરીકે ઓળખાતો હતો. કેદારેશ્વર મંદિરની પાછળના ભાગે શેઢી નદીનું ઉદગમસ્થાન છે. પાંડવો અજ્ઞાતવાસમાં આ સ્થળે હતા ત્યારે નદીમાં સ્નાન કરવા ઉતરેલા ભીમ નદીમાં પાણી ઓછું હોવાથી નદી વચ્ચે આડા પડતા પાણી વધારે માત્રામાં એક બાજુ ભરાઈ જતા પાણી મંદિરમાં ભરાઈ ગયુ હતું. આ મંદિરે ભગવાન ભોળાનાથનું એકવાર નામ લેવાથી તેનું અનેક ગણુ ફળ મળવાની માન્યતા છે.

Contents
મહીસાગરના ધામોદ ગામે કેદારેશ્વર મહાદેવ બિરાજમાનશેઢી નદી પર આવેલું મંદિર ત્રણ તાલુકાના લોકોની આસ્થાનું કેન્દ્ર

મહીસાગરના ધામોદ ગામે કેદારેશ્વર મહાદેવ બિરાજમાન

બીજી એક લોકવાયકા પ્રમાણે શિવભક્ત લાલીયા લવાર ભગવાન શિવજી પ્રસન્ન થયા હતા અને તેના પર અઢળક સંપત્તિનો ધોધ વર્ષાવ્યો હતો. તેને પારસમણી પણ મળ્યો હતો જેની સરકારને જાણ થતા સરકાર લાલિયા લવારની પાછળ થઇ હતી અટલે તેણે પારસમણી ઉંડા ધરામાં નાખી દીધો હતો. અને લાલીયા લવારે આ મંદિર બનાવ્યું હતું. મંદિરની પશ્ચિમે એક સિધ્ધ ગુફા આવેલી છે જ્યાં અનેક મહાપુરુષોએ તપસ્યા કરેલી છે. રઘૂરામ નામના સંતે 12 સિધ્ધિઓમાંની એક સિદ્ધિ આ ગુફામાં બેસીને મેળવી હતી વર્તમાનમાં પણ આ ગુફા જીવંતશીલ છે. શિવરાત્રી અને જન્માષ્ટમીના દિવસે મહાદેવજીના મંદિરે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં ભાવિકો આ મંદિરે આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. શ્રાવણ માસમાં આ મંદિરનો અનોખો મહિમા રહ્યો છે. એવું માનવામાં આવે છે કે પાંડવોએ આ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. જંગલની વચ્ચે આવેલા કેદારનાથ મહાદેવના મંદિરે દૂરદૂરથી આવતા ભાવિક ભક્તો દર્શન કર્યા પછી મહાદેવના સાનિધ્યમાં કુદરતી વાતાવરણનો આનંદ માણી શાંતિનો અહેસાસ કરી ધન્ય થાય છે.

શેઢી નદી પર આવેલું મંદિર ત્રણ તાલુકાના લોકોની આસ્થાનું કેન્દ્ર

શેઢી નદીના ઉપરના ભાગે આવેલું કેદારેશ્વર મહાદેવનું મંદિર ત્રણ તાલુકાના લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. એક લોકવાયકા પ્રમાણે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો ત્યારે અહીં સ્થિત મૂર્તિઓ બોલી ઊઠી હતી. અહીં ગણપતિજીની બે મૂર્તિ, માતાજીની બે મૂર્તિ, હનુમાનજીની બે મૂર્તિ અને મહાદેવજીના બે પોઠીયા બિરાજમાન છે. જ્યારે આ મંદિરમાંથી મૂર્તિઓ હટાવવામાં આવી અને નવી મૂર્તિઓ મૂકવામાં આવી ત્યારે મૂર્તિમાંથી અવાજ આવ્યો હતો અને લોહીની ધારા વહી હતી ત્યારથી આ મંદિરમાં બે બે મૂર્તિઓ બિરાજમાન છે. મંદિર આવતા ઘણા ભાવિક ભક્તોને ભગવાનના સાક્ષાત્કાર થયા છે એકાદશીએ સફરજનનું ફળ મહાદેવને ચઢાવવાથી મનોવાંચ્છિત ફળ મળે છે અને નિસંતાન દંપતિના ઘરે બાળકનો જન્મ થાય છે તેવી માન્યતા છે. મહાદેવજીના મંદિરે દેશભરમાંથી ભાવિકો દર્શન કરવા આવે છે અને ભોળાના દર્શન કરી ધન્ય થઈ સકારાત્મક ઉર્જા સાથે પાછા જાય છે.

You Might Also Like

મોદી સરકારના 11 વર્ષ પુરા થવા પર NaMo એપ પર ‘જન મન સર્વે’ ની થઇ શરૂઆત, પ્રથમ દિવસે જ 5 લાખ લોકોનો મળ્યો રિસ્પૉન્સ

સૌથી પહેલા મળશે તત્કાલ ટિકિટ, જાણો IRCTCના આ 10 મિનિટના નિયમ વિશે

રાકેશ શર્મા બાદ બીજા ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા કરશે અંતરિક્ષની સફર, વાયુસેનાએ શુભેચ્છા પાઠવી

પાટણ જિલ્લામાં ૩૧૦ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૭૦ ની પેટાચૂંટણી માટે ૪૮૪૮ ફોર્મ ભરાયા

ભારતની બ્રહ્મોસ મિસાઇલની ન્યુ જનરેશન કેવી હશે, ડીઆરડીઓએ આપી જાણકારી

TAGGED: Dhamod, Kedareshwar Mahadev, Kedareshwar Mahadev temple, oneindia, oneindianews, Pandavas, topnews, topnewschannelinindia, કેદારેશ્વર મહાદેવ બિરાજમાન, ધામોદ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 25, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article Ahmedabad માં ટ્રાફિકની સમસ્યા હળવી થશે, વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવાશે…
Next Article બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મોદી સરકારના 11 વર્ષ પુરા થવા પર NaMo એપ પર ‘જન મન સર્વે’ ની થઇ શરૂઆત, પ્રથમ દિવસે જ 5 લાખ લોકોનો મળ્યો રિસ્પૉન્સ
Gujarat જૂન 10, 2025
સૌથી પહેલા મળશે તત્કાલ ટિકિટ, જાણો IRCTCના આ 10 મિનિટના નિયમ વિશે
Gujarat જૂન 10, 2025
રાકેશ શર્મા બાદ બીજા ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા કરશે અંતરિક્ષની સફર, વાયુસેનાએ શુભેચ્છા પાઠવી
Gujarat જૂન 10, 2025
પાટણ જિલ્લામાં ૩૧૦ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૭૦ ની પેટાચૂંટણી માટે ૪૮૪૮ ફોર્મ ભરાયા
Gujarat Patan જૂન 10, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?