click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પાટણ માં ઉજવાયો ૧૨૮૦ મો સ્થાપના દિન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પાટણ માં ઉજવાયો ૧૨૮૦ મો સ્થાપના દિન
GujaratPatan

પાટણ માં ઉજવાયો ૧૨૮૦ મો સ્થાપના દિન

રાણીની વાવનો થયો સુરોથી શણગારઃ સુપ્રસિદ્ધ ગાયક ઓસમાણ મીરના સુરોમાં રંગાઈ રાણીની વાવ

Last updated: 2025/02/21 at 4:47 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે સંગીત સમારોહ યોજાયો

આજનો દિવસ પાટણ માટે ગૌરવ અને ઉત્સાહનો દિવસ” કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પાટણ મ્યુઝિયમ, રાજમાતા નાયિકાદેવી સંગ્રહાલય નામાંકરણથી પ્રવાસનને વેગ મળશે પ્રવાસન અને વન મંત્રી મૂળુભાઈ બેરા

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતુ હોય છે. જે અન્વયે પાટણ જિલ્લાની આન,બાન અને શાન એવી વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પ્રવાસન અને વન મંત્રી મૂળુભાઈ બેરાની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં ‘’રાણીની વાવ ઉત્સવ-2025’’ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી ઓસમાણ મીરે જોરદાર જમાવટ કરી હતી.

પાટણવાસીઓ ઓસમાણ મીરના તાલે ઝુમી ઉઠ્યા હતા. ઓસમાણ મીરની સાથે સુપ્રસિદ્ધ લોકગાયિકા સુશ્રી અપેક્ષા પંડ્યા પણ જોડાયા હતા. ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ-2025 નુ આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદેશ્ય આજના યુવાઓને ભારતીય સંસ્કૃતિ અને લોકકલાઓથી વાકેફ કરવાનો છે. આજરોજ ઐતિહાસીક નગરી પાટણનો 1280મો સ્થાપના દિવસ છે. પાટણના સ્થાપના દિવસે મંત્રી બળવંતસિંહ રાજપૂતની અઘ્યક્ષતામાં આયોજીત આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર અને કલાકારવૃંદ ઓસમાણ મીર તથા સુપ્રસિદ્ધ લોકગાયિકા અપેક્ષા પંડ્યાએ પોતાના તાલે રાણકી વાવને રંગી દીધી હતી. લીલીછમ હરીયાળી વચ્ચે રાણકી વાવની સુંદરતા અને એમાંય ઓસમાણ મીરના સુપ્રસિદ્ધ ગીતો…! રાણકી વાવની સુંદરતામાં આજે ચાર ચાંદ લાગી ગયા હતા. રાણકી વાવનો આજે જાણે ખરા અર્થમાં સુરોથી શણગાર થયો હોય તેવું લાગી રહ્યું હતુ.

સંગીત સમારોહમાં પાટણની જનતાને સંબોધિત કરતા કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતે પાટણનાં 1280 માં સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતુ કે, આજનો દિવસ પાટણ માટે ઉત્સાહ અને ગૌરવનો દિવસ છે. પ્રાચીન સમયમાં ભારતવર્ષ માંથી 25% વેપાર ઐતિહાસિક પાટણ નગરીમાં થતો હતો. પાટણ શહેરનો સમાવેશ ભારતના 10 મોટા શહેરમાં થતો હતો. મંત્રીએ જણાવતા કહ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધા નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોને લીધે યુનેસ્કો દ્વારા વર્ષ 2014માં રાણીની વાવને વિશ્વ વિરાસતનો દરજ્જો મળ્યો અને ત્યારબાદ રાણીની વાવની પ્રતિકૃતિ રૂ.100 ની ચલણી નોટ પર અંકિત કરવામા આવી. આજે દેશ-વિદેશથી લોકો રાણીની વાવની મુલાકાતે આવી રહ્યાં છે. વિરાસતની પરંપરાને આગળ ધપાવતા રાજ્ય સરકાર દ્વારા પાટણ મ્યુઝીયમનું નામ બદલીને રાજમાતા નાયિકાદેવી સંગ્રહાલય કરતા પાટણવાસીઓ રાજમાતા નાયિકાદેવીના ગૌરવપૂર્ણ ઇતિહાસથી પરિચિત થશે.

‘’રાણીની વાવ ઉત્સવ-2025’’ પ્રસંગે પ્રવાસન વન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ પ્રસંગે અને પાટણ શહેરના સ્થાપના દિવસે પાટણ નગરજનોને શુભેચ્છા આપુ છું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી જ વિકાસની સાથે વિરાસત ઉજાગર કરવાનું કામ ચાલુ કર્યું. જેના લીધે પાટણનું પટોળું, રાણીની વાવને દેશ અને દુનિયામાં સ્થાન મળ્યું છે. પાટણ સ્થાપના દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા પાટણની વિરાસત વિશ્વમાં ઉજાગર થાય તે માટે પાટણ મ્યુઝીયમનું નવું નામ રાજમાતા નાયિકાદેવી સંગ્રહાલય આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. પાટણની સ્થાપના દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા રાજમાતા નાયિકાદેવીને સાચી શ્રદ્ધા સુમન કરવામાં આવી છે. રાજમાતા નાયિકાદેવી સંગ્રહાલય નામાંકરણથી પાટણ જિલ્લામાં પ્રવાસીઓ આવશે જેથી પ્રવાસનને વેગ મળશે તેનો મને વિશ્વાસ છે.

આજરોજ આયોજીત સંગીત સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, નગર પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, પ્રાંત અધિકારી તેમજ અધિકારી – કર્મચારીઓ, સંગઠનના હોદ્દેદારો, બહોળી સંખ્યામાં પાટણની જનતા ઉપસ્થિત રહી હતી.

 

 

રિપોર્ટર-ભરત પંચાલ (પાટણ)

You Might Also Like

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી

બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે

અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત

રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143

TAGGED: ૧૨૮૦ મો સ્થાપના દિન, 1280th foundation day celebrated, A day of pride and joy, Legendary Pilgrimages, oneindia, oneindianews, patan, Patan Collector, patan news, Patan Police, topnews, topnewschannelinindia, પાટણ, રાણીની વાવ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 21, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અહીં આવેલું છે ભગવાન શિવનું સૌથી ઊંચું મંદિર, મહાભારત સાથે જોડાયેલો છે ઈતિહાસ
Next Article રોજ એક કેળુ ખાવાની કરો શરૂઆત, સેવન કરવાથી શરીરને થશે ઘણા ફાયદા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
Gujarat મે 17, 2025
બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે
Gujarat મે 17, 2025
અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી
Gujarat Kheda મે 17, 2025
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?