બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનું પતન અને મોહમ્મદ યૂનુસના સત્તામાં આવ્યા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સબંધોમાં તણાવ આવી ગયો છે. હિન્દુઓ વિરુદ્ધ થતી હિંસા પર ભારત અવાજ ઉઠાવી રહ્યો છે. બીજી તરફ બાંગ્લાદેશની વચગાળાની સરકાર ભારત સાથેના સંબંધોને વધુ ખરાબ કરવામાં કોઈ કસર નથી છોડી રહી.
તાજેતરમાં જ ઓમાનમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે બાંગ્લાદેશના વિદેશી બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈન સાથે મુલાકાત કરી હતી. પરંતુ બાંગ્લાદેશ સુધરવાનું નામ નથી લઈ રહ્યું. મુલાકાતના લગભગ એક અઢવાડિયા બાદ વિદેશમંત્રી જયશંકરે બાંગ્લાદેશના શત્રુતાપૂર્ણ વ્યવહારનો મુદ્દો ઉઠાવ્યો છે.