ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ સતત વધી રહ્યો છે, અને તે કર્મચારીઓના સેલેરી સ્ટ્રક્ચરમાં પણ બદલાવ લાવી શકે છે. મોટી કંપનીઓ આગામી ૩-૪ વર્ષમાં AI આધારિત પ્રિડિક્ટિવ મોડેલ્સ અપનાવીને સેલેરી પેકેજ નક્કી કરવાની યોજના બનાવી રહી છે. AIના ઉપયોગથી કંપનીઓ કર્મચારીઓની કાર્યક્ષમતા, બજારના ટ્રેન્ડ્સ અને અન્ય સંબંધિત પરિબળોને ધ્યાનમાં રાખીને વધુ સચોટ અને ન્યાયસંગત સેલેરી સ્ટ્રક્ચર બનાવી શકે છે.
માઇક્રોસોફ્ટે 2030 સુધીમાં એક કરોડ ભારતીયોને AI ક્ષેત્રમાં તાલીમ આપવાની જાહેરાત કરી છે, જે દેશના AI ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે.
આ ઉપરાંત, 2025ના બજેટમાં AI સેન્ટર માટે રૂ. 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે AI સંશોધન અને વિકાસને વેગ આપશે.
AIના વધતા ઉપયોગ સાથે, નોકરીઓના સ્વરૂપમાં પણ બદલાવ આવશે. કેટલાક પરંપરાગત કાર્યસ્થળો બદલાશે, પરંતુ AI નવી તકો અને નોકરીઓનું સર્જન પણ કરશે. મહત્વપૂર્ણ છે કે કર્મચારીઓ સતત નવી સ્કિલ્સ શીખે અને પોતાને અપડેટ રાખે, જેથી તેઓ આ બદલાતા પરિસ્થિતિમાં સફળ રહી શકે.
સામાન્ય રીતે, AIનો ઉપયોગ સેલેરી સ્ટ્રક્ચરમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા માટે થઈ રહ્યો છે, જે કંપનીઓ અને કર્મચારીઓ બંને માટે લાભદાયક સાબિત થઈ શકે છે.
કંપનીના રિપોર્ટ અનુસાર, ૧૦માંથી ૬ કંપનીઓ કર્મચારીઓની સેલેરી અને ઈન્સેન્ટિવ વિશે નિર્ણય લેવા માટે એઆઈનો ઉપયોગ કરવા ઈચ્છુક છે. પગાર નક્કી કરવાની સાથે જ રિયલ-ટાઈમ પે ઈક્વિટી એનાલિસિસ અને કસ્ટમાઈઝ્ડ બેનિફિટ્સ માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે જ આવનારા સમયમાં કંપનીઓ ફિક્સ્ડ સેલેરી સ્ટ્રક્ચરથી હટીને એઆઈ આધારિત પૂર્વાનુમાન અને રિયલ ટાઈમ સેલેરી રિવિઝનની તરફ આગળ વધશે.
ઘણી વખત આરોપ લાગતા હોય છે કે, એચઆર મેનેજરો દ્વારા વ્હાલાદવલાની નીતિના આધારે અમુક કર્મચારીઓને પગારમાં વધારો મળે છે. જ્યારે, ઘણા મહેનતી કર્મચારીઓ રહી જાય છે. એઆઈ પગાર નક્કી કરવાની રીતને વધુ પારદર્શક બનાવે છે. બ્લોકચેન અને સ્માર્ટ કોન્ટ્રેક્ટ પગાર ચુકવણીને સુરક્ષિત અને ઓટોમેટેડ બનાવી રહ્યાં છે. એઆઈ ટેકનોલોજીએ સેલેરી નક્કી કરવાની પ્રણાલીની બહાર નવી શક્યતાઓ ખોલી છે. પગાર અને બોનસ નક્કી કરવા માટે ૨૦૨૮ સુધીમાં એઆઈની ભૂમિકા જોવા મળશે.
ભારતમાં ૨૦૨૫માં સરેરાશ પગાર વધારો ૯.૪ ટકા રહેવાની સંભાવના છે. જેમાં, ઈ-કોમર્સમાં ૧૦.૫ ટકા, ફાઈનેંશિયલ સર્વિસિઝમાં ૧૦.૩ ટકા, ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સમાં ૧૦.૨ ટકા, આઈટીમાં ૯.૬ ટકા અને આઈટી-ઈનેબલ્ડ સર્વિસિઝમાં ૯ ટકાનો પગાર વધારો થશે. આ સિવાય રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ૨૦૨૩માં ૧૮.૩ ટકાની સરખામણીમાં ૨૦૨૪મા ૧૭.૫ ટકા કર્મચારીઓ કંપની છોડી છે. જે દર્શાવે છે કે, આર્થિક સ્થિરતા જાળવવા અને ટેલેન્ટને બચાવવા માટે કંપનીઓ પ્રતિબદ્ધ બની છે.