કાલિયાવાડી બ્રીજની કામગીરીને લઈને પાણીની લાઈનને અલગ કરી દેવાઈ હતી. જોકે, બે દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ હોવા છતાં પાલિકાના અધિકારી કે કર્મચારીઓને સમારકામ કરવાનો સમય મળ્યો ન હતો. બાદમાં સોશિયલ મીડિયા વીડિયો વ્હેતો થયા બાદ મનપા દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
હજારો લાખો લીટર પાણી વેડફાઈ જવાને કારણે સ્થાનિક વિસ્તારોમાં પાણીની અછત સર્જાવા પામી હતી. તો ઘરોમાં પાણી ન આવતા લોકોએ વ્યય થઈ રહેલા પાણીમાંથી પોતાના માટે પાણી ભર્યું હતું. એક તરફ નવસારીના સાંસદ કેન્દ્રમાં જળશક્તિ મંત્રી છે અને પાણી બચાવવા અને જળ સંચય માટે ભાર આપી રહ્યા છે તેવામાં મનપાની આવી વિરોધાભાસ કામગીરી પ્રશ્નો ઉભા કરી રહી છે.