click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: શ્રદ્ધાપૂર્વક અહીં દર્શન કરવા આવનારની દરેક આશા પૂર્ણ કરે છે મા આશાપુરી, 800 વર્ષ પહેલા થઇ હતી સ્થાપના
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > શ્રદ્ધાપૂર્વક અહીં દર્શન કરવા આવનારની દરેક આશા પૂર્ણ કરે છે મા આશાપુરી, 800 વર્ષ પહેલા થઇ હતી સ્થાપના
Gujarat

શ્રદ્ધાપૂર્વક અહીં દર્શન કરવા આવનારની દરેક આશા પૂર્ણ કરે છે મા આશાપુરી, 800 વર્ષ પહેલા થઇ હતી સ્થાપના

શ્રદ્ધા તેમજ ભક્તિથી મંદિરની મુલાકાત લેનારા લોકોની તમામ આશાઓ મા આશાપુરી થકી પૂરી થાય છે. જેના પગલે કેટલાય ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓ પોતાની માનેલી માનતાઓ પૂર્ણ કરવા હજારો કિલોમીટર દૂરથી આશાપુરી મંદિરે આવે છે. અને મા આશાપુરીના દર્શનથી કૃતજ્ઞતા અનુભવે છે.

Last updated: 2025/03/04 at 3:55 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

સાબરકાંઠાના હિંમતનગરથી ખેડગામ થઈને 22 કિલોમીટર અને હિંમતનગર નેશનલ હાઇવે 48 ગાંભોઈથી માત્ર સાત કિમીના અંતરે મા આશાપુરી બિરાજમાન છે. હિંમતનગર તાલુકાના હિંમતપુર ગામની સીમમાં અરવલ્લીની ગિરમાળાઓ વચ્ચે કુદરતી સૌંદર્ય સાથે 800 વર્ષ જૂનું આશાપુરી માનું મંદિર આવેલું છે. વર્ષો પહેલા સ્થાપિત થયેલું આ મંદિર ત્રણ ગામની વચ્ચે આવેલું છે.

હિંમતપુર ગામના ડોક્ટર જગન્નાથ નામના વ્યક્તિને મા આશાપુરીએ સ્વપ્નમાં આવી સ્થાનિક જગ્યાએ પ્રગટ થવાની વાત કરી હતી. લોકો પોતાના પર વિશ્વાસ કેમ કરશે તે શંકા ડોકટરે માતાજી સમક્ષ વ્યક્ત કરતા માતાજી હિંમતપુરના ત્રણ ગામના આગેવાન ગણાતા મૂખીના સ્વપ્નમાં પણ આવ્યા હતા અને સ્થાનિક લોકોને આ વાતની જાણ કરી પછી આ મંદિરનું નિર્માણ થયું હતુ. હજારો લોકો મા આશાપુરીના નિયમિત દર્શને આવે છે. શ્રદ્ધા તેમજ ભક્તિના અનોખા સંયોગના પગલે અહીં આવનારા દરેક વ્યક્તિને મા આશાપુરીના હજારો પરચા મળતા રહે છે. કેટલાય વર્ષોથી નિયમિતપણે મા આશાપુરી મંદિરે આવનારા ભક્તોની દરેક આશા પૂરી થતા ભાવિકોને મા પર અતૂટ શ્રદ્ધા છે.

મા આશાપુરીના મંદિરે ચૈત્ર નવરાત્રી અને આસો સુદ નવરાત્રીમાં આઠમના દિવસે મેળો ભરાય છે જેમાં હજારોની સંખ્યામાં લોકો આવે છે અને માતાજીના આશીર્વાદ લે છે. મંદિરે પૂનમના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરે છે અને ભોજન પ્રસાદનો લાભ લે છે. હિંમતપુર ગામ પાસે આવેલા આશાપુરી મંદિરે બે બહેનો બિરાજે છે. જેમાં એકનું નામ આશા અને એક નામ પૂરી છે જે નાની પ્રતિમા છે તે આશા મા ની છે અને જે મોટી પ્રતિમા છે પૂરી મા ની છે આમ બંને બહેનોના નામથી આશાપુરી નામ પડ્યું છે.

હિંમતપુરની આજુબાજુના ગામોમાં વસતા લોકોની આસ્થાનું કેન્દ્ર છે મા આશાપુરીધામ. આમ તો સામાન્ય રીતે જગતજનની મા જગદંબા વિવિધ સ્વરૂપે પૃથ્વી ઉપર વિચરણ કરે છે જોકે આજે પણ કેટલીય જગ્યાઓ એવી છે કે જ્યાં માં જગદંબા પ્રગટ સ્વરૂપે કેટલાય લોકોના દુઃખ દર્દ તેમજ સમસ્યાઓનું નિરાકરણ કરતા હોય છે. સાથોસાથ શ્રદ્ધા તેમજ ભક્તિથી મંદિરની મુલાકાત લેનારા લોકોની તમામ આશાઓ મા આશાપુરી થકી પૂરી થાય છે. જેના પગલે કેટલાય ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓ પોતાની માનેલી માનતાઓ પૂર્ણ કરવા હજારો કિલોમીટર દૂરથી આશાપુરી મંદિરે આવે છે. અને મા આશાપુરીના દર્શનથી કૃતજ્ઞતા અનુભવે છે.
હિંમતપુરની આજુબાજુના ગામોમાં વસતા લોકોની આસ્થાનું કેન્દ્ર છે મા આશાપુરીધામ. આમ તો સામાન્ય રીતે જગતજનની મા જગદંબા વિવિધ સ્વરૂપે પૃથ્વી ઉપર વિચરણ કરે છે જોકે આજે પણ કેટલીય જગ્યાઓ એવી છે કે જ્યાં માં જગદંબા પ્રગટ સ્વરૂપે કેટલાય લોકોના દુઃખ દર્દ તેમજ સમસ્યાઓનું નિરાકરણ કરતા હોય છે. સાથોસાથ શ્રદ્ધા તેમજ ભક્તિથી મંદિરની મુલાકાત લેનારા લોકોની તમામ આશાઓ મા આશાપુરી થકી પૂરી થાય છે. જેના પગલે કેટલાય ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓ પોતાની માનેલી માનતાઓ પૂર્ણ કરવા હજારો કિલોમીટર દૂરથી આશાપુરી મંદિરે આવે છે. અને મા આશાપુરીના દર્શનથી કૃતજ્ઞતા અનુભવે છે.
ગ્રામવાસીઓ પોતાના પશુઓને કોઈપણ બિમારી હોય ત્યારે પણ દવા સાથે માતાજીની બાધા પણ રાખે છે અને માતાજીના આશીર્વાદથી તેમના પશુઓને પણ રક્ષણ મળે છે ખાસ કરીને માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે આશાપુરી મા ના મંદિરે આવતા ભક્તજન પોતાના જીવનમાં આવતી દરેક વિપત્તિમાંથી છુટકારો મેળવે છે. સંતાન પ્રાપ્તિ, નોકરી અને લગ્નજીવન માટે મા આશાપુરી શરણે અનેક ભાવિકો આવે છે અને માતાજીના આશીર્વાદથી તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ પણ થાય છે.

કચ્છમાં આવેલા માતાના મઢ મા આશાપુરાના મંદિરે ના જઈ શકતા ભાવિકો હિંમતપુરના મંદિરે આવી કચ્છમાં માતાજીના દર્શન કર્યાનો સંતોષ માને છે.

You Might Also Like

યુદ્ધ વિરામ! અમેરિકાએ ભારત-પાક વચ્ચે કરી મધ્યસ્થી, ટ્રમ્પે એક્સ પર પોસ્ટ કરતા કહી દિધી આ મોટી વાત

ભારતની બરાક-8 મિસાઇલે પાકિસ્તાનના ફતેહ-1 ને હરાવ્યું, જાણો આ બાહુબલી હથિયારની ખાસિયત

જૂના PF અકાઉન્ટને નવી કંપનીમાં નથી કર્યું ટ્રાન્સફર તો શું મળશે વ્યાજ, જાણો નિયમ

શું મોદી સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ સત્તાવાર યુદ્ધની કરી દીધી જાહેરાત? જો હવે કોઈ આતંકવાદી હુમલો થયો તો

બાડમેરમાં બહારના લોકોની એન્ટ્રી બંધ, જેસલમેરમાં વાહનના અવરજવર પર પણ રોક

TAGGED: Farm village, fulfills every wish, Himmatnagar of Sabarkantha, Maa Ashapuri, oneindia, oneindianews, topnews, topnewschannelinindia, મા આશાપુરીના મંદિરે, હિંમતનગર નેશનલ હાઇવે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 4, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઓક્ટોબર-ડિસેમ્બરમાં ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ 5.6 ટકા ઘટીને 10.9 અબજ ડોલર રહ્યું
Next Article ઝેલેન્સકીને ટ્રમ્પનો મોટો ફટકો! યુક્રેનને સૈન્ય સહાય પર પ્રતિબંધ અને મોટો ફરમાન જારી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

યુદ્ધ વિરામ! અમેરિકાએ ભારત-પાક વચ્ચે કરી મધ્યસ્થી, ટ્રમ્પે એક્સ પર પોસ્ટ કરતા કહી દિધી આ મોટી વાત
Gujarat મે 10, 2025
ભારતની બરાક-8 મિસાઇલે પાકિસ્તાનના ફતેહ-1 ને હરાવ્યું, જાણો આ બાહુબલી હથિયારની ખાસિયત
Gujarat મે 10, 2025
જૂના PF અકાઉન્ટને નવી કંપનીમાં નથી કર્યું ટ્રાન્સફર તો શું મળશે વ્યાજ, જાણો નિયમ
Gujarat મે 10, 2025
શું મોદી સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ સત્તાવાર યુદ્ધની કરી દીધી જાહેરાત? જો હવે કોઈ આતંકવાદી હુમલો થયો તો
Gujarat મે 10, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?