સાઉદી અરેબિયાથી પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલગામ આતંકવાદી હુમલાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA), વિદેશ મંત્રી (EAM) અને વિદેશ સચિવ (FS) સાથે એક કટોકટી બેઠક યોજી હતી.
Leaving for Jeddah, Saudi Arabia, where I will be attending various meetings and programmes. India values our historic relations with Saudi Arabia. Bilateral ties have gained significant momentum in the last decade. I look forward to participating in the 2nd Meeting of the…
— Narendra Modi (@narendramodi) April 22, 2025
જયશંકર અને ડોભાલ સાથે બેઠક યોજી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાથી પરત ફરતાની સાથે જ પહેલગામ આતંકવાદી હુમલા અંગેની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, વિદેશ મંત્રી (EAM) એસ. જયશંકર અને વિદેશ સચિવ (FS) સાથે તત્કાલીન બેઠક યોજી અને સમગ્ર પરિસ્થિતિનો તાકીદનો અહેવાલ મેળવ્યો.
અધિકારી-આર્મીને ખુલ્લી છુટ
આ હુમલાને ગંભીરતાને જોતા પીએમ મોદીએ અધિકારીઓને કડક સૂચના આપી હતી કે આતંકવાદનો સામનો કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવે અને ઘાયલોને તાત્કાલિક તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવે. આ આતંકવાદી હુમલાને કારણે, પીએમ મોદીએ સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાત ટૂંકી કરવાનો અને મંગળવારે સ્વદેશ પરત ફરવાનો નિર્ણય લીધો હતો. પીએમ મોદી સાઉદી અરેબિયા દ્વારા આયોજિત સત્તાવાર રાત્રિભોજનમાં પણ હાજર રહ્યા હતા. તત્કાલ મુલાકાત ટુંકાવીને તેઓ સ્વદેશ પરત ફરવા માટે રવાના થયા હતા.
I strongly condemn the terror attack in Pahalgam, Jammu and Kashmir. Condolences to those who have lost their loved ones. I pray that the injured recover at the earliest. All possible assistance is being provided to those affected.
Those behind this heinous act will be brought…
— Narendra Modi (@narendramodi) April 22, 2025
પીએમ મોદીએ આતંકવાદી હુમલાની નિંદા કરી
અગાઉ, પીએમ મોદીએ આતંકવાદી હુમલાની નિંદા કરતા કહ્યું કે, આતંકવાદીઓને છોડવામાં નહી આવે. તેમણે ‘X’ પર કહ્યું, “હું જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલ લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી હું કામના કરું છું. અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.” તેમણે કહ્યું, “આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લવાશે…તેમને છોડવામાં નહી આવે. તેમનો નાપાક એજન્ડા ક્યારેય સફળ નહી થાય. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ મક્કમ છે અને તે વધુ મજબૂત બનશે.”