ધોરણ-૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો સહિત પ્રેરણાદાયી લેખો વિશેષાંકમાં મળશે
રાજપીપલા,મંગળવાર વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે આશયથી પ્રતિવર્ષ પરંપરાની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા “કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫” પ્રકાશિત કરવામાં આવ્યો છે.
આ અંકમાં પ્રેરણાદાયી લેખો, ધો-૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો, કોલેજો, યુનિવર્સિટીઓ, કારકિર્દીના વિવિધ વિકલ્પો, રોજગારી-સ્વરોજગારીની તકો, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના વિવિધ અભ્યાસક્રમો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને ન્યૂ મીડિયા ક્ષેત્રમાં તકો, અગત્યની વેબસાઈટ્સ સહિતનું માર્ગદર્શન સમાવિષ્ટ છે.
આ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક મેળવવા માટે જિલ્લા માહિતી કચેરી, કલેક્ટર કચેરીના ભોંયતળીયે નર્મદા ખાતેથી રૂા.૨૦/-ની કિંમતે વહેલા તે પહેલાના ધોરણે મળી શકશે.