આ પ્રસંગે માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાત્મક કાર્યક્રમ ‘મન કી બાત’ના 122મા એપિસોડનું સામૂહિક નિરીક્ષણ થયું, જેના ઉર્જાવાન સંદેશે ઉપસ્થિત લોકોના હૃદયમાં રાષ્ટ્રભક્તિ, જનસેવા અને સંસ્કૃતિનો નવો ઉત્સાહ જગાવ્યો.
આ કાર્યક્રમમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિએ રાષ્ટ્રભક્તિ અને સેવાના સંકલ્પોને નવી દિશા આપી. 300થી વધુ ભજન મંડળીઓને વાજિંત્ર કીટનું વિતરણ કરવામાં આવ્યું, જે ભક્તિ અને સંસ્કૃતિના સંવર્ધન માટે મહત્વનું પગલું છે. ‘મન કી બાત’ના 122મા એપિસોડમાં વડાપ્રધાનએ ‘ઓપરેશન સિંદૂર’ની બહાદુરી, એશિયાઈ સિંહોની વસ્તીમાં વધારો, ડ્રોન દિદીની કૃષિ ક્રાંતિ, ‘સુગર બોર્ડ’ની શૈક્ષણિક પહેલ, અને ‘વિશ્વ મધમાખી દિવસ’ના મહત્વ પર પ્રકાશ પાડ્યો, જેણે ઉપસ્થિત લોકોને દેશની પ્રગતિ અને આત્મનિર્ભરતા માટે પ્રેરણા પૂરી પાડી.
આ પ્રસંગે નર્મદા ભાજપ પ્રમુખ નિલકુમાર રાવ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, ધારાસભ્ય ડૉ.દેશમુખ,સ્વામિનારાયણ સંપ્રદાયના કેશવચરણદાસજી, સ્વામી કપિલ જીવનદાસજી, સંત નૌતમ સ્વામી, સિદ્ધેશ્વર સ્વામીજી, પૂજ્ય શૈલેશ્વર સ્વામીજી, પૂજ્ય પી.પી. સ્વામીજી, પૂજ્ય મહામંડલેશ્વર વિવેકાનંદ સરસ્વતીજી, પૂજ્ય મહંત અખંડાનંદ સરસ્વતીજી, પૂજ્ય મહામંડલેશ્વર રાજેન્દ્રાનંદગીરીજી સહિત ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો, ભજન મંડળો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
ભાજપના આગેવાનોએ ‘મન કી બાત’ નિહાળી અને રાષ્ટ્રસેવાના સંકલ્પને મજબૂત કર્યો.
‘મન કી બાત’ દેશના જન-જનનો અવાજ બનીને લોકપ્રેરણા અને સેવાભાવનો અખંડ પ્રવાહ રૂપે ઉભરી રહ્યો છે. આ કાર્યક્રમે રાષ્ટ્રભક્તિ, સંસ્કૃતિ અને સેવાના સમન્વય દ્વારા ઉપસ્થિત દરેકમાં નવો જોશ ભર્યો, જે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશે.