હાલમાં ભારતમાં ચાર GST ટેક્સ સ્લેબ લાગુ છે – 5%, 12%, 18% અને 28%. પરંતુ હવે GST ને ત્રણ સ્લેબ સુધી મર્યાદિત કરવાની યોજના છે. આનાથી કર વ્યવસ્થા સરળ બનશે એટલું જ નહીં પરંતુ સરકાર માટે મહેસૂલ સંતુલન પણ જળવાઈ રહેશે.
🚨GST Council may propose reducing GST slabs from four to three by eliminating 12% slab.
Currently, India has four GST- slab regime – 5%, 12%, 18% and 28%. pic.twitter.com/NImDoFQ5Cy
— Indian Infra Report (@Indianinfoguide) June 5, 2025
મંત્રીઓના જૂથ (GoM) ના સલાહકાર અધિકારીઓ અને નિષ્ણાતો લગભગ સંમત થયા છે કે 12% ટેક્સ સ્લેબ હવે જરૂરી નથી. આ ફેરફારને ટેક્સને ન્યૂટ્રલ રાખીને ટેક્સ ( તર્કસંગતકરણ) rationalization ના ભાગ રૂપે માનવામાં આવી રહ્યો છે. જોકે અંતિમ નિર્ણય GST કાઉન્સિલની આગામી બેઠકમાં લેવામાં આવશે.
The GST Council is considering eliminating the 12% tax slab to simplify the tax structure by moving items into the 5% or 18% brackets.
This change aims to streamline the current four-tier GST system and achieve revenue neutrality pic.twitter.com/grGTz93gmD
— Taxology India (@taxologyin) June 5, 2025
જો 12% ટેક્સ સ્લેબ દૂર કરવામાં આવે છે. તો તેના હેઠળ આવતા ઉત્પાદનો અને સેવાઓને 5% ટેક્સ સ્લેબમાં મૂકવામાં આવશે અથવા તેમને 18% ટેક્સ સ્લેબમાં ખસેડવામાં આવશે. આનો અર્થ એ છે કે કેટલીક વસ્તુઓ સસ્તી થશે. જ્યારે કેટલીકની કિંમતો વધી શકે છે.
GST કાઉન્સિલ તેની આગામી બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરશે. જે જૂનના અંતમાં અથવા જુલાઈની શરૂઆતમાં યોજાઈ શકે છે. સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે અને તે પહેલાં તેના પર નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. જોકે અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી GoMનો અંતિમ અહેવાલ GST કાઉન્સિલને સુપરત કરવામાં આવ્યો નથી. અત્યાર સુધી કોઈપણ ટેક્સ સ્લેબમાં ઘટાડો અથવા મુક્તિ માટે કોઈ ઔપચારિક ભલામણ કરવામાં આવી નથી.
જો આ દરખાસ્ત મંજૂર થાય છે તો તેની સીધી અસર ઘરના બજેટ પર પડશે. જે વસ્તુઓનો ટેક્સ 12% થી ઘટીને 5% થશે તે પેક્ડ ફૂડ કે સ્ટેશનરી જેવી સસ્તી થશે. જ્યારે જે વસ્તુઓનો ટેક્સ 18% થશે તેની કિંમત હોટલ સેવાઓ કે હવાઈ મુસાફરી જેવી વધશે.