click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘વિમાન સુરક્ષા પર ધ્યાન આપો, ઉડાન સંચાલનમાં કડકાઈ વધારો’, DGCAએ એર ઈન્ડિયાના CEOને આપ્યા કડક નિર્દેશ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > ‘વિમાન સુરક્ષા પર ધ્યાન આપો, ઉડાન સંચાલનમાં કડકાઈ વધારો’, DGCAએ એર ઈન્ડિયાના CEOને આપ્યા કડક નિર્દેશ

‘વિમાન સુરક્ષા પર ધ્યાન આપો, ઉડાન સંચાલનમાં કડકાઈ વધારો’, DGCAએ એર ઈન્ડિયાના CEOને આપ્યા કડક નિર્દેશ

Last updated: 2025/06/18 at 11:53 એ એમ (AM)
One India News Team
Share
5 Min Read
SHARE

દેશમાં  એક જ દિવસમાં એર ઈન્ડિયાની સાત ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. જેને લઈને અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આ વચ્ચે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને (DGCA) એરલાઈન્સના અધિકારીઓની તાત્કાલીક બેઠક બોલાવી હતી. વાસ્તવમાં અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશની ભયાવહ દુર્ઘટના બાદ રોજબરોજ ફ્લાઈટમાં ખામીના સમાચાર મળી રહ્યા છે. આજે એર ઈન્ડિયાની કુલ સાત ફ્લાઈટ ટેક્નિકલ તથા અન્ય કારણોસર ઉડાન ભરી શકી ન હતી. એર ઈન્ડિયાની દિલ્હીથી પેરિસ, લંડનથી અમૃતસર, સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ અને અમદાવાદથી લંડન આવતી ફ્લાઈટ રદ કરવામાં આવી છે. સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા, બેંગ્લુરૂથી લંડન જતી ફ્લાઈટ પણ રદ થઈ હતી. મોટાભાગની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. રદ થયેલી ફ્લાઈટ્સમાં છ બોઈંગ 787-8 ડ્રીમલાઈનર હતી. આ મોડલ જ અમદાવાદમાં ક્રેશ થયુ હતું.

Contents
ફ્લાઈટ રદ થતા અનેક મુસાફરો મુશ્કેલીમાંવિશેષ બેઠકમાં કયા કયા મુદ્દાઓ પર મંથન થયું?આ સાત ફ્લાઇટ્સ કેન્સલ થઈફ્લાઈટો રદ થવાનું કારણ ડીજીસીએનો આદેશડીજીસીએએ શું આપ્યો હતો આદેશ?

Director General of the Directorate General of Civil Aviation (DGCA), Faiz Ahmed Kidwai to chair a virtual meeting with Air India & Air India Express today: DGCA

— ANI (@ANI) June 17, 2025

ફ્લાઈટ રદ થતા અનેક મુસાફરો મુશ્કેલીમાં

DGCAના ડિરેક્ટર જનરલે એર ઈન્ડિયાના અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક બોલાવી હતી. DGCAના ડિરેક્ટર જનરલ ફૈઝ અહેમદ કિદવઈએ આજે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ સાથે વર્ચ્યુઅલ બેઠકની અધ્યક્ષતા કરી હતી.

DGCAએ એર ઈન્ડિયાને ખાસ કરીને વિમાન સુરક્ષા અને મેઇન્ટેનન્સ પર સરખું ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે. કોઈપણ ટેકનિકલ ખામીને નજરઅંદાજ ન કરી શકાય અને દરેક વિમાનને ઉડાન પહેલા કડક સુરક્ષા માપદંડો પર ખરું ઉતરવું જોઈએ.

ઉડાનોના સંચાલનમાં કડકાઈ વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સમય પર ઉડાનોના સંચાલન એરલાઈનની સાખ અને મુસાફરોના ભરોસા માટે અનિવાર્ય છે. મોડી ઉડાનો અને કેન્સિલેશનની સ્થિતિમાં મુસાફરોને થઈ રહેલી અસુવિધાઓને ગંભીરતાથી લેવાઈ છે. એવી સ્થિતિમાં મુસાફરોને સ્પષ્ટ માહિતી અને સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવે.

DGCAએ એર ઈન્ડિયાથી ક્રાઇસિસ કોમ્યુનિકેશન (કટોકટી સંચાર) પ્રણાલીને વધુ પ્રભાવી બનાવવાની વાત કહી છે. એટલે કે કોઈપણ ઇમરજન્સી અથવા વિલંબ થવાની સ્થિતિમાં મુસાફરોને તાત્કાલિક માહિતી અને સહયોગ આપવો ફરજિયાત કરવામાં આવે.

વિશેષ બેઠકમાં કયા કયા મુદ્દાઓ પર મંથન થયું?

આ વિશેષ બેઠકમાં એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના વરિષ્ઠ અધિકારીઓને બોલવવામાં આવ્યા હતા. DGCAએ સ્પષ્ટ કર્યું કે, AI 171 ફ્લાઈટ દુર્ઘટના બાદ મુસાફરોની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે. એ નક્કી કરવામાં આવે કે કોઈપણ ઉડાનો પહેલા તમામ ટેક્નિકલ પરીક્ષણ સમયસર અને પ્રમાણિક રીતે કરવામાં આવે.

DGCA તરફથી કહેવામાં આવ્યું છે કે, ફ્લાઈટ મોડી પડે અથવા ટેક્નિકલ ખામી જેવી સ્થિતિમાં મુસાફરોને એલાઇન તરફથી મળતી માહિતી, સુવિધાઓ અને સેવા માપદંડોને સુધારવા જોઈએ.

આ સાત ફ્લાઇટ્સ કેન્સલ થઈ

AI915 – દિલ્હીથી દુબઈ – B788 ડ્રીમલાઇનર

AI153 – દિલ્હીથી વિયેના – B788 ડ્રીમલાઇનર

AI143 – દિલ્હીથી પેરિસ – B788 ડ્રીમલાઇનર

AI159 – અમદાવાદથી લંડન – B788 ડ્રીમલાઇનર

AI170 – લંડનથી અમૃતસર – B788 ડ્રીમલાઇનર

AI133 – બેંગલુરુથી લંડન – B788 ડ્રીમલાઇનર

AI179 – મુંબઈથી સાન ફ્રાન્સિસ્કો – B777 ડ્રીમલાઇનર

ફ્લાઈટો રદ થવાનું કારણ ડીજીસીએનો આદેશ

ફ્લાઈટો કેન્સલ થયા બાદ એરપોર્ટ પર ભારે હંગામો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓએ આક્ષેપ કર્યો છે કે, અમને ફ્લાઈટ કેન્સલ થવાની કોઈ સૂચના અપાઈ નથી. બીજીતરફ ડીજીસીએએ 13 જૂને આપેલા આદેશના કારણે ફ્લાઈટો કેન્સલ થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. ડીજીસીએનો આ આદેશ એર ઈન્ડિયાના બોઈંગ ડ્રીમલાઈનર ફ્લીટ પર લાગુ છે. જોકે એરલાઈન્સ તરફથી આ અંગે કોઈપણ નિવેદન જાહેર કરાયું નથી અને ફ્લાઈટ કેન્સલ કરવાનું કારણ પણ જાહેર કર્યું નથી. જોકે એરલાઈન્સે કહ્યું છે કે, ‘અમારા મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ અને તેમને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહ્યા છીએ. અમે હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ અને ટિકિટ રદ કરવા પર અથવા મફત વળતર પર ટિકિટની રકમનું સંપૂર્ણ રિફંડ પણ આપી રહ્યા છીએ.’

ડીજીસીએએ શું આપ્યો હતો આદેશ?

અમદાવાદમાં 12 જૂને એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયા બાદ DGCAએ 13 જૂને નવા આદેશ જાહેર કરી બોઈંગના તમામ ડ્રીમલાઈનર વિમાનોની સુરક્ષાની તપાસ કરવાની કામગીરી કડક બનાવી દીધી છે. અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર-એઆઈ-171 ટેકઓફ થતાની સાથે જ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયા બાદ ડીજીસીએએ આ નિર્દેશ જાહેર કર્યો હતો. ડીજીસીએએ એર ઈન્ડિયાને આદેશ આપેલો છે કે, એરલાઈન્સ તેની તમામ ફાઈટોનું ઉડ્ડન કરે તે પહેલા તેની વિશેષ તપાસ પ્રક્રિયા 15 જૂન-2025થી ફરજિયાત લાગુ કરે. ડીજીસીએએ ઉડ્ડયન પહેલા અનેક મહત્ત્વની ટેકનીકલ તપાસ જેમ કે ફ્યૂલ પેરામીટર મોનિટરિંગ, કેબિન એર કોમ્પ્રેસર સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક એન્જિન કંટ્રોલ ટેસ્ટ, એન્જીન ફ્યુઅલ એક્યુએટર ઓપરેશન, ઑઈલ સિસ્ટમ અને હાઇડ્રોલિક સિસ્ટમ સહિતની સિસ્ટમ પર વિશેષ તપાસ કરવાનો નિર્દેશ પણ આપેલો છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

You Might Also Like

અનિલ અંબાણીએ ફ્રાન્સ સાથે કર્યો મોટો સોદો, હવે ભારત આ રીતે બનશે એવિએશન સુપર પાવર

PM મોદીએ G7 સંમેલનમાં રજૂ કર્યો ‘ભારતનો 4A ફોર્મ્યુલા’, ભારતની અર્થવ્યવસ્થા અંગે પણ કહી મહત્ત્વની વાત

સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

GSTને લઈને 1 જુલાઈથી લાગુ થશે નવો નિયમ, હવે ત્રણ વર્ષ જૂનું પેન્ડિંગ GST રિટર્ન નહીં કરી શકો ફાઈલ

ક્રોએશિયાની રાજધાની જાગ્રેબ પહોંચ્યા PM મોદી, ભારતીય વડાપ્રધાનની પહેલી ઐતિહાસિક યાત્રા

TAGGED: air india, Air India CEO, Breaking news, cabin air compressor system, DGCA, electronic engine control test, engine fuel actuator operation, flight operations, Focus on aviation safety, Fuel parameter monitoring, guajrti news, Hydraulic system, latest news, oil system, oneindianews, topnews, એર ઈન્ડિયા, વિમાન સુરક્ષા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 18, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ટ્રમ્પ અને PM મોદી વચ્ચે અડધો કલાક ટેલિફોનિક વાતચીત થઇ, જાણો કયા-કયા મુદ્દા ચર્ચાયા
Next Article ઉત્તરપ્રદેશમાં ગોઝારો અકસ્માત : રેલિંગ સાથે અથડાતા કાર બની અગનગોળો, 5નાં મોત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અનિલ અંબાણીએ ફ્રાન્સ સાથે કર્યો મોટો સોદો, હવે ભારત આ રીતે બનશે એવિએશન સુપર પાવર
Gujarat જૂન 18, 2025
PM મોદીએ G7 સંમેલનમાં રજૂ કર્યો ‘ભારતનો 4A ફોર્મ્યુલા’, ભારતની અર્થવ્યવસ્થા અંગે પણ કહી મહત્ત્વની વાત
Gujarat જૂન 18, 2025
સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
Gujarat જૂન 18, 2025
GSTને લઈને 1 જુલાઈથી લાગુ થશે નવો નિયમ, હવે ત્રણ વર્ષ જૂનું પેન્ડિંગ GST રિટર્ન નહીં કરી શકો ફાઈલ
Gujarat જૂન 18, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?