ગોહિલવાડનાં ગૌરવરૂપ શિક્ષણક્ષેત્રે નવી કેડી કંડારનાર માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયને મોરારિબાપુનાં આશીર્વચન સાથે આગામી સોમવારે ‘દર્શક સન્માન’ અર્પણ થશે. માઈધારમાં રઘુવીરભાઈ ચૌધરીનાં અધ્યક્ષ સ્થાને સમારંભ યોજાશે.
સાહિત્ય, શિક્ષણ અને ગ્રામપુનરુત્થાન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાઓ કે સંસ્થાઓને પુરસ્કારવાનાં હેતુથી રચાયેલ મનુભાઈ પંચોળી ‘દર્શક’ ( ફાઉન્ડેશન ) સંસ્થા દ્વારા પંડિત સુખલાલજી લોકવિદ્યાલયને સન્માનિત કરાનાર છે. ગોહિલવાડનાં ગૌરવરૂપ માઈધાર સ્થિત આ લોકવિદ્યાલયને મોરારિબાપુનાં આશીર્વચન સાથે આગામી સોમવારે ‘દર્શક ( એવોર્ડ ) સન્માન’ અર્પણ થશે.
માઈધારમાં આગામી સોમવાર તા.૨૩નાં સાંજે ૪ વાગે રઘુવીરભાઈ ચૌધરીનાં અધ્યક્ષ સ્થાને સમારંભ યોજાશે, જેમાં પ્રકાશભાઈ ન. શાહ, મનસુખભાઈ સલ્લા અને અરુણભાઈ દવે પ્રાસંગિક પ્રવચન આપશે.
શિક્ષણક્ષેત્રે નવી કેડી કંડારનાર આ લોકવિદ્યાલયને અર્પણ થનાર સન્માન પ્રસંગે મનુભાઈ પંચોળી ‘દર્શક’ ( ફાઉન્ડેશન ) સંસ્થાનાં પ્રમુખ મધુકરભાઈ પારેખ અને પ્રકાશભાઈ ન. શાહ, રઘુવીરભાઈ ચૌધરી, મનસુખભાઈ સલ્લા, મહેન્દ્રસિંહ પરમાર, અજયભાઈ રાવલ તથા સંજયભાઈ ચૌધરી સંકલનમાં રહ્યાં છે. આ સમારંભમાં આવતાં રાત્રી રોકાણ કરનાર મહેમાન કાર્યકર્તાઓએ વ્યવસ્થા હેતુ અગાઉ હસમુખભાઈ દેવમુરારિ ( ૮૪૯૦૮૬૭૭૫૧ ) સાથે સંપર્ક કરવો તેમ અનુરોધ કરાયો છે.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel