ખેડા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિર, નડિયાદ ખાતે દર વર્ષે ઉનાળાના વેકેશનમાં ભગવત ગીતાજી વિશે વિદ્યાર્થીઓને જાણકારી મળે , વિદ્યાર્થીઓ નાનપણથી આધ્યાત્મિકતા તરફ વળે , ગીતાજી શું છે. એ જાણે તે માટે શ્રી સંતરામ મંદિર નડિયાદના મહંત પ.પૂ. રામદાસજી મહારાજની પ્રેરણા થી 90 વર્ષથી ગીતા જ્ઞાન પ્રચાર સત્ર ચાલે છે. જેમાં સમગ્ર રાજ્ય મા થી અને ખેડા – આણંદ જિલ્લામાં થી વિદ્યાર્થીઓ આવે છે.અને ગીતાજી ના શ્લોકો તત્કાલ કંઠસ્થ કરી બોલે છે. એક શ્લોક દીઠ જેટલા શ્લોક બોલાયા હોય તે મુજબ મહિનાના અંતે શૈક્ષણિક સાધન રૂપે પુરસ્કાર અપાય છે.
ત્યારે સુરતનો એક દિવ્યાંગ વિદ્યાર્થી જેનું નામ પ્રિન્સ દિલીપભાઈ મંત્રી, જેની ઉંમર 14 વર્ષની છે. તેના જન્મથી જ તે દિવ્યાંગ છે. તેના હાડકા એટલા બધા પોચા છે. તેને ઘણો જ સાચવવો પડે છે. તેમ છતાં હિંમત ના હારતા , તે બીજા વિદ્યાર્થીઓની જેમ અભ્યાસ કરી ધોરણ નવ પાસ કરી હવે ધોરણ 10મા આવ્યો છે. કોરોના દરમિયાન તેને જ્યારે ટીવી ઉપર રામાયણ જોયું અને કૃષ્ણ અને અર્જુનના સંવાદ સાંભળ્યા તે સાંભળી તેમાં તેને રૂચી લાગી અને તેની મમ્મીને આ વિશે પૂછ્યું. તેને તેની સમજ આપવામાં આવી અને ત્યારથી તેને ગીતાજીના શ્લોકો બોલીને કંઠસ્થ કરવા લાગ્યો. આજે એ આખી જ ગીતાજીના ૧૮ અધ્યાયના તમામ શ્લોકો કડકડાટ બોલે છે. એટલું જ નહીં સુંદરકાંડ , હનુમાન ચાલીસા અને હવે વેદ નો અભ્યાસ પણ ચાલુ કર્યો છે. તે વિદ્યાર્થી જન્મતાની સાથે જ દિવ્યાંગ હોવા છતાં અન્ય તમામ દિવ્યાંગો માટે પ્રેરણા રૂપ છે. આજે તે વિશેષ ગીતાજીના શ્લોકો બોલવા સુરત થી નડિયાદ તેના માતા પિતા સાથે, નડિયાદ સંતરામ મંદિર આવ્યો છે. સંતરામ મંદિર નડિયાદના મહંત પૂ.રામદાસજી મહારાજે તેને આશીર્વાદ આપી વિશેષ પુરસ્કાર અર્પણ કર્યો છે.