પાકિસ્તાનની કમર તોડી નાખતી ભારતની એર સ્ટ્રાઈક બાદ હવે ભારત સરકારના મોટા મંત્રીઓની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. ઓપરેશન સિંદૂરથી ઉત્સાહિત થયેલાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની પહેલી મોટી પ્રતિક્રિયા સામે આવી છે.
Proud of our armed forces.#OperationSindoor is Bharat’s response to the brutal killing of our innocent brothers in Pahalgam.
The Modi government is resolved to give a befitting response to any attack on India and its people. Bharat remains firmly committed to eradicating…
— Amit Shah (@AmitShah) May 7, 2025
શું બોલ્યાં અમિત શાહ
ભારતની કાર્યવાહીથી ખુશમિજાજમાં આવેલા અમિત શાહે ટ્વિટર પર લખ્યું કે આપણા સુરક્ષા દળો પર ગર્વ છે.. ઓપરેશન સિંદૂર પહેલગામમાં આપણા નિર્દોષ ભાઈઓની ઘાતકી હત્યાને અપાયેલો ભારતનો જડબાતોડ જવાબ છે. મોદી સરકાર ભારત અને તેના લોકો પર કોઈ પણ હુમલાને જડબાતોડ જવાબ આપવામાં કટિબદ્ધ છે. ભારત આતંકવાદના મૂળિયા ઉખેડી નાખવા પણ એટલું જ પ્રતિબદ્ધ છે.
શું બોલ્યાં જયશંકર
અડધી રાતે ભારતની પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક
પહેલગામ હુમલાના 15 દિવસ બાદ ભારતે બદલો લઈ લીધો છે. પહેલગામ હુમલા બાદ ભારતે આતંકીઓને ઠેકાણે પાડવા ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો છે. આ ઓપરેશન હેઠળ, ઈન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સે પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને 90 આતંકીઓને ઠેકાણે પાડી દીધાં હતા. ભારતે કોઈને પણ ગંધ ન આવે તે રીતે, રાત્રે 1:30 વાગ્યે ઓપરેશન સિંદૂર હેઠળ એર સ્ટ્રાઈક કરીને 90 આતંકીઓને ઠેકાણે પાડ્યાં હતા. ભારતની એર સ્ટ્રાઈકથી પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો છે.