click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જિલ્લામાં સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગ રૂપે ગુતાલ માધ્યમિક શાળામાં હિન્દુસ્તાનના પ્રથમ રાષ્ટ્રધ્વજના દર્શનથી વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સહુએ ધન્યતા અનુભવી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જિલ્લામાં સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગ રૂપે ગુતાલ માધ્યમિક શાળામાં હિન્દુસ્તાનના પ્રથમ રાષ્ટ્રધ્વજના દર્શનથી વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સહુએ ધન્યતા અનુભવી
GujaratKheda

જિલ્લામાં સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગ રૂપે ગુતાલ માધ્યમિક શાળામાં હિન્દુસ્તાનના પ્રથમ રાષ્ટ્રધ્વજના દર્શનથી વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સહુએ ધન્યતા અનુભવી

ક્રાંતિકારી સરદારસિંહ રાણાના પ્રપૌત્ર અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ભારતના પ્રથમ રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન યોજાયુ

Last updated: 2024/07/27 at 6:11 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

વિલાયતની ધરતી પર રહીને ભારતની આઝાદી માટે લડનારા ક્રાંતિકારીઓની ગાથાથી સમગ્ર માહોલ રાષ્ટ્રભાવનાથી છલકાયો

ખેડા જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિન ઉજવણી કાર્યક્રમના અનુસંધાને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે નડિયાદ તાલુકાની જાણીતી સરકારી માધ્યમિક શાળા ગુતાલમાં ભાવનગરના પૂર્વ સાંસદ તેમજ ભારતની આઝાદી માટે લડેલા ક્રાંતિકારી સરદારસિંહ રાણાના પ્રપૌત્ર શ્રી રાજેન્દ્રસિંહ રાણા શાળા પરિવારના મહેમાન બન્યા હતા. જેઓએ મેડમ ભિખાઇજી કામા દ્વારા જર્મનીના સ્ટુટગાર્ટમાં ફરકાવવામાં આવેલો ભારતના પ્રથમ રાષ્ટ્રધ્વજના દર્શન કરાવ્યા હતા.

આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આર્ય ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. ગુતાલની આ માધ્યમિક શાળામાં છેલ્લા છ વર્ષથી નિયમિત રીતે ચાલતી વ્યાખ્યાન માળાનો ૪૨મો મણકો યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ક્રાંતિકારી સરદારસિંહ રાણાના પ્રપૌત્ર અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ વિલાયતથી લડાયેલી આઝાદીની લડત વિષય પર ભારતની આઝાદી માટે પ્રત્યક્ષ અને પરોક્ષ જંગ લડનારા ક્રાંતિકારીઓની દેશભક્તિની ભાવના ઉજાગર કરતી વિસ્તૃત વિગતો અને હકીકતો રજૂ કરી હતી. જેમાં રાસ બિહારી બોઝ,લાલા હરદયાલ, લાલા લજપતરાય,શ્યામજી કૃષ્ણવર્મા, મેડમ ભીકાઈજી કામા અને પોતાના દાદા સરદારસિંહ રાણા જેવા ક્રાંતિકારીઓએ ભારતની આઝાદી માટે આપેલા નોંધપાત્ર યોગદાનની વિસ્તૃત વિગતો આપી હતી. જે બાબતો ખૂબ જ ઐતિહાસિક અને સામાન્ય જન માં ઓછી જાણીતી છે.

રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે,ભારતની આઝાદીના પ્રયત્નો બે માર્ગે થયા છે. ત્યારે ક્રાંતિકારીઓના માર્ગને પણ સરખેસરખો ન્યાય મળવો જોઈએ કેમકે તેમનું યોગદાન પણ અહિંસક માર્ગ જેટલું જ બહુમૂલ્ય રહ્યું છે.ઇતિહાસમાં એમ ભણાવાયું કે ક્રાંતિકારીઓ માર્ગ ભૂલેલા હતા.પરંતુ એ સાચું નથી. ઇતિહાસને તોડી મરોડી રજૂ કરાયો જેનાથી ક્રાંતિકારીઓની વાતને વિસારે પાડી દેવાના પ્રયત્નો થયા. જેનાથી દેશનું ગૌરવ ખતમ થઇ જાય સ્વાભિમાન ખતમ થઈ જાય તેવા પ્રયત્નો બ્રિટિશ શાસનમાં થયા. પરંતુ સાચી વાત એ છે કે ક્રાંતિકારીઓ માટે માંગવું અને મરવું બરાબર હતું. આઝાદી માંગીને નહીં છીનવીને લઈ શકાય તેમ ક્રાંતિકારીઓ માનતા હતા.રાજેન્દ્રસિંહ રાણાએ પોતાના દાદા ક્રાંતિકારી સરદારસિંહ રાણાએ વિદેશની ધરતી પર રહી ક્રાંતિકારીઓને આપેલા માતબર નાણાંકીય યોગદાન સહિતની બાબતો રજૂ કરી હતી.વીર સાવરકારનો કેસ આંતરરાષ્ટ્રીય અદાલતમાં લઇ જઇ કાનૂની લડત આપવાના યોગદાનમાં પણ તેમના દાદા સરદારસિંહની ભૂમિકા રજૂ કરી હતી.મેડમ ભીખાઈજી કામા દ્વારા જર્મનીના સ્ટુટગાર્ટમાં સમાજવાદી આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં ફરકાવવામાં આવેલા ભારતના પ્રથમ રાષ્ટ્રધ્વજ તેમના દાદા સરદારસિંહ રાણા દ્વારા દેશની આઝાદી પછી ભારતમાં લાવવાના પ્રસંગોની વિસ્તૃત છણાવટ કરી હતી.

મેડમ કામાએ આ રાષ્ટ્રધ્વજ પારસી વસ્ત્ર પરિધાનના રેશમી કાપડમાંથી તૈયાર કર્યો હતો.ત્રિરંગી રાષ્ટ્રધ્વજમાં ઉપરની તરફ આઠ કમળ, વચ્ચે વંદે માતરમ અને નીચેની તરફ સૂર્ય ચંદ્ર તારાના ચિહ્નો હતા.અન્ય એક રાષ્ટ્રધ્વજ પૂનામાં કેસરી અખબારના કાર્યાલયમાં હોવાનું તેમણે જણાવ્યું હતું. ક્રાંતિકારીઓની ગૌરવવંતી હકીકતો યાદ રાખવા નવી પેઢીને તેમણે શીખ આપી હતી.

કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત પૂર્વ મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે,સ્વાતંત્ર્ય માટે જેમનું યોગદાન અતુલ્ય છે.તેમના વારસદાર વચ્ચે તેઓ કઈ પણ બોલીને ભૂલ કરવા માંગતા નથી. આઝાદી માટે લડનારા સહુ કોઈ ક્રાંતિકારીઓનાં ગૌરવને શબ્દોમાં બાંધી તેમના ગૌરવને સીમિત કરવા તેઓ ઇચ્છતા નથી. તેઓ માત્ર તેમના યોગદાન માટે આભારની લાગણી વ્યક્ત કરી શકે છે.સરદારસિંહ રાણા જેવા ક્રાંતિકારીઓનાં કાર્યોને શબ્દોમાં વ્યક્ત કરવા એ હિમાલયની ઊંચાઈને આપણી ફૂટપટ્ટીથી માપવા જેવું કામ છે.

કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય કવિ રામધારીસિંહ દિનકરની જાણીતી રચના રશ્મિરથીની પંક્તિઓનું સામુહિક પઠન કરાયું હતું.

આ કાર્યક્રમમાં ખેડાજિલ્લા શિક્ષણાધિકારી કલ્પેશભાઈ રાવલ,ગુતાલ શાળાના આચાર્ય હેમંતભાઈ કા.પટેલ, મદદનીશ શિક્ષક અને કાર્યક્રમ સંયોજક પારસભાઈ દવે, શિક્ષકવૃંદ,વિધાર્થીઓ વિધાર્થીનીઓ,અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર- કામાંક્ષી પ્રચેત મેહતા(નડિયાદ )

You Might Also Like

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી

બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે

અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત

રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143

TAGGED: Gutal Secondary School, Kheda, kheda collector, kheda news, Kheda Police, national flag, state-level Independence Day

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 27, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કારેલાના છે અઢળક ફાયદા પરંતુ આ 5 લોકોએ તેના સેવનથી રહેવું જોઈએ દૂર
Next Article જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 8 લોકોના મોત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
Gujarat મે 17, 2025
બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે
Gujarat મે 17, 2025
અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી
Gujarat Kheda મે 17, 2025
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?