જેમાં ધનસુરાના આયુર્વેદિક ડોક્ટર વૈધ રમેશચંદ્ર એસ સથવારા અને સુરતના ડોક્ટર દિનેશભાઈ કાનાબારે સેવાઓ આપી હતી. આ રાહત કેમ્પમાં હરસ, મસા, ભગંદર, વાત વાયુ જન્ય રોગ, ગુપ્ત રોગો, હૃદય રોગ, ચામડીના રોગ, સ્ત્રી રોગો શ્વસનતંત્ર ના રોગો, પેટના રોગ, તેમજ દારૂનું વ્યસન વિશે 60 થી પણ વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.
આ કેમ્પ દર મહિનાની 11 તારીખે યોજવામાં આવે છે તેમ ચેરમેન નવનીતભાઈ પરીખ, પ્રોજેક્ટ ચેરમેન નિલેશ જોશી અને સેક્રેટરી મુકુન્દ શાહે જણાવ્યું છે.