સેતુ ટ્રસ્ટના છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકના ઉપયોગના નુકશાન અને વૃક્ષારોપણના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવાનું અનોખું કાર્ય કર્યું.
યાત્રા BOB થી SARADAR PATEL સ્ટેચ્યુ સુધી યોજાઈ, જેમાં જિલ્લા પ્રાંત અધિકારી ડો. મયુર પરમાર, નાયબ મામલતદાર હરેન્દ્રસિંહ પરમાર સહિત અનેક આગેવાનોએ હાજરી આપી. સેતુ ટ્રસ્ટના સંચાલકો સુધાબેન અને રાધાબેન પટેલની આગેવાની હેઠળ યોજાયેલી યાત્રામાં “પ્લાસ્ટિક ટાળો, વૃક્ષ લગાવો”નો સંદેશ તીવ્રતા સાથે આપવામાં આવ્યો.
સામાજીક કાર્યકરો, એન.એસ.એસ.ના સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર જોડાયા. આ યાત્રા visually impaired બાળકોની ક્ષમતા અને સંવેદનશીલતાનું અનોખું પ્રતિબિંબ બની રહી.