ગુજરાતમાં ભારત વિકાસ પરિષદની યાત્રા વર્ષ 1974માં ‘સમુત્કર્ષ’ એવા નામથી શરુ થઇ હતી. આ અવિરત ચાલતી યાત્રાને વર્ષ 2024ને 50 વર્ષ પૂર્ણ થયા આ ગૌસ્વશાળી અવસરે ભારત વિકાસ પરિષદ દ્વારા 09-02-2025 રવિવારના રોજ “સુવર્ણ જયંતિ મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય માનનીય શ્રી ડૉ મનમોહનજી વૈધ હાજર રહ્યા હતા.
સુવર્ણ જયંતિ મહોત્સવએ ભારત વિકાસ પરિષદના દરેક સદસ્ય માટે સેવા, સંસ્કાર અને સમર્પણ નો ઉત્સવ બની રહ્યો. સમગ્ર ગુજરાતમાં આવેલ વિવિધ શાખામાંથી આવેલ 3000થી વધુ સદસ્યોએ પ્રત્યક્ષ હાજર રહીને આ ભવ્ય કાર્યક્રમને માણ્યો
કાર્યક્રમની શરૂઆતમાં દશાઅવતાર’ની ભારત નાટ્યમ દ્વારા શ્રીમતી શીતલબેન મકવાણાની દિવ્ય રજુઆત અને દીપ પ્રાગટ્યથી થયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી એ સમાજસેવા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ શ્રી અજિતભાઈ શાહ, શ્રી રાજકુમાર ભગત, શ્રી વિનોદભાઈ શાહ, શ્રી વલ્લભભાઈ રામાણી, શ્રી હિંમતસિંહ રાઠોડ, શ્રી સતિષભાઈ ઠક્કર, શ્રી ભરતભાઇ ઠક્કરને સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રહિત પ્રથમની ભાવના પ્રબળ બની છે. સેવા અને સમર્પણના ભાવ દ્વારા ઉન્નત સમાજ થકી વિકસિત રાષ્ટ્રના નિર્માણની ભાવના આજે સાકાર થઈ રહી છે. સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં ભારત વિકાસ પરિષદના યોગદાન વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આજે દેશ અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે ભારત વિકાસ પરિષદ જેવી સંસ્થાઓ Government and Administrationને પૂરક બનીને સમાજના દરેક વર્ગને આગળ લાવીને આગવી સમાજસેવા અને કર્તવ્યનિષ્ઠાનાં દર્શન કરાવી રહી છે. આ સંગમને મહાકુંભના સંગમ સાથે સરખાવ્યો. મુખ્યમંત્રીએ વડાપ્રધાનના ‘યહી સમય હે. સહી સમય હૈ’ સૂત્રને દોહરાવીને રાષ્ટ્રહિત પ્રથમ અને વિશ્વ બંધુત્વની ભાવના સાથે સૌને સ્વર્ણિમ ભારત અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
મુખ્ય વક્તા ડૉ મનમોહનજી વૈધ એ ભારત વિકાસ પરિષદના સદસ્યને ભારત વિષે સમજણ આપી હતી ભારતની વિચારસરણી બધા થી અલગ છે ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં લાખોની સંખ્યામાં સામાન્ય લોકો સેવા કરવા માટે નીકળતા રહ્યા છે. પ્રત્યેક વ્યક્તિમાં દેવત્વ છે અને મનુષ્યના જીવનનું અંતિમ લક્ષ્ય આ દેવત્વને પ્રગટ કરવાનું છે. ભારતની કોઈ પણ ભાષામાં એક્સબ્લ્યુડ શબ્દનો અર્થ નથી કારણ કે આપણે કોઈને એક્સબ્લ્યુડ કરતા નથી, આપણો વિચાર સર્વ સમાવેશી છે. સમાજની કાળજી લેવાની જવાબદારી માત્ર સમાજની છે તે પશ્ચિમનો વિચાર છે ભારતમાં આવી કોઈ પરંપરા હતી નહિ.
રવિન્દ્રનાથ ટાગોરના ઉલ્લેખ દ્વારા જણાવ્યું કે જે સમાજ રાજ્ય ઉપર ઓછામાં ઓછુ આધારિત હોય તે સ્વદેશી સમાજ છે. ભારતને જાણવું આવશ્યક છે ભારત હજારો વર્ષોથી સ્વસ્થ અને સમૃદ્ધ જીવન જીવતું આવ્યું છે. કેવી રીતે જીવવું તેની અનુભવ અને જ્ઞાન ભારત પાસે છે. ભારત પોતાના સ્વ પર આધારિત રહીને વિશ્વ માટે લાઈટ હાઉસ બની શકશે. ભારત વિકાસ પરિષદમાં રહેલ ભારતનો આ અર્થ છે.
આ કાર્યક્રમના સ્થાન ઉપર ગુજરાતના વિવિધ પ્રાંત અને શાખાઓ દ્વારા કરવામાં આવેલ સેવા અને સંસ્કારલક્ષી કાર્યક્રમની ઝલક આપતી એક વિશેષ પ્રદર્શની બનાવવામાં આવી હતી તથા કાર્યક્રમ સ્થળ ઉપર રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાયકમના અંતે શ્રી ભરતભાઈ ઠક્કરે ઉપસ્થિત સૌનો આભારવિધિ કરી હતો. આ કાર્યક્રમમાં અનેક સામાજિક અગ્રણીઓ વિશિષ્ઠ અતિચિરૂપે ઉપસ્થિત રહ્યા હતા.