ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ચિત્રકૂટ પહોંચ્યા હતા. અહીં તેમણે જગદગુરુ રામભદ્રાચાર્યની સાથે મુલાકાત કરવાની સાથે સદગુરુ આંખની હોસ્પિટલમાં સિમ્યુલેટર મશીનનું ઉદઘાટન કર્યું હતું. જગદગુરુ રામભદ્રાચાર્યએ આશ્રમની મુલાકાત બદલ સેના પ્રમુખને દીક્ષા આપી હતી, જ્યારે જગદગુરુએ દીક્ષાના બદલે પીઓકે માગ્યું છે. તેમણે આજે (29 મે) કહ્યું કે, ‘મેં સેના પ્રમુખ પાસે દક્ષિણમાં પાક અધિકૃત કાશ્મીર એટલે કે PoKની માંગ કરી છે.
#WATCH | Madhya Pradesh | On Chief of Army Staff General Upendra Dwivedi visiting his Ashram in Chitrakoot yesterday, Spiritual Leader Jagadguru Rambhadracharya says, "I gave him the same Diksha (initiation) with the Ram Mantra which Lord Hanuman had received from Maa Sita and… pic.twitter.com/C7Sc3sDTUb
— ANI (@ANI) May 29, 2025
સેના પ્રમુખે રામ મંત્રથી દીક્ષા લીધી
સેના પ્રમુખની મુલાકાત વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે, ‘મેં તેમને રામ મંત્રથી એ જ દીક્ષા આપી હતી જે ભગવાન હનુમાનને માતા સીતા પાસેથી મળી હતી અને પછી લંકા પર વિજય મેળવ્યો હતો. મેં તેમની પાસેથી દક્ષિણા માંગી છે કે મને પીઓકે પાછું જોઈએ.’
॥ नमो राघवाय ॥
आज भारत के थलसेनाध्यक्ष जनरल उपेन्द्र द्विवेदी जी का श्रीतुलसीपीठ चित्रकूटधाम में आगमन हुआ। उन्होंने सभी सन्तों एवं विद्यार्थियों के समक्ष भारतीय सेना के शौर्य का वर्णन किया। @JrdUnivers39286 के छात्रों को पुरस्कृत किया। हम सभी भारतीय सेना को प्रणाम करते हुए। pic.twitter.com/jspcpCdUkb
— Jagadguru Rambhadracharya Ji (Official) (@JagadguruJi) May 28, 2025
સેના પ્રમુખ સિમ્યુલેટર મશીનનું ઉદઘાટન કર્યું
સદગુરુ સેવા કેન્દ્રના એક સભ્ય માહિતી આપી છે કે, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને સદગુરુએ આંખની હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. જગદગુરુ અને સેના પ્રમુખે તબીબી તાલીમ માટે વપરાતું સિમ્યુલેટર મશીન જોયું હતું. તેમણે મશીનનું ઉદઘાટન કર્યું હતું. આખા ભારતમાં આવી માત્ર ચાર કે પાંચ જ મશીનો છે, જ્યારે મધ્યપ્રદેશમાં આ પ્રથમ મશીન છે.