click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારત વિકસાવી રહ્યું છે ‘સ્વદેશી નેવિગેશન સિસ્ટમ’, ઈસરો લોન્ચ કરશે 7 નવા NavIC સેટેલાઈટ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારત વિકસાવી રહ્યું છે ‘સ્વદેશી નેવિગેશન સિસ્ટમ’, ઈસરો લોન્ચ કરશે 7 નવા NavIC સેટેલાઈટ
Gujarat

ભારત વિકસાવી રહ્યું છે ‘સ્વદેશી નેવિગેશન સિસ્ટમ’, ઈસરો લોન્ચ કરશે 7 નવા NavIC સેટેલાઈટ

Last updated: 2024/11/11 at 6:40 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

હર હાથ મોબાઈલ અને હર ઘર વેહિકલના આજના જગતમાં નેવિગેશન સિસ્ટમ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ એક એવું ક્ષેત્ર છે જેની પાંખો આગામી સમયમાં સતત વિસ્તરતી જ જવાની છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ તાજેતરમાં જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં ભારતના લોકોને સ્વદેશી નેવિગેશન સિસ્ટમ NavIC (Navigation with Indian Constellation) નો વપરાશ કરવા મળશે. ચાલો જાણીએ કે શું છે આ નેવિગેશન સિસ્ટમ અને એ કઈ રીતે કામ કરે છે.

Contents
નેવિગેશન સિસ્ટમ એટલે શું?નેવિગેશન સિસ્ટમ ક્યાં ક્યાં કામ લાગે છે?NavIC ની શરૂઆત અને એનો વિકાસNavIC ની વર્તમાન કાર્યક્ષમતા અને આગામી લક્ષ્યાંકોહાલમાં દુનિયામાં કાર્યરત નેવિગેશન સિસ્ટમ કઈ કઈ છે?ભારતને આ કારણસર સ્વદેશી નેવિગેશન સિસ્ટમની જરૂર પડીનાગરિક સેવામાં હાજર થશે NavICGPS કરતાં વધુ કાર્યક્ષમ હશે NavIC

નેવિગેશન સિસ્ટમ એટલે શું?

નેવિગેટનો અર્થ થાય ‘નકશા વગેરેના ઉપયોગ થકી કોઈ સ્થાને પહોંચવું’. તેથી, ધરતી પર વિચરતા લોકો અને વાહનોનું સ્થાન નક્કી કરવા માટે અને એમને ગંતવ્યસ્થાન સુધી પહોંચાડવા માટે જે સિસ્ટમ કામ લાગે એને નેવિગેશન સિસ્ટમ કહેવામાં આવે છે. આપણે અજાણ્યા સ્થળોએ મોબાઈલમાં કે વાહનમાં ગૂગલ મેપનો ઉપયોગ કરીને રસ્તો જોઈ-જોઈને ઈચ્છીત સ્થાને પહોંચીએ, એ પણ એક પ્રકારનું નેવિગેશન જ થયું.

નેવિગેશન સિસ્ટમ ક્યાં ક્યાં કામ લાગે છે?

  • નેવિગેશન સિસ્ટમ રસ્તા પર ચાલતા વાહનને તેનું સ્થાન નક્કી કરવામાં અને ગંતવ્ય સ્થાને જવા માટે દિશાનિર્દેશ કરવામાં મદદ કરે છે. જે રસ્તે ડ્રાઈવર આગળ વધી રહ્યો છે, એ રસ્તામાં જો કોઈ અડચણ હોય, કોઈપણ કારણસર રસ્તો બંધ હોય, તો એની માહિતી પણ નેવિગેશન સિસ્ટમ ડ્રાઈવરને અગાઉથી આપી દે છે, જેથી ડ્રાઈવર નવો રસ્તો લઈ શકે.
  • બિલકુલ એ જ પ્રકારે નેવિગેશન સિસ્ટમ દરિયાઈ જહાજો અને વિમાનોને પણ મદદરૂપ થાય છે.
  • નેવિગેશન સિસ્ટમ દ્વારા લશ્કરી વાહનોને પણ દિશાદર્શન મળે છે, જે યુદ્ધ જેવી કટોકટીના સમયમાં અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે.
  • તમે ઈન્ટરનેટ પર કંઈક શોધતા હો, ઉદાહરણ તરીકે ‘નજીકની વેજિટેરિયન રેસ્ટોરન્ટ’, ત્યારે ઈન્ટરનેટ તમારી જોઈતી વસ્તુ/સ્થાનના વિકલ્પ રજૂ કરે એ પહેલાં તમે ક્યાં છો, એ જાણી લેવા માટે તમારું લોકેશન શોધવામાં આવે છે અને એના આધારે તમારી નજીકના વિકલ્પો તમને દેખાડવામાં આવે છે.

NavIC ની શરૂઆત અને એનો વિકાસ

NavIC એ 7 ઉપગ્રહોનું એક જૂથ છે, જે ભારતમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) સેવા પ્રદાન કરે છે. આ પ્રોજેક્ટ પર 2006 માં કામ શરૂ થયું હતું. શરૂઆતમાં એનું નામ ‘ભારતીય પ્રાદેશિક નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ’ (IRNSS – Indian Regional Navigation Satellite System) હતું. એનો પ્રથમ ઉપગ્રહ ‘IRNSS-1A’ 1 જુલાઈ, 2013 ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. 2016 માં ‘IRNSS-1G’ નામનો સાતમો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો એ પછી એનું નામ NavIC કરવામાં આવ્યું હતું.

NavIC ની વર્તમાન કાર્યક્ષમતા અને આગામી લક્ષ્યાંકો

હાલના તબક્કે NavIC ભારત અને તેની આસપાસના 1500 કિમી સુધીના વિસ્તારને આવરી લે છે. હવે એમાં વધુ 3,000 કિમી સુધીના વિસ્તરણની યોજના છે. એના માટે નવા 7 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે.

હાલમાં દુનિયામાં કાર્યરત નેવિગેશન સિસ્ટમ કઈ કઈ છે?

હાલમાં દુનિયામાં અમેરિકાની GPS, રશિયાની GLONASS, યુરોપની Galileo અને ચીનની BeiDou જેવી નેવિગેશન સિસ્ટમ્સ કાર્યરત છે જ, જેના થકી ભારતીયો અને દુનિયાના અન્ય દેશોના નાગરિકોનું કામ ચાલી જાય છે, તો પછી તોતિંગ ખર્ચ કરીને ભારતે શા માતે પોતાની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ શરૂ કરવી પડી?

ભારતને આ કારણસર સ્વદેશી નેવિગેશન સિસ્ટમની જરૂર પડી

1999 માં ભારત-પાકિસ્તાન વચ્ચે કરગિલ યુદ્ધ થયેલું ત્યારે ભારતીય સૈન્યને GPS ડેટાની જરૂર પડેલી, પણ અમેરિકાએ જરૂરી ડેટા અપવાની મનાઈ કરી દીધેલી, જેને લીધે ભારતના સૈનિકોને કારગિલમાં મુશ્કેલી પડેલી. નેવિગેશન સિસ્ટમ બાબતે ફરીથી બીજા દેશોના ઓશિયાળા ન બનવું પડે, એ માટે એ ઘટનામાંથી બોધ લઈને ભારતે દેશની સ્વાયત્ત ઉપગ્રહ નેવિગેશન સિસ્ટમ બનાવવાની દિશામાં પગરણ માંડ્યા છે. આવા જ કારણસર જાપાને પણ પોતાની આગવી QZSS નેવિગેશન સિસ્ટમ વિકસાવી છે.

નાગરિક સેવામાં હાજર થશે NavIC

હાલમાં ભારતના લોકો એમના મોબાઈલ ફોનમાં NavIC સિસ્ટમનો ઉપયોગ નથી કરી શકતા, પણ ટૂંક સમયમાં આ શક્ય બનશે. વર્ષ 2025થી ઈસરોએ દર વર્ષે નવા સેટેલાઈટ લોન્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

GPS કરતાં વધુ કાર્યક્ષમ હશે NavIC

NavIC ના નવીનતમ ઉપગ્રહ સ્વદેશી રીતે વિકસિત અણુ ઘડિયાળ, સુધારેલ એન્ક્રિપ્શન સિસ્ટમ્સ અને સિવિલ મોબાઈલ વપરાશ માટે L1 ફ્રીક્વન્સી બેન્ડ ધરાવે છે. NavIC ના ઓપરેશનલ સિદ્ધાંતો અને કાર્યપદ્ધતિ GPS જેવા જ છે, પરંતુ ભારતની માલિકીની આ નેવોગેશન સિસ્ટમ GPS કરતાં વધુ આધુનિક અને સચોટ છે. GPS અત્યારે 15 થી 20 મીટર જેટલી લોકેશન ચોકસાઈ આપે છે; NavIC 5 મીટરની ચોકસાઈ આપશે.

You Might Also Like

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ

વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર

અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન

વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ

ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે આપી સત્તા

TAGGED: GPS, indigenous navigation system, Isro, NavIC, Navigation system, oneindia, oneindianews, topnews, topnewschannelinindia, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, નેવિગેશન સિસ્ટમ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 11, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારતીય સંસ્કૃતિના વિકાસમાં સંતો મહંતોની આગવી ભૂમિકા – વડાપ્રધાન
Next Article BAPS મંદિરના પુજારી દ્વારા ૩૦ વર્ષીય મનોદિવ્યાંગ યુવતી ઉપર દુષ્કર્મ ગુજારતા ગર્ભવતી કરાયાનો આક્ષેપ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ
Gujarat મે 9, 2025
વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર
Gujarat મે 9, 2025
અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન
Gujarat મે 9, 2025
વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ
Bhavnagar Gujarat મે 9, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?