22 એપ્રિલના થયેલાં પહેલગામ આતંકવાદી હુમલાને લઇ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરી અને ભારતે પાકિસ્તાન અને પીઓકેના નવ આતંકી ઠેકાણા નષ્ટ કરી દીધા છે. આ બાદથી પાકિસ્તાન તરફથી ભારતના ઘણાં રાજ્યોમાં હુમલા કરવામાં આવ્યાં છે. ગત રાત્રે ભારતે જવાબી કાર્યવાહીમાં દેશભરમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેની અસર ફ્લાઇટ પર પણ જોવા મળી રહ્યો છે.
#6ETravelAdvisory: Your safety is paramount. Flights to/from the following cities are cancelled until 2359 hrs on 10th May. We are here to help you travel with ease. Check flight status here https://t.co/ll3K8PwtRV. To rebook or claim a refund, visit https://t.co/51Q3oUe0lP. pic.twitter.com/v5BSdX3dDo
— IndiGo (@IndiGo6E) May 9, 2025
ત્રણ શહેરોની બંને તરફની ફ્લાઇટ્સ રદ
રદ થયેલી ફ્લાઇટ્સમાં, ચાર ઇન્ડિગો એરલાઇન્સની છે, જેમાં બે અપ અને બે ડાઉનનો સમાવેશ થાય છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની બે ફ્લાઇટ્સ છે, કિશનગઢ, રાજકોટથી આવનારી ફ્લાઇટ રદ કરવામાં આવી. શ્રીનગર-જમ્મુથી આવનારી ફ્લાઇટ રદ કરવામાં આવશે. જે વિશે ઇન્ડિગોએ એડવાઇઝરી જાહેર કરી છે
મોટાભાગના એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
કૃપા કરીને નોંધ લો કે આજે (શુક્રવાર) અને કાલે (શનિવાર) રદ કરાયેલી ફ્લાઇટ્સ ગયા બુધવાર અને ગુરુવારે પણ કાર્યરત નહોતી. બીજી તરફ, રાજકોટ એરપોર્ટ અને તેની આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે. CRPF અને CISF જવાનોની વધારાની તૈનાતી કરવામાં આવી છે. તમામ એરપોર્ટના દરેક ઇંચ પર નજર રાખવામાં આવી રહી છે. તપાસ દરમિયાન કોઈ ભૂલ ન થાય તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે.