સમગ્ર ગુજરાતમાંથી ૪ પૈકી ૧ ઉમરાળા ગામને રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મળ્યું છે. સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમના નેતૃત્વ સાથે ગ્રામપંચાયત દ્વારા આધુનિકરણ ગ્રામવિકાસ સંદર્ભે આધુનિક સંચાર પ્રણાલી સાથે રાષ્ટ્રીય કક્ષાએ ઉમરાળા ગ્રામપંચાયત પસંદગી પામી છે.
પંચાયતીરાજ પ્રણાલીમાં હકારાત્મક રાજકારણ હોય તો સરપંચ અને ગ્રામપંચાયત સારા પરિણામો લાવી શકે છે. આધુનિક સંચાર પ્રણાલી સાથે રાષ્ટ્રીય કક્ષાએ (ઈન્ડિયા એ આઈ પંચાયત મિશન અંતર્ગત)ભાવનગર જિલ્લાની ઉમરાળા ગ્રામપંચાયત પસંદગી પામી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકસિત દષ્ટિકોણ (વિઝન ૨૦૪૭) સાથે વિકસિત ભારત સંકલ્પના અંતર્ગત ભાવનગર જિલ્લાનું ઉમરાળા ગામ સરપંચ ધર્મેન્દ્ર હેજમના નેતૃત્વ સાથે રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન પામી રહ્યું છે. આ વિભાગના વડા એભા પટેલ દ્વારા સરપંચ ધર્મેન્દ્ર હેજમને અપાયેલ અભિનંદન સંદેશા મુજબ સમગ્ર ગુજરાતમાંથી ૪ પૈકી ૧ ઉમરાળા ગામને રાષ્ટ્રીય કક્ષાએ (ઈન્ડિયા એ આઈ પંચાયત મિશન અંતર્ગત) સ્થાન મળ્યું છે.
સરપંચ ધર્મેન્દ્ર હેજમે આ પસંદગી માટે ગ્રામપંચાયતના હકારાત્મક અને વિકાસના દષ્ટિકોણ સાથે તમામ ગ્રામજનોનો સહયોગ કેન્દ્રમાં રહ્યાનું અને તંત્રવાહકો, પદાધિકારીઓ દ્વારા પૂરતું માર્ગદર્શન રહ્યાનું જણાવી એક પછી એક નમૂનેદાર વિકાસકાર્યો માટે સાથી સભ્યો પણ જવાબદારીમાં સહભાગી રહ્યાનો આણંદ વ્યક્ત કર્યો છે.
મૂકેશ પંડિત
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel