અમરનાથ યાત્રા 2025: હેલિકોપ્ટર સેવા બંધ, રૂટ ‘નો ફ્લાઈંગ ઝોન’ જાહેર
જમ્મુ-કાશ્મીરમાં યોજાતી પવિત્ર અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ હેઠળ સરકારએ આ વર્ષે હેલિકોપ્ટર સેવાને રદ કરવાની મોટી જાહેરાત કરી છે. યાત્રાના રૂટને 1 જુલાઈથી 10 ઑગસ્ટ સુધી ‘નો ફ્લાઈંગ ઝોન’ જાહેર કરાયો છે, જેના કારણે હેલિકોપ્ટર સેવા બંધ રહેશે.
ડ્રોનથી થશે મુસાફરી પર નજર
2025ની અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ રહી છે અને 9 ઑગસ્ટ રક્ષાબંધનના પાવન દિવસે પૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન યાત્રાળુઓ ફક્ત પગપાળા, ઘોડા અથવા પાલખી મારફતે મુસાફરી કરી શકશે. સુરક્ષા દ્રષ્ટિએ યાત્રા રૂટ પર ડ્રોનની મદદથી સતત નજર રાખવામાં આવશે.
ઓનલાઈન બુકિંગ નહીં, હેલિકોપ્ટર સેવા પણ નહીં
દર વર્ષે બાલટાલ અને પહલગામ રૂટ પરથી યાત્રાળુઓ માટે હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ રહેતી હતી. આ વખતે સુરક્ષા કારણોસર આ સેવા રદ કરવામાં આવી છે. ઉપરાંત, ઓનલાઈન બુકિંગ અને અલગ ભાડાની વ્યવસ્થાઓ પણ બંધ રહેશે.
નોંધણી માટે કડક માપદંડો
અમરનાથ શ્રાઇન બોર્ડની બેઠકમાં, જેની અધ્યક્ષતા જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિહાએ કરી હતી, તેમાં યાત્રાની તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. અનુસંધાનમાં નિર્ણય લેવાયો કે યાત્રા માટેની નોંધણી 15 માર્ચ, 2025થી શરૂ થશે.
-
નોંધણી “ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ” ધોરણે થશે
-
13 વર્ષથી નીચેના બાળકો અને 75 વર્ષથી વધુના વયસ્કો પાત્ર નહીં ગણાય
-
દરેક યાત્રાળુએ ફરજિયાત આરોગ્ય પ્રમાણપત્ર રજૂ કરવું પડશે
-
યાત્રા પરમિટ ટ્રાન્સફર કરવામાં આવશે નહીં
પોલિટિકલ વિવાદ પણ ઉકળી આવ્યો
એક તરફ જ્યાં પ્રશાસન યાત્રાની તૈયારીઓમાં વ્યસ્ત છે, ત્યારે પીડીપીના ધારાસભ્ય વહીદ ઉર રહેમાન પારાએ બાલટાલ રૂટથી ગુફા સુધી માર્ગ નિર્માણના વિરોધમાં અવાજ ઉઠાવ્યો. તેમણે વિધાનસભામાં પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. આ પર પ્રતિક્રિયા આપતાં નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરીએ તેને ‘પબ્લિસિટી સ્ટન્ટ’ ગણાવ્યું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel