click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સંસ્કૃતના પ્રખર વિદ્વાન પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનું નિધન.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સંસ્કૃતના પ્રખર વિદ્વાન પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનું નિધન.
Gujarat

સંસ્કૃતના પ્રખર વિદ્વાન પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનું નિધન.

મંગળવારે સવારે 9 કલાકે ડાહ્યાલાલ શાસ્ત્રીએ 97 વર્ષની વયે દેહત્યાગ કર્યો. આ પહેલાં ગત 3 સપ્ટેમ્બર 2023ના રોજ તેમનાં ધર્મપત્ની મંગળાબાનું અવસાન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે મંગળાબાના અવસાન બાદ તેમનું સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેતું હતું.

Last updated: 2023/10/11 at 2:52 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

સંસ્કૃત ભાષા પર પ્રખરતા મેળવીને સનાતન સંસ્કૃતિ માટે પોતાનું જીવન અર્પણ કરનાર પદ્મશ્રી ડાહ્યાલાલ શાસ્ત્રી રામશરણ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારે (10 ઓકટોબર, 2023) તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ડાહ્યાલાલ શાસ્ત્રીને વર્ષ 2016માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના અવસાન વિશે જાણકારી મળ્યા બાદ પીએમ મોદીએ પણ X પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું.

Contents
PM મોદીએ શોક વ્યક્ત કર્યોકોણ હતા પદ્મશ્રી ડાહ્યાલાલ શાસ્ત્રી?વર્ષ 2016મા ડાહ્યાલાલ શાસ્ત્રીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અહેવાલો અનુસાર, મંગળવારે સવારે 9 કલાકે ડાહ્યાલાલ શાસ્ત્રીએ 97 વર્ષની વયે દેહત્યાગ કર્યો. આ પહેલાં ગત 3 સપ્ટેમ્બર 2023ના રોજ તેમનાં ધર્મપત્ની મંગળાબાનું અવસાન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે મંગળાબાના અવસાન બાદ તેમનું સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેતું હતું.

PM મોદીએ શોક વ્યક્ત કર્યો

ડાહ્યાલાલ શાસ્ત્રીનું અવસાન થયું હોવાના સમાચાર જાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક પ્રકટ કર્યો છે. પોતાના આધિકારિક X હેન્ડલ પરથી ગુજરાતી ભાષામાં શોકસંદેશ પાઠવતાં લખ્યું હતું કે, “નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજીના અવસાનના સમાચાર દુઃખદ છે. તેઓએ આજીવન સંસ્કૃત ભાષાનો વ્યાપ અને શિક્ષણ વધે તે માટે કાર્ય કર્યું. ઈશ્વર સદ્ગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના. ૐ શાંતિ…!”

નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજીના અવસાનના સમાચાર દુઃખદ છે. તેઓએ આજીવન સંસ્કૃત ભાષાનો વ્યાપ અને શિક્ષણ વધે તે માટે કાર્ય કર્યું.

ઈશ્વર સદ્ગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥

ૐ શાંતિ…!

— Narendra Modi (@narendramodi) October 10, 2023

કોણ હતા પદ્મશ્રી ડાહ્યાલાલ શાસ્ત્રી?

ડાહ્યાલાલ શાસ્ત્રીનો જન્મ 1926ની સાલમાં 26 જાન્યુઆરીના રોજ મહેસાણા જીલ્લામાં આવેલા વસઈ-ડાભલા ગામમાં કરુણાશંકર પંચોલીના ત્યાં થયો હતો. ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાતા ડાહ્યાલાલે સંસ્કૃત ભાષા પર પ્રખરતા પ્રાપ્ત કરીને ગુજરાત સહિત આખા દેશમાં નામના મેળવી હતી. જ્ઞાનપિપાસુ ડાહ્યાલાલે અમદાવાદ તેમજ વારાણસીમાં રહીને સંસ્કૃતનો અભ્યાસ કરીને વ્યાકરણાચર્ય, સાહિત્યાચાર્ય તેમજ હિંદી ભાષામાં વિશારદની પદવી પ્રાપ્ત કરી હતી. ડાહ્યાલાલે પોતે મેળવેલું જ્ઞાન પોતાના પૂરતું ન રાખીને તેને આવનારી પેઢી સુધી પહોંચાડવા પોતાનું જીવન અર્પણ કરી દીધું હતું. બાળકોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે પ્રેમ અને વ્યાપ વધે તે માટે તેમણે પોતાનું આખું જીવન સમર્પિત કરીને અંતિમ શ્વાસ સુધી સંસ્કૃત ભાષાનું જતન કરતા રહ્યા.

સંસ્કૃત ભાષાને જીવંત રાખવાના પોતાના યજ્ઞ સાથે-સાથે ડાહ્યાલાલ સનાતન સંસ્કૃતિ માટે પણ આજીવન સમર્પિત રહ્યા. તેઓ વિશ્વ હિંદુ પરિષદના અખિલ ભારતીય ઉપાધ્યક્ષ તેમજ પરિષદના ગુજરાત પ્રદેશના સંઘ રક્ષક તરીકે સેવા આપતા રહ્યા. આ સિવાય પણ તેઓ સ્વાધ્યાય મંડળ (કિલ્લા પારડી)ના અધ્યક્ષ સ્થાને સેવા આપી રહ્યા હતા. તેઓ ગુજરાત સંસ્કૃત પાઠશાળાના આચાર્ય ઉપરાંત માર્ગદર્શક પણ રહ્યા. ‘સંસ્કૃત રક્ષા, એ જ રાષ્ટ્ર રક્ષા’ને જીવન મંત્ર બનાવીને તેમણે નિવૃત્તિ બાદ નડિયાદમાં બ્રહ્મર્ષિ સંસ્કારધામની સ્થાપના કરી પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી સંસ્કૃત ભાષાના જતન માટે સેવાયજ્ઞ ચાલુ રાખ્યો. આ સંસ્કારધામમાં સંસ્કૃત મહાવિદ્યાલય, ગૌશાળા, વેદ વિદ્યા ભવન, અંગ્રેજી વિદ્યા ભવન અને યોગ કેન્દ્ર ભવનમાં તેમણે અનેક વિદ્યાર્થીઓ થકી સંસ્કૃત ભાષા અને સનાતન સંસ્કૃતિને આગલી પેઢીને અર્પણ કરી છે.

વર્ષ 2016મા ડાહ્યાલાલ શાસ્ત્રીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016ના ગણતંત્ર દિવસ પૂર્વે ડાહ્યાલાલ શાસ્ત્રીને પદ્મશ્રી સન્માન આપવાની જાહેરાત કરી હતી. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા ડાહ્યાભાઈ શાસ્ત્રીને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો. આ ઉપરાંત તેમને ગુજરાતના સ્થાપના દિને રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે તેમને ગુજરાત રત્ન પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

You Might Also Like

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી

બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે

અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત

રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143

TAGGED: @india, @narendramodi, central goverment, Padmashri Dahyabhai Shastri

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 11, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ફરી ગુજરાત આવશે બાગેશ્વર ધામ સરકાર
Next Article અમદાવાદ: બે કેમિકલના મોટા વેપારીના ત્યાં આવકવેરા વિભાગના દરોડા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
Gujarat મે 17, 2025
બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે
Gujarat મે 17, 2025
અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી
Gujarat Kheda મે 17, 2025
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?