click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રેલવે મંત્રીની મોટી જાહેરાત, ટૂંક સમયમાં મળી શકે છે ખુશખબર, મુસાફરોને થશે હાશકારો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રેલવે મંત્રીની મોટી જાહેરાત, ટૂંક સમયમાં મળી શકે છે ખુશખબર, મુસાફરોને થશે હાશકારો
Gujarat

રેલવે મંત્રીની મોટી જાહેરાત, ટૂંક સમયમાં મળી શકે છે ખુશખબર, મુસાફરોને થશે હાશકારો

ભારતીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ભારતીય રેલવે ટૂંક સમયમાં 150 નવી ટ્રેનો શરૂ કરવા જઈ રહ્યું છે જે હવે રેલવેમાં મુસાફરી કરતાં યાત્રીઓની સફરને વધુ સુવિધાનજક બનાવશે.

Last updated: 2025/06/18 at 1:05 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ભારતીય રેલવે તેના મુસાફરો માટે સુવિધાઓનો સતત વિસ્તાર કરી રહી છે અને હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મોટી જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં દેશમાં 150 નવી પેસેન્જર ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટ્રેનો ખાસ કરીને ટૂંકા અંતરની મુસાફરી કરતા રેલવે મુસાફરોને સુવિધા પૂરી પાડશે. આ સાથે પહેલાથી ચાલી રહેલી પેસેન્જર ટ્રેનોને અપગ્રેડ અને આધુનિક બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તેમાં 1200 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે.

Contents
પેસેન્જર ટ્રેન નેટવર્કનું વિસ્તરણ20 કોચ વાળી MEMU ટ્રેન50 નમો ભારત એસી ટ્રેનો પણ દોડશેજનરલ કોચનું વિસ્તરણ ચાલુ

यात्रियों की सुविधा के लिए:

🚉 50 नई नमो भारत ट्रेन
🚉 100 नई MEMU ट्रेन
🚉 50 नई अमृत भारत ट्रेन pic.twitter.com/2hM92vq3Ep

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 17, 2025

પેસેન્જર ટ્રેન નેટવર્કનું વિસ્તરણ

ભારતમાં ટૂંકા અંતરની રેલ મુસાફરીને વધુ આરામદાયક બનાવવાના ઉદ્દેશ્ય સાથે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રીએ દેશભરમાં પેસેન્જર ટ્રેન નેટવર્કને નોંધપાત્ર રીતે વિસ્તૃત અને આધુનિક બનાવવાની સરકારની યોજનાનો ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે 100 નવી મેઇન લાઇન ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ (MEMU) અને 50 વધારાની નમો ભારત ટ્રેનો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

Inaugurated India’s largest automobile Gati Shakti Multi-Modal Cargo Terminal, along with Haryana CM @NayabSainiBJP Ji.

📍Manesar, Haryana
✅ Spanning 45 acres
🚗 Capacity: 4.5 lakh vehicles pic.twitter.com/ufaIkISYeU

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 17, 2025

અશ્વિની વૈષ્ણવે હરિયાણામાં મારુતિ સુઝુકીના માનેસર સાઇડિંગ ખાતે ભારતના સૌથી મોટા ગતિ શક્તિ મલ્ટિમોડલ કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન કરતી વખતે આ જાહેરાત કરી હતી. તે પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન હેઠળ વિકસાવવામાં આવ્યું છે. આ ટર્મિનલનો ઉદ્દેશ્ય રેલ અને રોડ લોજિસ્ટિક્સને એકીકૃત રીતે સંકલિત કરીને માલ પરિવહનની કાર્યક્ષમતા વધારવાનો છે.

20 કોચ વાળી MEMU ટ્રેન

MEMU ટ્રેનોમાં 12 નહીં પણ 20 કોચ હશે. ટૂંકા અંતરની રેલ મુસાફરીની વધતી માંગ પર ધ્યાન કેન્દ્રિત કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ વિસ્તરણમાં તૈયાર કરવામાં આવી રહેલી 100 નવી MEMU ટ્રેનોમાં 16 અને 20 કોચ હશે. હાલની MEMU ટ્રેનો સામાન્ય રીતે 8 કે 12 કોચ સાથે ચલાવવામાં આવે છે. તેમણે કહ્યું કે આ પગલાનો ઉદ્દેશ્ય પ્રાદેશિક જોડાણને સરળ બનાવવાનો છે અને વધુ મુસાફરોને મુસાફરી કરવાની મંજૂરી આપવાનો છે. આ સાથે ટ્રેન ટિકિટ મેળવવા સંબંધિત મુશ્કેલીઓ દૂર કરીને એક નવી ટિકિટિંગ સિસ્ટમ પણ લાગુ કરવામાં આવી રહી છે. રેલવે મંત્રીએ આશા વ્યક્ત કરી કે આ આધુનિક MEMU દેશના વિવિધ ભાગોમાં ટૂંકા અંતરની મુસાફરી અને મુસાફરીમાં નોંધપાત્ર સુધારો કરશે.

50 નમો ભારત એસી ટ્રેનો પણ દોડશે

અમદાવાદ-ભુજ અને પટના-જયનગર વચ્ચે શરૂ કરાયેલી પહેલી બે ટ્રેનો નમો ભારત એસી ટ્રેનોને મળેલા સકારાત્મક પ્રતિસાદ બાદ હવે સરકાર વધુ 50 નમો ભારત એસી ટ્રેનો શરૂ કરવાની યોજના બનાવી રહી છે. રેલવે મંત્રીના જણાવ્યા મુજબ આ ટ્રેનોને મુસાફરો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને 50 નવી એસી ટ્રેનોના ઉમેરા સાથે મુસાફરોને વધુ વિસ્તારો માટે ઝડપી, આરામદાયક એસી રેલ મુસાફરીનો વિકલ્પ મળશે.

જનરલ કોચનું વિસ્તરણ ચાલુ

અશ્વિની વૈષ્ણવે નવી ટ્રેનોની જાહેરાત સાથે અનરિઝર્વ્ડ મુસાફરી સુવિધાઓ વધારવા માટે ચાલી રહેલા રેલ્વે અભિયાન વિશે પણ જણાવ્યું. તેમણે કહ્યું કે ગયા વર્ષે જ રેલવેએ હાલમાં કાર્યરત ટ્રેનોમાં 1200થી વધુ જનરલ કોચ ઉમેર્યા છે. જે આર્થિક મુસાફરી પર આધારિત રેલ મુસાફરોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે આનાથી પીક અવર્સ દરમિયાન રેલ્વે સ્ટેશનો પર ભીડનું સંચાલન કરવામાં અને સામાન્ય માણસ માટે મુસાફરીની સ્થિતિમાં સુધારો કરવામાં મદદ મળી છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

You Might Also Like

ક્રોએશિયાની રાજધાની જાગ્રેબ પહોંચ્યા PM મોદી, ભારતીય વડાપ્રધાનની પહેલી ઐતિહાસિક યાત્રા

90-ડિગ્રી ટર્ન વાળા ‘ખતરનાક’ ભોપાલ બ્રિજની ડિઝાઈન બદલાશે!

ગળે મળ્યા, હસ્યા અને પછી ગંભીર થઈને PM મોદીએ મેક્રોને શું કહ્યું? જાણો સંપૂર્ણ વાત

કેદારનાથમાં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા, આ વખતે ઇતિહાસ રચાશે

રથયાત્રા સાદાઈથી નીકાળવા અંગે મહંત દિલીપદાસજીનું મોટું નિવેદન, કહ્યું ‘દર વર્ષની જેમ…’

TAGGED: 150 New Trains, General Coach, guajrti news, indian railway, MEMU Train, Namo Bharat train, oneindianews, Passenger train network, railway department, Railway Minister Ashvani Vaishnave, topnews, કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે, ભારતીય રેલવે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 18, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આતંકવાદના સમર્થક દેશોને ઈનામ આપો છો, બેવડા માપદંડ નહીં ચાલે : G7ના મંચથી PM મોદીનો સંદેશ
Next Article કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલન, કાટમાળ સાથે 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યાં, બેનાં મોત, 3 ઈજાગ્રસ્ત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ક્રોએશિયાની રાજધાની જાગ્રેબ પહોંચ્યા PM મોદી, ભારતીય વડાપ્રધાનની પહેલી ઐતિહાસિક યાત્રા
જૂન 18, 2025
90-ડિગ્રી ટર્ન વાળા ‘ખતરનાક’ ભોપાલ બ્રિજની ડિઝાઈન બદલાશે!
જૂન 18, 2025
ગળે મળ્યા, હસ્યા અને પછી ગંભીર થઈને PM મોદીએ મેક્રોને શું કહ્યું? જાણો સંપૂર્ણ વાત
Gujarat જૂન 18, 2025
કેદારનાથમાં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા, આ વખતે ઇતિહાસ રચાશે
Gujarat જૂન 18, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?