શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્યમાં અને કો- ઓર્ડીનેટર રાહુલભાઈ દવે ની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્ર તથા શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં તા.24/5/2025ના રોજ અનુક્રમે નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, ઉપવેશન સંસ્કાર, કર્ણવેધન સંસ્કાર, મુંડન સંસ્કાર, વેદારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 35 તપોવન બાળકોએ સંસ્કાર વિધિનો લાભ લીધો હતો.
શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર તથા શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટર માં દર મહિને હિન્દૂ વૈદિક સંસ્કૃતિ પ્રમાણે ના 10 સંસ્કાર વિધિનું આયોજન કરવામાં આવે છે. સંસ્કાર વિધિ બાળકમાં વ્યક્તિત્વ વિકાસ, સ્વસ્થ્ય તન, સ્વસ્થ મન, બૌધિક વિકાસ તેમજ યશસ્વી જીવન થાય તેના માટે કરાવવામાં આવે છે. સંસ્કાર વિધિ સંપન્ન વેદાંતાચાર્ય તથા ભાગવત કથાકાર પરમ વિદુષી કલ્પના બેન ત્રિવેદી ઘ્વારા કરાવવામાં આવી હતી અને પ.પૂ સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ઉપસ્થિત રહી બાળકોને આશીર્વાદ આપ્યા અને બાળકોને અન્નપ્રાશન કરાવ્યા હતા.
પ. પૂ મહંત રામદાસજી મહારાજે ઉપસ્થિત માતા, પિતાને આશિર્વચન પાઠવ્યા હતા અને બાળકોના સંસ્કાર વિધિ થકી માનસિક, શારીરિક, આધ્યાત્મિક વિકાસ થાય તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.