ગુજરાતની સરહદ પર શક્તિસ્થાન માં મેલડી એકતાધામ ભિલાડમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત યોજાશે. સર્વ ભક્તજનોનાં પિતૃ મોક્ષાર્થે આવતાં સપ્તાહે આયોજન થયેલ છે.
શિવકુંજ આશ્રમ જાળિયાનાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને આગામી સપ્તાહે મંગળવાર તા.૧૦થી સોમવાર તા.૧૭ દરમિયાન શ્રીમદ્ ભાગવત જ્ઞાનગંગા આયોજન થયેલ છે.
ગુજરાતની સરહદ પર ધોરીમાર્ગ પર શક્તિસ્થાન માં મેલડી એકતાધામ ભિલાડમાં સર્વ ભક્તજનોનાં પિતૃ મોક્ષાર્થે આવતાં સપ્તાહે આ આયોજન થયેલ છે, અહીંયા ભાવિક સેવકો દ્વારા ઉત્સાહ સાથે તૈયારીઓ થઈ રહી છે.