પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાએ ફરી તોફાન મચાવ્યું છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના ગાયઘાટ વિસ્તારમાં મંગળવારે બપોરે અચાનક આવેલા વાવાઝોડાના કારણે મસમોટું નુકસાન થયું છે. ભારે પવન અને કરા પડવાના કારણે 35 કાચા મકાનો ધરાશાઈ થયા છે, જેમાં અનેક લોકોને ઈજા થઈ છે. આ આફતમાં ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે.
દિવાલો તૂડી, ખેતરોનો પાક નાશ
સ્થાનિકોએ કહ્યું કે, ‘વાવાઝોડું એટલું ઝડપી અને ભયંકર હતું કે, અમને બચવાનો પણ સમય ન મળ્યો. થોડી જ મિનિટોમાં અનેક ઘરોની છત ઉડી ગઈ, દિવાલો તૂટી ગઈ અને ખેતરોનો પાક નાશ પામ્યો. આ વાવાઝોડાએ બધુ જ નષ્ટ કરી નાખ્યું. અમારા ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક સંપૂર્ણ નાશ પામ્યો. અમારા કેટલાક પશુઓ પણ વાવાઝોડાની ઝપેટમાં આવતા મૃત્યુ પામ્યા.’
સૌથી વધુ ખેડૂતોને નુકસાન
વાવાઝોડામાં સૌથી વધુ આર્થિક નુકસાન ખેડૂતોને થયું છે. અચાનક ઝડપી પવન આવતા ખેતરોમાં અનેક પાક બરબાદ થઈ ગયા છે. સ્થાનિકોનું કહેવું છે કે, મંગળવારે લગભગ બપોરે 3.15 કલાકે વાવાઝોડું આવ્યું હતું.
उत्तर 24 परगना, पश्चिम बंगाल: गायघाटा में अचानक आए तूफान से 35 कच्चे मकान ढह गए। ओलावृष्टि और मकान ढहने से कई लोग घायल हो गए, जबकि फसलों को भारी नुकसान पहुंचा है। pic.twitter.com/MaVswtjTDt
— IANS Hindi (@IANSKhabar) February 20, 2025
રાહત-બચાવ કામગીરી પુરજોશમાં
વાવાઝોડાની માહિતી મળતા જ વહિવટીતંત્ર દોડતું થઈ ગયું છે. તંત્ર દ્વારા ઉત્તર 24 પરગણામાં ટીમ ઉતારી દેવાઈ છે અને રાહત-બચાવ કામગીરી પુરજોશમાં શરુ કરી દેવાઈ છે. આફતમાં અનેક ઘરો ધરાશાઈ થતા લોકો મુશ્કેલીમાં આવી ગયા છે, એટલું જ નહીં તેઓ પાણી અને ભોજન સહિતની સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા છે.