ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ‘સંકલ્પથી સિધ્ધિ’ શીર્ષક તળે યોજાયેલ કાર્યશાળામાં અગ્રણીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનનાં ૧૧ વર્ષની સંકલ્પ સિધ્ધિની વાત જન જન સુધી પહોંચશે તેમ આયોજન જણાવેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ શાસન અંતર્ગત વિકસિત ભારતનો અમૃતકાળ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનાં ૧૧ વર્ષ સંદર્ભે ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યશાળામાં પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત વક્તા પુનિતભાઈ શર્માએ વિવિધ બેઠકો, પ્રદર્શની, પત્રકાર પરિષદ વગેરે આયોજન વિગતો આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનનાં ૧૧ વર્ષની સંકલ્પ સિધ્ધિની વાત જન જન સુધી પહોંચશે આ માટે જિલ્લા અને તાલુકા મંડળ કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાશે અને રાજ્ય કક્ષાએથી તબક્કાવાર અલગ અલગ આયોજનો અંગે વક્તા પુનિતભાઈ શર્માએ જાણકારી આપી હતી.
આ કાર્યશાળામાં અધ્યક્ષ સ્થાને ભાવનગર ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલે દરેક હોદ્દેદાર કાર્યકર્તાઓને પોતાની ભૂમિકા સક્રિય રાખવા અનુરોધ કર્યો.
ભાજપ પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલાએ પ્રાસંગિક વાત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાસન સિધ્ધિ ઉલ્લેખ કર્યો.
પ્રતાપભાઈ આહિરનાં સંચાલન સાથે આ કાર્યશાળામાં પ્રારંભે બાબુભાઈ જોળિયાએ સ્વાગત ઉદ્બોધન કરેલ અને આભારવિધિ અભેશંગભાઈ પરમારે કરેલ. આ કાર્યશાળામાં રાજુભાઈ ફાળકીએ પ્રાસંગિક વાત કરી હતી.
આ કાર્યશાળા પ્રસંગે ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ભાવનગર જિલ્લા સહકારી બેંક પ્રમુખ રસિકભાઈ ભિંગરાડિયા, ભાવનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાભી, હર્ષદભાઈ દવે અને તાલુકા જિલ્લા સંગઠન હોદ્દેદારો જોડાયાં હતાં. આ કાર્યશાળામાં આગામી કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવી તેમ પ્રચાર સંયોજક કિશોર ભટ્ટ તથા સહ સંયોજક મૂકેશ પંડિત દ્વારા જણાવાયું છે.