click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર: સાયપ્રસમાં PM મોદીનું મોટું નિવેદન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર: સાયપ્રસમાં PM મોદીનું મોટું નિવેદન
Gujarat

આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર: સાયપ્રસમાં PM મોદીનું મોટું નિવેદન

Last updated: 2025/06/16 at 6:52 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ત્રણ દેશોના પ્રવાસે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાયપ્રસ પહોંચીને આતંકવાદ અને યુદ્ધને લઈ મહત્તવનું નિવેદન આપ્યું છે. તેમણે અને સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડેસે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી સંબોધન કર્યું છે. સાયપ્રસે આતંકવાદ વિરુદ્ધ લડી રહેલા ભારતને સમર્થન આપતા વડાપ્રધાને આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને લઈ ચિંતા વ્યક્ત કરી છે.

Contents
PM મોદીએ સન્માન બદલ સાયપ્રસનો આભાર માન્યો‘અમે એકબીજાની સંપ્રભુતા-ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરીએ છીએ’‘સાઈપ્રસ અને ભારતનું વિઝન સમાન’આતંક સામે ભારતની લડાઈમાં સાયપ્રસના સતત સમર્થન બદલ અમે આભારી’PM મોદીએ યુદ્ધના યુગને લઈ ચિંતા વ્યક્ત કરી

I extend my heartfelt gratitude to the Government and people of Cyprus for conferring upon me ‘The Grand Cross of the Order of Makarios III.’

This isn’t my honour. It is an honour for 140 crore Indians. I dedicate this award to the everlasting friendship between India and… pic.twitter.com/Q9p7LQGNfq

— Narendra Modi (@narendramodi) June 16, 2025

PM મોદીએ સન્માન બદલ સાયપ્રસનો આભાર માન્યો

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘હું મારા ભવ્ય સ્વાગત બદલ સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખનો હૃયથી આભાર વ્યક્ત કરું છું. જ્યારેથી મેં સાયપ્રસની ધરતી પર પગ મૂક્યો છે, ત્યારથી અહીંના રાષ્ટ્રપ્રમુખ અને અહીં લોકોએ પોતાનાપણું અને સ્નેહ દેખાડ્યો છે. મને થોડા સમય પહેલા જ સાયપ્રસના સર્વોચ્ચ સન્માનથી બિરદાવવામાં આવ્યો છે. આ માત્ર મારું સન્માન નહીં, 140 કરોડ ભારતીયોનું સન્માન છે. આ ભારત અને સાયપ્રસની અતૂટ મિત્રતા પરની મહોર છે. આ માટે હું ફરી હૃદયથી આભાર વ્યક્ત કરું છું.’

President Nikos Christodoulides and I held wide-ranging talks, covering the full range of India-Cyprus relations. It’s widely known that bilateral ties between our nations are time-tested. Today, we talked about cooperation in areas like defence, security, trade, technology,… pic.twitter.com/LmoOIZVjw9

— Narendra Modi (@narendramodi) June 16, 2025

‘અમે એકબીજાની સંપ્રભુતા-ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરીએ છીએ’

તેમણે કહ્યું કે, ‘અમે સાઈપ્રસ સાથેના સંબંધોને વધુ મહત્ત્વ આપીએ છીએ. બંને દેશોએ લોકશાહી અને રૂલ ઓફ લૉ જેવા મૂલ્યોમાં રાખેલો સહિયારો વિશ્વાસ આપણી ભાગીદારીનો મજબૂત આધાર છે. બંને દેશોની મિત્રતા પરિસ્થિતિથી કારણે ઉભી થઈ નથી અને સરહદોથી પણ બંધાયેલી નથી. આ મિત્રતાને સમયની કસોટી પર વારંવાર પારખવામાં આવી છે અને અમે દરેક સમયે સહયોગ, સન્માન અને સમર્થનની ભાવનાને જીવંત રાખી છે. અમે એકબીજાની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરીએ છીએ.’

‘સાઈપ્રસ અને ભારતનું વિઝન સમાન’

મોદીએ કહ્યું કે, ‘ભારતના કોઈ વડાપ્રધાને બે દાયકાના લાંબા સમય બાદ સાયપ્રસની યાત્રા કરી છે. જે એકબીજાના સંબંધોમાં નવો અધ્યાય લખવાનો ઉત્તમ અવસર છે. આજે મેં અને રાષ્ટ્રપ્રમુખે દ્વિપક્ષીય સંબંધો અંગે વ્યાપક ચર્ચા કરી છે. સાઈપ્રસનું ‘વિઝન-2035’ અને ભારતનું વિઝન ‘વિકસિત ભારત 2047’ ઘણા પાસાઓમાં સમાન છે, તેથી અમે સાથે મળીને ભવિષ્યને આકાર આપીશું. અમે આગામી પાંચ વર્ષો માટેનો એક ચોક્કસ રૉડમેપ તૈયાર કરીશું. દ્વિપક્ષીય સંરક્ષણ અને સુરક્ષામાં સહયોગ વધારવા તેમજ મજબૂત બનાવવા માટે ‘ડિફેન્સ કો-ઓપરેશન પ્રોગ્રામ’ હેઠળ સંરક્ષણ ઉદ્યોગને મહત્ત્વ આપીશું. આ ઉપરાંત બંને દેશો વચ્ચે સાયબર અને મેરીટાઇમ સિક્યોરિટી પર ડાયલોગ શરૂ કરવામાં આવશે.’

આતંક સામે ભારતની લડાઈમાં સાયપ્રસના સતત સમર્થન બદલ અમે આભારી’

તેમણે કહ્યું કે, ‘સરહદ પારના આતંકવાદ સામે ભારતની લડાઈમાં સાયપ્રસના સતત સમર્થન બદલ અમે આભારી છીએ. આતંકવાદ, ડ્રગ્સ અને હથિયારોની તસ્કરી અટકાવવા માટે બંને દેશોની એજન્સીઓ વચ્ચે રિયલ ટાઈમ ઈન્ફોર્મેશન એક્સચેન્જ માળખું તૈયાર કરવામાં આવશે. સાયપ્રસનો યોગ અને આયુર્વેદનો પ્રચાર જોઈ અમે ઉત્સાહિત થયા છીએ. ભારતીય પ્રવાસીઓ માટે સાયપ્રસ પણ એક પ્રિય સ્થળ છે. આ માટે અમે ડાયરેક્ટર એર કનેક્ટિવિટી બનાવવા પર ધ્યાન આપીશું. અમે નિર્ણય કર્યો છે કે, મોબોલિટી એગ્રીમેન્ટને પૂર્ણ કરવા માટે વહેલામાં વહેલી તકે કામ કરવામાં આવશે. યુરોપિયન યુનિટનમાં સાયપ્રસ વિશ્વસનીય ભાગીદાર છે.

PM મોદીએ યુદ્ધના યુગને લઈ ચિંતા વ્યક્ત કરી

સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડેસ સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કહ્યું કે, આ યુદ્ધનો યુગ નથી. પશ્ચિમ એશિયા અને યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષ મામલે અમે બંને દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. અમે બંને દેશો માનીએ છીએ કે, આ યુદ્ધનો યુગ નથી. વાતચીતથી સમાધાન અને સ્થિરતા ઉભી કરી શકાય છે અને તે જ માનવતા છે. અમે ભૂમધ્ય સાગર વિસ્તારમાં કનેક્ટિવીટ વધારવા માટે પણ ચર્ચા કરી છે. યુએનને સમકાલીન બનાવવા માટે જરૂરી સુધારાઓ પર અમે સમાન મંતવ્યો ધરાવીએ છીએ. સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ આપવા બદલ અમે સાયપ્રસના આભારી છીએ.

 

You Might Also Like

GST ભરનારાઓ માટે મોટા સમાચાર ! 1 જુલાઈથી નહીં કરી શકો આ ફેરફારો, જાણો નવા નિયમો શું છે

અંગત ત્યાગ અને અડગ ફરજનો શ્રેષ્ઠ દાખલો પૂરો પાડી રહેલી FSL નિષ્ણાતોની ટીમને સલામ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે 100 મીટર લાંબો લોખંડનો પુલ લોન્ચ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન અપાયું

ઈઝરાયલ-ઈરાન વચ્ચેના સંઘર્ષે ભીષણ સ્વરૂપ ધારણ કરતાં ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી

TAGGED: Cyprus, Cyprus President Nikos Christodoulides, Cyprus Visit pm modi, modi goverment, pm modi, Press conference, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સાયપ્રસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 16, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અંગત ત્યાગ અને અડગ ફરજનો શ્રેષ્ઠ દાખલો પૂરો પાડી રહેલી FSL નિષ્ણાતોની ટીમને સલામ
Next Article GST ભરનારાઓ માટે મોટા સમાચાર ! 1 જુલાઈથી નહીં કરી શકો આ ફેરફારો, જાણો નવા નિયમો શું છે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

GST ભરનારાઓ માટે મોટા સમાચાર ! 1 જુલાઈથી નહીં કરી શકો આ ફેરફારો, જાણો નવા નિયમો શું છે
Gujarat જૂન 16, 2025
આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર: સાયપ્રસમાં PM મોદીનું મોટું નિવેદન
Gujarat જૂન 16, 2025
અંગત ત્યાગ અને અડગ ફરજનો શ્રેષ્ઠ દાખલો પૂરો પાડી રહેલી FSL નિષ્ણાતોની ટીમને સલામ
Ahmedabad Gujarat જૂન 16, 2025
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે 100 મીટર લાંબો લોખંડનો પુલ લોન્ચ
Gujarat જૂન 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?