કરો યોગ – રહો નીરોગ, નડિયાદના યોગી ફાર્મમાં યોગ શિબિર યોગ શિબિરમાં રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજી દ્વારા નડિયાદના લોકોને યોગના લાભ દર્શાવવામાં આવ્યા હતા તેમજ બે કલાક સુધી યોગ કરાવવામાં આવ્યા હતા. યોગના વિવિધ પ્રકારો દ્વારા કયા કયા પ્રકારના લાભ થાય છે તે અંગે સમજ આપવામાં આવી હતી. યોગગુરૂ એ યોગ શિબિરમાં આવેલ તમામ લોકોને જણાવ્યું હતું કે યોગનો મુખ્ય ફાયદો એ કરો યોગ રહો નિરોગ છે. યોગની સાથે સાથે કેવા પ્રકારનું અનાજ લેવું, શું ખાવું – શું ના ખાવું તે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર, ડેપ્યુટી કમિશનર, પ્રાંત અધિકારી સહિત શહેરના આગેવાનો હાજર રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)