click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઉમરેઠમાં ઐતિહાસિક શ્રી વારાહી માતાજી નો 267મો હવન શ્રદ્ધા અને આસ્થા સાથે થયો સંપન્ન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Anand > ઉમરેઠમાં ઐતિહાસિક શ્રી વારાહી માતાજી નો 267મો હવન શ્રદ્ધા અને આસ્થા સાથે થયો સંપન્ન
AnandGujarat

ઉમરેઠમાં ઐતિહાસિક શ્રી વારાહી માતાજી નો 267મો હવન શ્રદ્ધા અને આસ્થા સાથે થયો સંપન્ન

આસો નવરાત્રીની નોમની રાત્રે થતાં આ 19 કવચના હવનના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી આવતા હોય છે

Last updated: 2024/10/15 at 2:16 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

પૌરાણિક નગરી અને બીજી કાશી એવા ઉમરેઠ ખાતે વારાહી માતાજીનો ૨૬૭મો ઐતિહાસિક હવન આસો સુદ નોમની રાત્રે દુરદૂરથી આવેલ ભક્તો વચ્ચે સંપન્ન થયો. શ્રી વારાહી માતાજીનો આ હવન ૧૯ કવચના ચંડીપાઠનાં હોમ સાથે પૂર્ણ રાત્રી ચાલતો ઐતિહાસિલક હવે વિશ્વ વિખ્યાત હવન છે. ભારતમાં આ પ્રકારનો હવન વારાણસી કાશી બાદ ઉમરેઠમાં યોજાય છે. આ વર્ષે આ હવનના યજમાન તરીકે પ્રવિણભાઈ જી. શેલત અને તેમનું સમગ્ર પરિવાર દ્વારા હવનની પૂજાવિધિનો લાભ લેવાયો. હવાનના આશીર્વાદ રૂપે અને માં શક્તિની સુરક્ષા કવચ રૂપી ૧૯ ગાંઠોવાળો દોરો પહેરી ભક્તો માતાજી પ્રત્યે અતૂટ શ્રધ્ધા દર્શાવે છે. આ હવનમાં 200 મણ લાકડા, 50 કિગ્રા પાયસ, 100 કિગ્રા તલ, 50 કિગ્રા ધી, 1000 નંગ નાળિયેર તથા અન્ય ખૂબ જ મોટી માત્રામાં પૂજાપાનો ઉપયોગ કરવામાં આવે છે

શ્રી વારાહી માતાજીના હવનનું ઐતિહાસિક મહત્વ મુજબ વિક્રમ સંવત ૧૮૧૦ ઈ.સ. ૧૭૫૪ માં શ્રી વારાહી – અંબા માતાની મૂર્તિ ભોલવા કુવા માંથી પ્રગટ થઇ અને આ માતાજીની મૂર્તિને હાલમાં મંદિર છે ત્યાં એટલે કે વારાહી ચકલામાં પધરાવવામાં આવેલ. માતાજીની મૂર્તિ સાથે એક વ્હેતિપો માણસ ગાય દોહતો જોવા મળેલ જેને બહાર કાઢવામાં આવતા જ તે મૃત્યુ પામ્યો હતો. જેને કુવાની પાસે દાટવામાં આવેલ જે સ્થાને આજે તુલસીક્યારો બનાવેલ છે. વિક્રમ સંવત ૧૮૨૦ ઈ.સ. ૧૭૬૪ ના મહાસુદ-૯ ના દિવસે ગામના બાજખેડાવાળ બ્રાહ્મણો એકઠા મળી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધી કરવામાં આવી. હાલમાં આવેલ શ્રી વારાહી માતાજીનું મંદિર જે જગ્યાએ છે તે સ્થળે એક વિશાળ પીપળાનું વૃક્ષ હતું અને બાદમાં તે સ્થળે પંચોએ મળીને માતાજીનું દહેરૂ બંધાવ્યું.

આજથી 267 વર્ષ પૂર્વેથી જ શ્રી વારાહી માતાજીને આનંદ ચૌદસ (ભાદરવા સુદ-14) ના રોજ સિદૂર વિધિ એટલે કે શ્રી વારાહી માતાજીને સિંદૂર ચઢાવવામાં આવે છે જે પરંપરા આજે પણ આવીરત સ્વરૂપે ચાલુ છે. આમાં હવન પૂર્વ શ્રી માતાજીને સિંદુર ચઢાવવામાં આવે છે જે સિંદૂર વિધી હવનના યજમાન દ્વારા તથા ચકલાના રહીશો તથા આચાર્યની હાજરીમાં સિંદૂર વિધિ કરવામાં આવે છે. જગદંબા શ્રી વારાહી માતાજીનું પ્રાગટ્ય પ્રતિષ્ઠા વિધિ વિક્રમ સંવત ૧૮૨૦ ઈ.સ ૧૭૬૪માં થઈ તે વર્ષથી આસો સુદ-9 નો પ્રતિ વાર્ષિક હવન શરૂ કરવામાં આવ્યો.

શ્રી વારાહી માતાજીનો હવન કરાવનાર બ્રાહ્મણો ખૂબ જ વિદ્વાન અને કર્મકાંડી હોય છે જેઓ સુદર રાગથી શાંત ચિત્તે પરંપરાગત પંચમસૂરમાં સંસ્કૃત શ્લોકોનું પઠન કરે છે. આસો સુદ-9 ના રોજ સવારમાં શ્રી વારાહી માતાજીના મંદિરે હવન પૂર્વની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારબાદ તે દિવસે સાંજે 7:00 કલાકે હવનવાળી જગ્યા ઉપર પરંપરાગત પૂજાવિધિ કરવામાં આવે છે ત્યારબાદ રાત્રીના 10:00 કલાકે પૂન: શ્રી વારાહી માતાજીના મંદિરે પૂજાવિધિ કરવામાં આવે છે. ત્યારબાદ રાત્રીના 11:00 કલાકે હવન હોમ ચાલુ કરવામાં આવે છે. આ હવનની પૂર્ણાહૂતિ દશેરાના દિવસે સવારે 6:00 કલાકે કરવામાં આવે છે. એટલે કે રાત્રી દરમ્યાન ચાલતા આ વિશિષ્ટ હવનને આજેપણ પરંપરાગત વિધિવિધાન દ્વારા કરવામાં આવી રહ્યો છે. શ્રી વારાહી માતાજીના હવનમાં પ્રારંભથી અંત સુધી 8 વેદ પૂરૂષ બ્રાહ્મણો તલની આહુતિ આપે છે. તેમજ 2 વેદ પૂરૂષ બ્રાહ્મણો પાયસ (દૂધમાં ચઢાવેલ ભાત) ની આહુતિ આપે છે. તેમજ 1 વેદપુરૂષ બ્રાહ્મણ ઘી ની આહુતિ આપે છે. એમ મળી કૂલ 11 વેદ પુરૂષ બ્રાહ્મણો દોરાને ઘારણ કરવાથી બિમારી તથા અન્ય કષ્ટો માંથી છૂટકારો મળે છે. પ્રારંભથી શરૂ થયેલ આ પરંપરા આજે પણ અવિરત પણે શ્રદ્ધા પૂર્વક ભક્તો દ્વારા જાળવી રાખવામાં આવેલ છે. હવનની પૂર્ણાહૂતિ થયા બાદ હવનની ફરતે ભક્તો દ્વારા પરિક્રમા કરવામાં આવે છે એટલે કે ભક્તો “જય અંબે” ન નારા સાથે હવનની પરિક્રમા કરી પોતે બનાવેલ કાળા દોરાને ધૂપ કરી દર્શન કરે છે.

હાલમાં શ્રી વારાહી માતાજીનો હવન કરાવવા માટે ખૂબ જ લાંબી પ્રતિક્ષા યાદી છે એટલે કે ભક્તો આ હવન નક્કી કરેલ ભેટ લખાવી હવનના યજમાન તરીકે નામ નોંધાવે છે. આ હવનમાં અંદાજીત 40 વર્ષ સુધીની પ્રતિક્ષા યાદી હાલમાં છે. છેલ્લા ૧૦ વર્ષ કે તેથી વધારે સમયથી વારાહી માતાજી ના હવનની તમામ તૈયારીઓ શ્રી વારાહી માતા ટ્રસ્ટ, ઉમરેઠ ધ્વારા કરવામાં આવે છે.

લોકવાયકા મુજબ હવનની રાત્રી દરમિયાન તેમજ વિષેસ કરીને બ્રહ્મ હુર્ત સમયે એટલે કે 3 થી 4 ના સમય માં હવનની અગ્નિમાં મા વારાહી-અંબા સાક્ષાત હાજરાહજુર બીરાજમાન હોય છે અને ભક્તોને દર્શન આપે છે. વારાહી માતાજીના મંદિરે પણ શ્રી વારાહી માતા સાક્ષાત બિરાજમાન છે અને કેટલાય ભક્તોને માં એ સાક્ષાત દર્શન આપ્યા છે અને તેમના પરચા કાયમ છે.

 

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

You Might Also Like

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત

કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?

હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI

અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે

યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ

TAGGED: Mythical city, oneindia, oneindianewsgujarat, Shri Varahi Mataji, topnewschannelinindia, Umreth, Umreth collector, Umreth news, Umreth police, અંબા માતા, શ્રી વારાહી માતાજી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 15, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article AIનો વધી રહેલો ઉપયોગ નાણાંકીય સ્થિરતા સામે જોખમી પુરવાર થશે
Next Article 11 આવશ્યક દવાઓના ભાવ વધશે, NPPAએ કહ્યું – ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે મંજૂરી આપવામાં આવી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત
Gujarat જૂન 7, 2025
કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?
Gujarat જૂન 7, 2025
હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI
Gujarat જૂન 7, 2025
અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?