click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતની વિકાસ યાત્રા આગળ વધારનારા CM ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 3 વર્ષ પૂર્ણ, જાણો વિવિધ ક્ષેત્રમાં કરેલી સિદ્ધિઓ વિશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતની વિકાસ યાત્રા આગળ વધારનારા CM ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 3 વર્ષ પૂર્ણ, જાણો વિવિધ ક્ષેત્રમાં કરેલી સિદ્ધિઓ વિશે
Gujarat

ગુજરાતની વિકાસ યાત્રા આગળ વધારનારા CM ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 3 વર્ષ પૂર્ણ, જાણો વિવિધ ક્ષેત્રમાં કરેલી સિદ્ધિઓ વિશે

13 સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષોમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.

Last updated: 2024/09/13 at 3:21 પી એમ(PM)
One India News Team
Share
16 Min Read
SHARE

ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે 11 જેટલી મહત્ત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી છે, જે ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની છબીને વધુ મજબૂત બનાવે છે. ગુજરાતની જનતાની સેવાના 3 વર્ષોમાં ભૂપેન્દ્ર પટેલ અને તેમની ‘ટીમ ગુજરાતે’ દરેક ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે.

Contents
ત્રણ વર્ષ દરમિયાન 11 મહત્વપૂર્ણ નવી નીતિઓ જાહેર કરીસુશાસનની સિદ્ધિઓG- ગરીબો, વંચિતો, આદિવાસીઓ અને શ્રમિકોનો વિકાસY- યુવા વિકાસ – સફળ યુવા, સમર્થ ગુજરાતA- અન્નદાતાનું માન, અન્નદાતાનું ધ્યાનN- નારી સશક્તિકરણ (સશક્ત નારી, સશક્ત પરિવાર)સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતશિક્ષિત ગુજરાત, સંપન્ન ગુજરાતનાગરિકો માટે ઉત્તમ પરિવહન સેવાઅર્નિંગ વેલ, લિવિંગ વેલ (શહેરી વિકાસ અને ગ્રામ્ય વિકાસ) પ્રવાસન અને યાત્રાધામોનો વિકાસ જળસમૃદ્ધ ગુજરાત વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરશાંત અને સુરક્ષિત ગુજરાતઅન્યગુજરાતને મળ્યા એવોર્ડ્સ – મારું ગુજરાત, શ્રેષ્ઠ ગુજરાત

13 સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષોમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.

તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં G20 મીટિંગો તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ, બંને સફળતાપૂર્વક સંપન્ન થયા છે. તેમના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

વડાપ્રધાને ‘વિકસિત ભારત @2047’ નું જે વિઝન આપ્યું છે, તેને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ ની નેમ સાથે સાકાર કરવા માટે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. મુખ્યમંત્રીના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેર કરાયેલી મહત્ત્વપૂર્ણ યોજનાઓ, પહેલ, નીતિઓ અને ગુજરાતની સિદ્ધિઓ અંગે માહિતી મેળવીએ.

ત્રણ વર્ષ દરમિયાન 11 મહત્વપૂર્ણ નવી નીતિઓ જાહેર કરી

ગુજરાત આત્મનિર્ભર પોલિસી 2.⁠ ⁠ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી 3.⁠ ⁠નવી ગુજરાત IT/ITes પોલિસી 4.⁠ ⁠ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી 5.⁠ ⁠ડ્રોન પોલિસી 6.⁠ ⁠ગુજરાત સેમિકંડક્ટર પોલિસી 7.⁠ ⁠ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 8.⁠ ⁠સિનેમેટિક ટુરિઝમ પોલિસી 9.⁠ ⁠સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0 (SSIP-2.0) 10.⁠ ⁠ગુજરાત ખરીદ નીતિ 11.⁠ ⁠ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પોલિસી 202

સુશાસનની સિદ્ધિઓ

  • ⁠ગુજરાતની જનતા માટે ગરવું ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત, ગતિશીલ ગુજરાત એમ 5Gનો સમાવેશ કરતું સર્વગ્રાહી દિશાદર્શન કરનારુ ₹3.32 લાખ કરોડનું બજેટ
  • ⁠“અર્નિગ વેલ, લિવિંગ વેલ” ના મંત્ર સાથે ‘વિકસિત ગુજરાત @2047’ નો રોડમેપ બનાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત
  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના 10મા સંસ્કરણનું સફળ આયોજન
  • ⁠ઝીરો કેઝ્યુઅલ્ટી સાથે બિપરજોય વાવાઝોડાનો સામનો
  • ગુજરાતમાં સફળતાપૂર્વક 17મી G20 બેઠકોનું આયોજન
  • 2649 અમૃત સરોવરોનું નિર્માણકાર્ય પૂર્ણ, લક્ષ્યાંકના 107%
  • મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001:2015 સર્ટિફિકેશન પ્રાપ્ત
  • ⁠મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા અધિકૃત વોટ્સએપ ચેનલ કાર્યરત
  • સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઈન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજીવાર દેશમાં પ્રથમ

G- ગરીબો, વંચિતો, આદિવાસીઓ અને શ્રમિકોનો વિકાસ

  • ⁠રાજ્યના 3.82 કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં આવરી લેવાશે
  • 72 લાખથી વધુ NFSA કાર્ડધારક પરિવારોને મફત અનાજ વિતરણ
  • ⁠પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં 14 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય
  • ⁠₹1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના 2.0 અમલમાં મૂકવામાં આવી
  • આગામી ત્રણ વર્ષમાં ₹1500 કરોડના ખર્ચે 3 લાખ જેટલા શ્રમિક બસેરાનું નિર્માણ કરવાનું આયોજન
  • ઇ-શ્રમ પોર્ટલ પર 1.17 કરોડથી વધુ અસંગઠિત શ્રમયોગીઓને આપવામાં આવ્યા સ્માર્ટ કાર્ડ
  • શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યના 19 જિલ્લાઓમાં 290 ખાદ્ય વિતરણ કેન્દ્રો કાર્યરત
  • શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અત્યાર સુધીમાં 2.68 કરોડ લોકોને ભોજન વિતરણ

Y- યુવા વિકાસ – સફળ યુવા, સમર્થ ગુજરાત

  • ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગ મુજબ ગુજરાત છેલ્લા ચાર વર્ષોથી સતત દેશમાં પ્રથમ ક્રમે
  • ‘કૌશલ્ય સાથે શિક્ષણ’ના હેતુ સાથે ‘કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી (KSU)’ની સ્થાપના – ડ્રોન એપ્લિકેશનમાં 9 અદ્યતન કોર્સની શરૂઆત
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રેરિત સરદાર પટેલ “ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ” કાર્યક્રમ હેઠળ 18 સી.એમ. ફેલોની પસંદગી
  • સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન, 22 જિલ્લાઓમાં 24 જિલ્લા રમત સંકુલ કાર્યરત
  • ખેલ મહાકુંભ 2.0માં 53.66 લાખથી વધુ લોકોએ ભાગ લીધો
  • રાજ્યના 21 જિલ્લાઓના 50 તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયોની શરૂઆત

A- અન્નદાતાનું માન, અન્નદાતાનું ધ્યાન

  • પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં 58.8 લાખ ખેડૂત કુટુંબોના ખાતામાં જમા થયા ₹11,058.6 કરોડ
  • ડાંગ બન્યો સૌપ્રથમ 100% પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો
  • રાજ્યના 53 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી
  • 9.85 લાખ ખેડૂતો 8.45 લાખ એકરથી વધુ જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે
  • નેનો યુરિયાનો વધ્યો વ્યાપ, 56.65 લાખ જેટલી નેનો યુરિયાની (500 મીલિ) બોટલોનો થયો વપરાશ
  • કૃષિ ક્ષેત્રે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા અને કૃષિક્ષેત્રને લગતી માહિતી સેન્ટ્રલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા ઇન્ડેક્સ-A ની સ્થાપના
  • રાજ્યના 246 તાલુકાઓમાં રવી કૃષિ મહોત્સવ 2023 નું સફળ આયોજન, જેમાં 2.10 લાખથી વધુ ખેડૂતોએ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો/નિષ્ણાતો પાસેથી મેળવ્યું ટેક્નિકલ માર્ગદર્શન
  • તુવેર ₹7,૦૦૦ પ્રતિ ક્વિન્ટલ, ચણા ₹5440 પ્રતિ ક્વિન્ટલ અને રાયડાની ₹5650 પ્રતિ ક્વિન્ટલની ટેકાના ભાવે ખરીદી
  • વર્ષ 2021-22 દરમિયાન ચણાનું ઉત્પાદન વધતાં રાજ્ય સરકારના ખર્ચે વધારાના 22 હજાર મેટ્રિક ટન જેટલા ચણાની ₹115 કરોડથી વધુના ખર્ચે ખરીદી
  • ઇ-સેવાઓની સુલભતા માટે સામાન્ય સેવા કેન્દ્રો (CSCs) તરીકે PACS એટલે કે પ્રાથમિક કૃષિ ધિરાણ સંસ્થાઓનો વિકાસ કરવા માટે GOIની પહેલ અન્વયે 3233 PACS ઓનબોર્ડ -1812 PACS કાર્યરત
  • વિવિધ કૃષિ રાહત પેકેજ દ્વારા 12.78 લાખ અસરગ્રસ્ત ખેડૂતોને ₹1925.89 કરોડની સહાય
  • જૂલાઈ-2024માં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે ₹350 કરોડનું કૃષિ રાહત-સહાય પેકેજ
  • ત્રણ વર્ષમાં પશુપાલન ક્ષેત્ર માટેના બજેટમાં 132%નો વધારો
  • “મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજના” અન્વયે ₹609 કરોડની સહાય
  • “લમ્પી” રોગચાળા દરમિયાન 63 લાખ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું
  • મિલેટ વર્ષનો લાભ રાજ્યના 80 લાખ જેટલા લોકો અને ખેડૂતોને થયો
  • ⁠લગભગ 15 લાખ ખેડૂતોએ માઇક્રો ઇરિગેશન પદ્ધતિ અપનાવી, 23.4 લાખ હેક્ટર વિસ્તારને આવરી લીધો છે.

N- નારી સશક્તિકરણ (સશક્ત નારી, સશક્ત પરિવાર)

  • નારી સશક્તિકરણ માટે નારી ગૌરવ નીતિ-2024
  • વર્ષ 2023માં સૌપ્રથમવાર જેન્ડર બજેટ 1 લાખ કરોડને પાર, 200થી વધુ યોજનાઓ માત્ર મહિલાલક્ષી.
  • ⁠2024-25માં જેન્ડર બજેટમાં મહિલા સશક્તિકરણની કુલ 804 યોજનાઓ આવરી લેવાઈ
  • મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ 5 લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ
  • ⁠પોષણ સુધા યોજનાનો વ્યાપ વધાર્યો, ગુજરાતના તમામ 14 આદિજાતિ જિલ્લાઓમાં અમલી
  • ⁠‘નમો ડ્રોન દીદી યોજના’ હેઠળ ગુજરાતમાં મહિલાઓને ખેતીમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ

સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત

  • રાજ્યના 2.6 કરોડથી વધુ લોકોને આયુષ્માન કાર્ડ
  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મુખ્યમંત્રી અમૃતમ (PMJAY-MA) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી ₹5 લાખની સહાય વધારીને ₹10 લાખ ⁠વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ AIIMSનું ઉદ્ઘાટન
  • ⁠છેલ્લા 3 વર્ષોમાં રાજ્યમાં 9 નવી મેડિકલ કોલેજો કાર્યરત, કુલ 1100 મેડિકલ સીટ્સ ઉપલબ્ધ
  • રાજ્યની વિશિષ્ટ પહેલ અંતર્ગત, 1.15 કરોડ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ બાદ ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત એક માત્ર રાજ્ય ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર માટે 3 લાખ પોષણકિટનુ વિતરણ, આ કામગીરીમાં ગુજરાત દેશમાં પ્રથમ
  • પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 10,029 નિક્ષયમિત્રનું નિક્ષય પોર્ટલમાં રજિસ્ટ્રેશન
  • ⁠નમો શ્રી યોજનામાં ગર્ભવતી મહિલાઓને ₹12 હજારની આર્થિક સહાય આપવાની યોજના જાહેર
  • ⁠108 એમ્બ્યુલન્સ સર્વિસ અંતર્ગત 150 નવી એમ્બ્યુલન્સનો વધારો, કુલ સંખ્યા 800 થઈ
  • રાજ્યમાં કુલ 35 ડે કેર કીમોથેરાપી સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા. જેમાં 63 હજારથી વધુ દર્દીઓના 1,69,066 કીમોથેરાપી સેશન્સ થયા
  • ⁠ફ્રી ડાયગ્નોસ્ટિક સર્વિસ ઇનીશિએટિવ (FDSI) અંતર્ગત પેટા જિલ્લા હોસ્પિટલો ખાતે લેબોરેટરી ટેસ્ટની સંખ્યા 33 થી 111, જિલ્લા હોસ્પિટલ ખાતે લેબોરેટરી ટેસ્ટની સંખ્યા 68થી 134 કરવામાં આવી
  • પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ (PMNDP) અંતર્ગત ગુજરાતમાં નવા 188 ડાયાલિસિસ કેન્દ્રો શરૂ
  • રાષ્ટ્રીય નેત્રદાન ઝુંબેશ હેઠળ ગુજરાતમાં 14 લાખ સફળ મોતિયાના ઓપરેશન કરાયા

શિક્ષિત ગુજરાત, સંપન્ન ગુજરાત

  • શિક્ષણ વ્યવસ્થાની રિયલ ટાઇમ જાણકારી મેળવવા વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ
  • મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ અંતર્ગત ₹874.68 કરોડના ખર્ચે 97,187 સ્માર્ટ ક્લાસરૂમ્સ તથા 1,432.40 કરોડના ખર્ચે 21,037 કોમ્પુટર લેબ્સ
  • ‘નમો લક્ષ્મી’ યોજના હેઠળ ધોરણ 9 થી 12 દરમિયાન ચાર વર્ષોમાં વિદ્યાર્થિનીઓને ₹50 હજારની સહાય
  • ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓ માટે ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ હેઠળ ₹25 હજારની સહાય

નાગરિકો માટે ઉત્તમ પરિવહન સેવા

  • ₹94.65 કરોડના ખર્ચે 32 નવીન બસ સ્ટેશનો
  • 3 સ્થળોએ પીપીપી ધોરણે એરપોર્ટ જેવી સુવિધા ધરાવતા બસપોર્ટ પ્રજાની સેવામાં લોકાર્પિત
  • ગુજરાત એસટી નિગમ દ્વારા 300 લકઝરી, 200 સેમી લક્ઝરી કોચ, 400 સ્લીપર કોચ, 1682 સુપર એક્સપ્રેસ (400-ઇન હાઉસ +1282 રેડી બિલ્ટ), 400 મીની બસ અને 5 ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ મળીને કુલ 2987 નવીન બસો લોકાર્પિત
  • ઘેર બેઠા ટિકિટ મેળવવા ઇ-ટિકિટની અને મોબાઇલ એપ્લિકેશનથી ટિકિટની સુવિધાઓ
  • એસટી બસોમાં 3000 મશીનો દ્વારા યુપીઆઇ ઓનલાઇન પેમેન્ટની શરૂઆત

ઊર્જાવાન ગુજરાત 

  • ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર સરોવર ડેમમાંથી ઓગસ્ટ 2024માં 1067.3 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન
  • ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોની ઈમારતો પર 56.8 મેગાવોટ ક્ષમતાની 3023 સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત
  • મોઢેરા ગામને સોલાર વિલેજ જાહેર કર્યાના દોઢ વર્ષમાં જ મોઢેરા દ્વારા 31.5 મિલિયન યુનિટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન, કાર્બન ઉત્સર્જનમાં 28,664 ટનનો ઘટાડો
  • પીએમ સૂર્યઘર મુફ્ત બીજલી યોજના અંતર્ગત માત્ર 7 મહિનામાં 1,59,338 લાભાર્થીઓને લાભ
  • 1 હજારથી વધુ સી.એન.જી. સ્ટેશનો સાથે ગુજરાત દેશમાં ટોચના ક્રમે
  • દેશના કુલ સી.એન.જી. સ્ટેશનોમાંથી 14 ટકા ગુજરાતમાં
  • જામનગરના કાલાવડ ખાતે ₹51.87 કરોડના ખર્ચે 12.5 મેગાવોટના સોલર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ
  • વિશ્વના સૌથી મોટા 37 ગીગાવોટના હાઈબ્રીડ રીન્યૂએબલ પાર્કનું નિર્માણકાર્ય પ્રગતિ હેઠળ
  • ચોથી આંતરરાષ્ટ્રીય રિન્યુએબલ એનર્જી સમિટનું ગુજરાતમાં પ્રથમવાર આયોજન થનાર છે
  • માત્ર 7 મહિનામાં ગુજરાતના ઘરોમાં પોણા 2 લાખથી વધુ ઘરોમાં પીએનજી કનેક્શન્સ
  • ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો થયો શિલાન્યાસ

અર્નિંગ વેલ, લિવિંગ વેલ (શહેરી વિકાસ અને ગ્રામ્ય વિકાસ) 

  • અમદાવાદ મેટ્રો ફેઝ-1નું સપ્ટેમ્બર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ
  • અમદાવાદ મેટ્રો ફેઝ-2નું ટુંક સમયમાં થશે લોકાર્પણ, સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પ્રગતિ હેઠળ
  • ગુજરાતના નાગરિકોના “ઇઝ ઓફ લિવિંગ” માટે “મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી યોજના” વધુ ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવી
  • ₹116 કરોડના ખર્ચે 88 સિવિક સેન્ટરો શરૂ કરવાનું આયોજન
  • સ્માર્ટ સિટી મિશન હેઠળ રૂપિયા ₹3400 કરોડના 159 પ્રોજેક્ટ પૂર્ણ
  • વિવિધ મહાનગરપાલિકાઓમાં અમૃત યોજના 1 હેઠળ ₹3350 કરોડના 198 પ્રોજેક્ટ પૂર્ણ
  • અમૃત 2.0 હેઠળ વિકાસકાર્યો માટે ₹17 હજાર કરોડની ફાળવણી
  • રાજ્યની નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો
  • “દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચના
  • ગુજરાતના 20 જિલ્લાના 51 ગામો સ્માર્ટ વિલેજ જાહેર
  • સ્માર્ટ વિલેજોમાં ભારતનેટ ફેઝ-2 હેઠળ ₹2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ
  • રાજ્યના કુલ 1057 તીર્થગામ અને કુલ 445 પાવન ગામો મળીને કુલ 1502 ગામોને પુરસ્કાર અનુદાન
  • ગુજરાતની ગ્રામ પંચાયતોનું વિભાજન કરીને 384 નવી ગ્રામ પંચાયતોનું નિર્માણ

પ્રવાસન અને યાત્રાધામોનો વિકાસ 

  • રાજ્યમાં પહેલી વખત ગિફટ સિટી ખાતે “ફિલ્મ ફેર એવોર્ડ”નું આયોજન
  • યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા કચ્છનું ધોરડો ગામ “બેસ્ટ ટુરીઝમ વિલેજ” જાહેર
  • ભારતમાં સૌપ્રથમ “સમુદ્ર સીમા દર્શન”નો કચ્છમાં કોટેશ્વર નજીક લક્કી નાલા વિસ્તારમાં પ્રારંભ
  • UNESCOના Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સામેલ
  • યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબા “અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર” તરીકે જાહેર કરવામાં આવ્યો
  • ભગવાન શ્રીકૃષ્ણની નગરી ‘બેટ દ્વારકા’ની વિશ્વસ્તરીય કાયાપલટ કરવાનો નિર્ણય
  • ડોલ્ફિન માટે જાણીતો એકમાત્ર બેટ દ્વારકાનો ‘નોર્થ-પદમ બીચ’ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે
  • પાવાગઢ ખાતે મહાકાળી માતાના નવનિર્મિત મંદિર પર 500 વર્ષ બાદ શિખર પર ધ્વજારોહણ
  • મુખ્ય યાત્રાધામોની ફરતે નાના યાત્રાધામોનો ₹857.14 કરોડના ખર્ચે થઈ રહ્યો છે વિકાસ
  • ₹76.51 કરોડના ખર્ચે ફેઝ-1 હેઠળ બહુચરાજી માતાજી મંદિરનું પુન:નિર્માણ, મંદિરના શિખકરની ઊંચાઈ 86 ફૂટ 1 ઈંચ સુધી વધારવામાં આવશે
  • ભારત સરકાર દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન
  • ₹1200 કરોડના ખર્ચે સાબરમતી ગાંધી આશ્રમનો થશે પુનઃવિકાસ

જળસમૃદ્ધ ગુજરાત 

  • વલસાડ જિલ્લામાં એન્જિયરિંગની દ્રષ્ટિએ ચમત્કારિક એસ્ટોલ પ્રોજેક્ટનું લોકાર્પણ
  • સુજલામ સુફલામ જળ અભિયાનના સાતમા તબક્કામાં રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો
  • રાજ્યમાં કેચ ધ રેઇનના કોન્સેપ્ટ સાથે જળસંચય જન ભાગીદારી અભિયાનની શરૂઆત
  • નલ સે જલ યોજના હેઠળ છેલ્લા 3 વર્ષમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 14 લાખ નળ જોડાણ
  • સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાઓમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરિયાત માટે ₹1300 કરોડના વિવિધ બલ્ક પાઇપલાઇનના કામો પૂર્ણ
  • નળકાંઠાના વિસ્તારમાં 39 ગામોને સિંચાઈની સુવિધા માટે ₹400 કરોડથી વધુના કામોનો પ્રારંભ
  • રાજકોટ જિલ્લાના વિંછિયા ખાતે ₹181 કરોડના ખર્ચે સૌની યોજના લિંક-4નું ખાતમુહૂર્ત
  • સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના 45 ગામોને નર્મદાનું પાણી આપવા ₹417 કરોડની યોજનાને મંજૂરી
  • દાહોદના ઐતિહાસિક છાબ તળાવનો ₹117 કરોડના ખર્ચે કાયાકલ્પ

વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર

  • સાબરમતી નદી પર આઇકોનિક અટલ ફૂટઓવર બ્રિજનું નિર્માણ
  • રાજકોટ ખાતે હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ
  • ઓખા અને બેટ-દ્વારકાને જોડતા નવનિર્મિત સુદર્શન સેતુનું લોકાર્પણ
  • અંદાજિત ₹394 કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ
  • સુરતમાં વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ ડાયમંડ બુર્સનું લોકાર્પણ
  • સુરત ખાતે ગુજરાતનું ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત
  • દ્વારકા ખાતે નવા એરપોર્ટના નિર્માણ અને કેશોદ એરપોર્ટના વિસ્તરણનો નિર્ણય
  • અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં 30 સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગોને મંજૂરી મળી

શાંત અને સુરક્ષિત ગુજરાત

  • ગુજરાત પોલીસે એક વર્ષમાં ₹5640 કરોડનું ડ્રગ્સ પકડ્યું: 431 આરોપીઓ સામે 317 ગુના દાખલ
  • ગુજરાત પોલીસની ટીમે માત્ર 20 દિવસમાં 2.58 લાખથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા
  • પોક્સો હેઠળના ગુન્હાઓમાં 10 દિવસમાં કાર્યવાહી કરીને 21 દિવસમાં ફાંસીની સજા
  • જીલ્લાના 650 પોલીસ સ્ટેશનો પૈકી 240 પોલીસ સ્ટેશનોને પી.આઇ. કક્ષાના પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવાનો નિર્ણય
  • ગુજરાત માનવબલિ અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા નિર્મૂલન વિધેયક સર્વાનુમતે પસાર.
  • જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો બનાવાયો
  • ભ્રષ્ટ અને ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલી સંપત્તિઓને જપ્ત કરવા માટે ગુજરાત સ્પેશિયલ કોર્ટ્સ ઍક્ટ, 2024 અમલી

અન્ય

  • કેન્દ્રના નીતિ આયોગની પેટર્ન પર ‘ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન’-ગ્રિટની રચના
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાન કાર્યક્રમ હેઠળ ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે
  • ગુજરાતમાં ભક્ત કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવાનો નિર્ણય
  • ગરવી ગુર્જરી દ્વારા રાજ્યના 50 વર્ષના ઇતિહાસમાં હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું ₹25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ
  • ઓપરેશન ગંગા’ હેઠળ યુક્રેનમાં સર્જાયેલી ભયંકર યુદ્ધની પરિસ્થિતિમાંથી 1386 ગુજરાતી વિદ્યાર્થીઓને ગુજરાત પરત લાવવામાં આવ્યા
  • બાંગ્લાદેશમાં હિંસાના માહોલની વચ્ચે ગુજરાતના 14 વિદ્યાર્થીઓને સહીસલામત ગુજરાત પરત લાવવામાં આવ્યા.
  • ‘ઓપરેશન કાવેરી’ હેઠળ સુદાનમાં ફસાયેલા 569 બિન- નિવાસી ગુજરાતીઓને ગુજરાત પરત લાવવામાં આવ્યા
  • ‘ઓપરેશન અજય’ હેઠળ ઇઝરાયેલમાં ફસાયેલા 30 બિન-નિવાસી ગુજરાતીઓને સ્વદેશ પરત લાવવામાં આવ્યા

ગુજરાતને મળ્યા એવોર્ડ્સ – મારું ગુજરાત, શ્રેષ્ઠ ગુજરાત

  • ‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ–2023’ અનુસાર યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત દેશમાં પ્રથમ
  • GeM પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતને સાત એવૉર્ડ
  • એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ (EPI) 2022ના ચાર મુખ્ય પિલર્સમાં એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં ગુજરાત પ્રથમ
  • RBI બુલેટિન અનુસાર બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ગુજરાતમાં સૌથી વધુ 82 પ્રોજેક્ટ્સને પૂરું પાડવામાં આવ્યું ફંડ
  • ગુજરાત સરકારની ‘ગરવી-ગુર્જરી’ બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ
  • ઇન્ડિયા એનિમલ હેલ્થ સમિટ-2022” માં ગુજરાતને “પશુપાલન સંબંધિત માળખાકીય સુવિધાઓમાં શ્રેષ્ઠ રાજ્ય”નો એવોર્ડ
  • વિદ્યા સમીક્ષા કેન્દ્રને “જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર”
  • PMJAY-MA યોજના હેઠળ સૌથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવા માટે ભારત સરકાર તરફથી ગુજરાતને ‘આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022’
  • 8 જાન્યુઆરીના રોજ IKF-2023 રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એક સાથે સૌથી વધુ દેશના નાગરિકો દ્વારા પતંગ ઉડાવવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

You Might Also Like

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?

‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર

ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.

BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી

ગોલ્ડન બોય નીરજ ચોપરાને ભારતીય સેનામાં મળ્યું મોટું પદ, હવે સંભાળશે આ જવાબદારી”

TAGGED: BJP, bjp goverment, CM ભૂપેન્દ્ર પટેલ, cm-bhupendra patel, Gujarat's development journey, oneindia, oneindianewscom, oneindianewsgujarat, various fields

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 13, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભિલોડા :ભિલોડામાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે નોટિસો ફાટકારવામાં આવી.
Next Article શિમલા બાદ હવે મંડીમાં મસ્જિદ પર હોબાળો, શુક્રવારે હજારો હિન્દુઓ ઉતર્યા રસ્તા પર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?
Gujarat મે 15, 2025
‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર
Gujarat મે 15, 2025
ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.
Gujarat મે 15, 2025
BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી
Gujarat મે 15, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?