બીઆર ગવઈ સુપ્રીમ કોર્ટના 52મા ચીફ જસ્ટિસ બન્યા હતા. તેમનો કાર્યકાળ 6 મહિનાનો રહેશે. જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ સુપ્રીમ કોર્ટના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. તેઓ 23 નવેમ્બર સુધી ચીફ જસ્ટિસ રહેશે. તેમના કાર્યકાળ દરમિયાન CJI ગવઈ વક્ફ કેસ સહિત ઘણા મહત્વપૂર્ણ કેસોની સુનાવણી કરશે. જસ્ટિસ બીઆર ગવઈ બૌદ્ધ ધર્મમાં માનનારા પહેલા મુખ્ય ન્યાયાધીશ અને અનુસૂચિત જાતિમાંથી આવનારા બીજા મુખ્ય ન્યાયાધીશ છે.
#WATCH | Delhi: President Droupadi Murmu administers oath of office to Justice BR Gavai as the Chief Justice of India (CJI).
(Video Source: President of India/social media) pic.twitter.com/3J9xMbz3kw
— ANI (@ANI) May 14, 2025
જસ્ટિસ બી.આર. ગવઈ બનશે ભારતના નવા વડા ન્યાયાધીશ, 23 નવેમ્બર, 2025 સુધી પદ પર રહેશે કાર્યરત
ભારતીય ન્યાયતંત્ર માટે મહત્વપૂર્ણ યુગનો આરંભ થવાનો છે, કારણ કે જસ્ટિસ બીએર ગવઈ 23 મે, 2025થી દેશના પાંચમાં દલિત વડા ન્યાયાધીશ (Chief Justice of India) તરીકે કાર્યભાર સંભાળશે. તેઓ 23 નવેમ્બર, 2025ના રોજ નિવૃત્તિ સુધી છ મહિના કરતા વધુ સમય સુધી પદ પર રહેશે.
#WATCH | Delhi: CJI BR Gavai greets President Droupadi Murmu, Prime Minister Narendra Modi, Vice President Jagdeep Dhankhar, former President Ram Nath Kovind and other dignitaries at the Rashtrapati Bhavan. He took oath as the 52nd Chief Justice of India.
(Video Source:… pic.twitter.com/yMUL0Sw3LH
— ANI (@ANI) May 14, 2025
ન્યાયતંત્રમાં વિશાળ અનુભવ અને વારસો
-
જસ્ટિસ ગવઈ અત્યાર સુધી સુપ્રીમ કોર્ટમાં 700 જેટલી બેન્ચનો ભાગ બની ચૂક્યા છે.
-
તેમણે લગભગ 300 જેટલા ચુકાદાઓ લખ્યા, જેમાં કાયદાના શાસન, નાગરિક અધિકારો, અને બંધારણીય મુદ્દાઓનો સમાવેશ થાય છે.
-
તેમના મહત્વપૂર્ણ ચુકાદાઓમાં કલમ 370ના રદની સમર્થન કરતી બંધારણીય બેન્ચ, ચૂંટણી બોન્ડ ગેરબંધારણીય જાહેર કરવો, અને નોટબંધીને બંધારણીય ઠેરવવાનો સમાવેશ થાય છે.
-
‘મોદી સરનેમ’ મામલામાં રાહુલ ગાંધીને રાહત અને તિસ્તા સેતલવાડને જામીન આપવાના નિર્ણયો તેમના ન્યાયિક તટસ્થતાના ઉદાહરણરૂપ છે.
કાયદાકીય સફરનો આરંભ અને વિકાસ
-
જન્મ: 24 નવેમ્બર, 1960 | જન્મસ્થળ: અમરાવતી, મહારાષ્ટ્ર
-
વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ: 16 માર્ચ, 1985
-
નાગપુર, ઔરંગાબાદ, પણજી સહિત અનેક હાઈકોર્ટ બेंચોમાં કામગીરી
-
2003માં બોમ્બે હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ
-
2005માં સ્થાયી ન્યાયાધીશ
-
2019માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ
ન્યાયતંત્ર માટે અપેક્ષાઓ અને આગાહી
જસ્ટિસ ગવઈના નેતૃત્વ હેઠળ ન્યાયતંત્રમાંથી માત્ર સચોટ અને તટસ્થ ચુકાદાઓની નહીં, પણ મજબૂત ન્યાયિક વારસાની પણ અપેક્ષા છે. સંવિધાનના મૂલ્યો અને ન્યાયપ્રણાલીના લોકતાંત્રિક તત્વો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા, ભારતના ન્યાયતંત્રને વધુ લોકપ્રિય અને વિશ્વસનીય બનાવવામાં યોગદાન આપશે.