તરુણ ભારત સંઘ દ્વારા ઈશ્વરિયાનાં કાર્યકર્તા મૂકેશ પંડિતને ‘નદી પ્રહરી’ સન્માન એનાયત થયું છે. સંસ્થાનાં સુવર્ણ જયંતી વર્ષ પ્રસંગે જળપુરુષ રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં યોજાયેલ સમારોહમાં દેશભરનાં કાર્યકર્તાઓ સામેલ થયાં હતાં.
નદી અને પાણી પર્યાવરણ સંબંધી અભિયાનોમાં સક્રિય રહેલ તરૂણ ભારત સંઘ ( ભીકમપુરા અલવર ) દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં જળપુરુષ રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં વિરાટ જન જાગૃતિ અભિયાન ચાલી રહેલ છે.
તરુણ ભારત સંઘ સુવર્ણ જયંતી વર્ષ ઉત્સવ પ્રસંગે રાષ્ટ્રભરનાં નદી કાર્યકર્તાઓને રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સન્માન અર્પણ કરવામાં આવ્યાં. આ પ્રસંગે ભાવનગર જિલ્લાનાં ઈશ્વરિયાનાં કાર્યકર્તા અને પત્રકાર મૂકેશ પંડિતને ‘નદી પ્રહરી’ સન્માન એનાયત થયું છે, તેઓ દ્વારા જનજાગૃતિ અને પ્રસાર સંબંધી થયેલાં કામોની નોંધ લેવામાં આવી છે.
સંસ્થાનાં સુવર્ણ જયંતી વર્ષ પ્રસંગે જળપુરુષ રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં ભીકમપુરા રાજસ્થાન સ્થિત તરુણ આશ્રમમાં યોજાયેલ આ સમારોહમાં સંસ્થા સાથેની ૫૦ વર્ષ દરમિયાનની નદી સેવાની પ્રવૃત્તિમાં જોડાયેલાં દેશભરનાં કાર્યકર્તાઓ સામેલ થયાં હતાં અને સન્માનિત પણ થયાં છે.