એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 315 ટેકનિકલ ખામીને કારણે અધવચ્ચે જ હોંગકોંગ પરત ફરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પાયલટને ફ્લાઈટમાં ટેકનિકલ ખામી હોવાની શંકા હતી, ત્યારબાદ હોંગકોંગમાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ફ્લાઈટને હોંગકોંગ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી.
સોમવારે સવારે બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન AI315 હોંગકોંગથી દિલ્હી માટે ઉડાન ભરી રહ્યું હતું પરંતુ ટેકઓફ પછી ફ્લાઇટમાં ટેકનિકલ સમસ્યા જોવા મળી હતી. આ પછી માનક સલામતી પ્રોટોકોલ મુજબ પાયલોટે મૂળ સ્થાને પાછા ફરવાનો નિર્ણય લીધો.
સૂત્રોના જણાવ્યા અનુસાર ફ્લાઇટ AI 315 હોંગકોંગથી દિલ્હી માટે ઉડાન ભરી હતી પરંતુ પાયલોટે વિમાનમાં ટેકનિકલ ખામી હોવાની શંકા વ્યક્ત કરી હતી. સાવચેતી રૂપે પાયલોટે વિમાનને મૂળ એરપોર્ટ હોંગકોંગ પર પાછું લાવવાનો નિર્ણય લીધો. વિમાન હોંગકોંગ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કરી ચૂક્યું છે અને હાલમાં વિમાનની વિગતવાર સુરક્ષા તપાસ ચાલી રહી છે.