અમદાવાદના જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. મહાદેવનું આ મંદિર સદીઓ પહેલા નાની દેરી સ્વરુપે હતું, ત્યારે ભાવિક ભક્તો ફક્ત દીવો કરીને આરતી કરતા હતા. વર્ષોથી આરતીની પરંપરા ચાલતી રહી અને લોકોની દેરી સાથે શ્રદ્ધા જોડાતી ગઈ, એટલે નાની દેરી મોટા મંદિરના સ્વરુપમાં ફેરવાઈ. મહાદેવના આ પવિત્ર ધામમાં ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસની ઊંડી લાગણી અનુભવી શકાય છે.
અમદાવાદના જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવ બિરાજમાન
વરિષ્ઠ નાગરિકોએ કર્યુ નવા મંદિરનું નિર્માણ
ભક્તો માટે મહાદેવ માત્ર ભગવાન નહીં પણ જીવનનો આધાર છે. મહાકાલના આશીર્વાદથી તેમને જીવનની દરેક પરિસ્થિતિમાં શક્તિ અને સહારો મળે છે. ભક્તોનું મન અહીં શાંતિ પામે છે અને તેમની ભાવનાઓ ભગવાન સુધી પહોંચે છે. આ સિવાય મંદિરમાં સિનિયર સિટીઝન ગ્રુપ બ્લડ ડોનેશન કેમ્પ, હેલ્થ ચેક-અપ કેમ્પ અને બાળકોની રસીકરણ જેવી સેવા પ્રવૃત્તિઓનું પણ આયોજન કરે છે. આ મંદિર માત્ર આરાધનાનું નહિં પરંતુ માનવસેવાનો જીવંત પ્રતિક બની ગયું છે. શ્રાવણ મહિનામાં હિંડોળા અને ભાગવત સપ્તાહ પણ અહીં ભક્તોની ભવ્ય હાજરીમાં હોય છે. વિશેષ વાત એ છે કે મંદિર તરફથી ક્યારેય દાન માંગવામાં આવતું નથી. મંદિરની આસપાસ રહેતા સિનિયર સિટીઝન્સ પોતાની ફરજ સમજીને મંદિરમાં દરેક કાર્યક્રમનું આયોજન કરે છે. મંદિર પરિસરમાં શનિદેવને બિરાજમાન કરવામાં આવ્યા છે. મહાદેવજીના દર્શન કરવા આવતા ભાવિક ભક્તો આ મંદિરમાં 33 દેવીદેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મહાદેવનું મંદિર. જ્યાં શ્રદ્ધા છે, આરાધના છે અને સેવા છે. જ્યાં એકલતા વિસર્જાય છે અને જીવનમાં નવી આશા ઉગે છે. ભગવાન મહાદેવના આશીર્વાદથી અહીં જીવંત છે આસ્થા અને સેવા. ભક્તો પોતાના જીવનની દરેક ખુશી-દુ:ખની ક્ષણોમાં અહીં આવે છે. દુઃખમાં આશરો અને સુખમાં કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. ભગવાન મહાદેવ પ્રત્યેની તેમની અસીમ શ્રદ્ધા અને વિશ્વાસ મંદિરમાં સદૈવ જીવંત રહે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel