click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર, 33 કોટી દેવી-દેવતા સાથે સ્વયંભૂ શિવલિંગના દર્શન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર, 33 કોટી દેવી-દેવતા સાથે સ્વયંભૂ શિવલિંગના દર્શન
Gujarat

જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર, 33 કોટી દેવી-દેવતા સાથે સ્વયંભૂ શિવલિંગના દર્શન

અમદાવાદના જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરના ઈતિહાસની વાત કરીએ તો, સદીઓ પહેલા આ સ્થળે એક વૃક્ષ નીચે સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું.

Last updated: 2025/06/20 at 10:49 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

અમદાવાદના જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. મહાદેવનું આ મંદિર સદીઓ પહેલા નાની દેરી સ્વરુપે હતું, ત્યારે ભાવિક ભક્તો ફક્ત દીવો કરીને આરતી કરતા હતા. વર્ષોથી આરતીની પરંપરા ચાલતી રહી અને લોકોની દેરી સાથે શ્રદ્ધા જોડાતી ગઈ, એટલે નાની દેરી મોટા મંદિરના સ્વરુપમાં ફેરવાઈ. મહાદેવના આ પવિત્ર ધામમાં ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસની ઊંડી લાગણી અનુભવી શકાય છે.

Contents
અમદાવાદના જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવ બિરાજમાનવરિષ્ઠ નાગરિકોએ કર્યુ નવા મંદિરનું નિર્માણ

અમદાવાદના જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવ બિરાજમાન

અમદાવાદના જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરના ઈતિહાસની વાત કરીએ તો, સદીઓ પહેલા આ સ્થળે એક વૃક્ષ નીચે સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું. જેને અહિં રહેતા લોકોએ પોતાની શ્રદ્ધાના સ્થાન માટે નાની દેરી બનાવી દરરોજ આરતી, ધૂપ દીપ ચાલુ કર્યા હતા. વર્ષો સુધી નાની દેરીમાં બિરાજમાન સ્વયંભૂ શિવલિંગને 2002માં નવા રૂપે પુનઃસ્થાપિત કરી મહાદેવના સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ, ત્યારથી મંદિરમાં નવા વિકાસના અધ્યાય શરૂ થયા. થોડા સમય પહેલા 33 કોટી દેવી-દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. એટલે આ મંદિર માત્ર મહાદેવનું નહીં પરંતુ સર્વ દેવી દેવતાનું આશીર્વાદ સ્થાન બની ગયું છે. 33 કોટી દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી આ મંદિર ભક્તોની શ્રદ્ધાનું વિશાળ કેન્દ્ર બની ગયું છે, જ્યાં દરેક દેવી દેવતાના આશીર્વાદ મળવાનો અહેસાસ થાય છે. આ મંદિર માત્ર પૂજા પાઠનું સ્થાન ના રહેતા, સેવાના કાર્ય માટે સમર્પિત સ્થાન પણ છે. દર મહિને સિનિયર સિટીઝન્સને જમાડવાનું, અગિયારસ અને પૂનમના દિવસે ભજનનો કાર્યક્રમ, અમાસે આનંદનો ગરબો, મંગળવારે હનુમાન ચાલીસા, ખોડિયાર માના પાઠ અને ગુરુવારે જલારામ બાપાના પાઠ કરવામાં આવે છે. દર વર્ષે રામનવમીની ભવ્ય શોભાયાત્રા, 151 દીવાની આરતી અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે.

વરિષ્ઠ નાગરિકોએ કર્યુ નવા મંદિરનું નિર્માણ

ભક્તો માટે મહાદેવ માત્ર ભગવાન નહીં પણ જીવનનો આધાર છે. મહાકાલના આશીર્વાદથી તેમને જીવનની દરેક પરિસ્થિતિમાં શક્તિ અને સહારો મળે છે. ભક્તોનું મન અહીં શાંતિ પામે છે અને તેમની ભાવનાઓ ભગવાન સુધી પહોંચે છે. આ સિવાય મંદિરમાં સિનિયર સિટીઝન ગ્રુપ બ્લડ ડોનેશન કેમ્પ, હેલ્થ ચેક-અપ કેમ્પ અને બાળકોની રસીકરણ જેવી સેવા પ્રવૃત્તિઓનું પણ આયોજન કરે છે. આ મંદિર માત્ર આરાધનાનું નહિં પરંતુ માનવસેવાનો જીવંત પ્રતિક બની ગયું છે. શ્રાવણ મહિનામાં હિંડોળા અને ભાગવત સપ્તાહ પણ અહીં ભક્તોની ભવ્ય હાજરીમાં હોય છે. વિશેષ વાત એ છે કે મંદિર તરફથી ક્યારેય દાન માંગવામાં આવતું નથી. મંદિરની આસપાસ રહેતા સિનિયર સિટીઝન્સ પોતાની ફરજ સમજીને મંદિરમાં દરેક કાર્યક્રમનું આયોજન કરે છે. મંદિર પરિસરમાં શનિદેવને બિરાજમાન કરવામાં આવ્યા છે. મહાદેવજીના દર્શન કરવા આવતા ભાવિક ભક્તો આ મંદિરમાં 33 દેવીદેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મહાદેવનું મંદિર. જ્યાં શ્રદ્ધા છે, આરાધના છે અને સેવા છે. જ્યાં એકલતા વિસર્જાય છે અને જીવનમાં નવી આશા ઉગે છે. ભગવાન મહાદેવના આશીર્વાદથી અહીં જીવંત છે આસ્થા અને સેવા. ભક્તો પોતાના જીવનની દરેક ખુશી-દુ:ખની ક્ષણોમાં અહીં આવે છે. દુઃખમાં આશરો અને સુખમાં કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. ભગવાન મહાદેવ પ્રત્યેની તેમની અસીમ શ્રદ્ધા અને વિશ્વાસ મંદિરમાં સદૈવ જીવંત રહે છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

You Might Also Like

‘ઓપરેશન સિંધુ’ સફળ: આજે ઈરાનમાંથી 1000 ભારતીય સ્વદેશ પરત ફરશે

MGVCLવસોના સબ ડિવિઝનમાં ધાધીયા ડિવિઝનમાં ફરિયાદ કરવા છતાં કોઈ ફેર પડતો નથી.

ટ્રમ્પનું આમંત્રણ ઠુકરાવવા પર PM મોદીનું નિવેદન, કહ્યું- ‘મારા માટે મહાપ્રભુની ધરતી પર જવું જરૂરી’

આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ-2025 નિમિતે તા.20 જૂનના રોજ નવસારીમાં હેરિટેજ પોઈન્ટ્સ યોગ કાર્યક્રમો કરાયા

નવસારીના કબીલપોરમાં રહેતા હળપતિ પરિવારના બ્રેઈનડેડ 46 વર્ષીય કિશોરભાઇની બે કિડની અને એક લીવરનું અંગદાન

TAGGED: ahmedabad, devdarshan, gujarti news, Jashodanagar, latest gujarti news, Mahadev, Omkareshwar Mahadev, Omkareshwar Mahadev Temple, oneindianews, topnews, ઓમકારેશ્વર મહાદેવ, જશોદાનગર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 20, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વૈશ્વિક સંઘર્ષો વચ્ચે રશિયાએ ભારતને આપ્યું વચન, આગામી વર્ષે S-400 મિસાઇલ સિસ્ટમની ડિલિવરી આપીશું
Next Article સેનામાં કેપ્ટન રહ્યા, સમર્થકોમાં ‘કિંગ બીબી’ નામથી પ્રખ્યાત, ચેસ અને ફૂટબોલના શોખીન છે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘ઓપરેશન સિંધુ’ સફળ: આજે ઈરાનમાંથી 1000 ભારતીય સ્વદેશ પરત ફરશે
Gujarat જૂન 20, 2025
MGVCLવસોના સબ ડિવિઝનમાં ધાધીયા ડિવિઝનમાં ફરિયાદ કરવા છતાં કોઈ ફેર પડતો નથી.
Gujarat જૂન 20, 2025
ટ્રમ્પનું આમંત્રણ ઠુકરાવવા પર PM મોદીનું નિવેદન, કહ્યું- ‘મારા માટે મહાપ્રભુની ધરતી પર જવું જરૂરી’
Gujarat જૂન 20, 2025
આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ-2025 નિમિતે તા.20 જૂનના રોજ નવસારીમાં હેરિટેજ પોઈન્ટ્સ યોગ કાર્યક્રમો કરાયા
જૂન 20, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?