નવસારીમાં બે દિવસ અગાઉ રેલવે સ્ટેશન વિસ્તારમાં 3 મંદિર તોડવાની કામગીરી નવસારી મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી હતી. જેનો વિરોધ કરી હિન્દુ સંગઠનોએ અટકાવી હતી અને રથયાત્રા બાદ જાતે જ ખસેડી લેવાનું સંગઠનોએ મનપાને બાહેંધરી આપી હતી. જે બાદ આજે હિન્દુ સંગઠનોએ કમિશનરને આવેદન આપી રેલવે સ્ટેશન વિસ્તારમાંથી મંદિર હટાવ્યા બાદ 6X10ની અન્ય જગ્યાએ જમીન ફાળવી આપવા રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જોકે, આવેદન પત્ર આપ્યા બાદ આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ આંતર રાષ્ટ્રીય બજરંગ દળ નવસારી જીલ્લા અધ્યક્ષ રાકેશ શર્માએ જણાવ્યું હતું કે, હિન્દુ રાષ્ટ્રમાં જ્યાં દરેક સ્તરે ભાજપની સરકાર છે ત્યાં મંદિરો તૂટી રહ્યા છે. તે ખૂબ જ દુઃખદ બાબત કહી શકાય. અમે આજે જગ્યા ફાળવણી માટે કમિશનરને રજૂઆત કરી છે. જો તેઓ ફાળવી આપે તો સારી વાત છે અને ન ફાળવે તો અમારે અન્ય જગ્યા શોધવી પડશે.
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel