વર્તમાન સમયમાં વકફ બોર્ડને લઈને સમગ્ર રાષ્ટ્ર સહીત બંગાળમા વિધર્મીઓ દ્વારા હીન્દુ ભાઈ, બહેનો અને બાળકો પર નિર્મમ અત્યાચાર કરવામા આવી રહ્યો છે અને સમગ્ર રાષ્ટ્રમા અરજકતાનો માહોલ ફેલાવવામાં આવી રહ્યો છે, એના વિરોધમા સમગ્ર રાષ્ટ્રમાં તમામ જિલ્લા કેન્દ્ર સ્થાન પર રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં નવસારી જિલ્લામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર કરીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને નગરજનોએ જોડાઈને બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસાને રોકી બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી હતી. આ સાથે જ બંગાળની હિંસા બાબતે NIA દ્વારા તપાસ કરાવી દોષીઓને સજા કરવાની માંગ પણ કરી હતી, તો ખોટી રીતે દેશમાં ઘૂસણખોરી કરીને ગુસેલા બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓની તપાસ કરી તેમને નિષ્કાશિત કરી બંગાળ અને બાંગ્લાદેશની સરહદ પર મમતા બેનર્જી દ્વારા રોકવામાં આવેલ 450 કિમી લાંબી તાર લગાવવાની કામગીરીને ફરીથી શરૂ કરવામાં આવે તેવી આવેદનમાં માંગ કરવામાં આવી હતી.