મહારાષ્ટ્રના માલેગાંવમાં 2008માં થયેલા વિસ્ફોટ કેસમાં લગભગ 17 વર્ષ બાદ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. મુંબઇની NIA સ્પેશ્યલ કોર્ટે તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરતાં છોડી મુક્યા છે.
#WATCH NIA कोर्ट ने मालेगांव विस्फोट मामले में साध्वी प्रज्ञा सिंह, लेफ्टिनेंट कर्नल पुरोहित और अन्य सभी आरोपियों को बरी कर दिया।
आरोपियों को UAPA, आर्म्स एक्ट और अन्य सभी आरोपों से बरी कर दिया गया है।
(वीडियो अदालत के बाहर से है) #MalegaonBlast #NIACourt #SadhviPragya… pic.twitter.com/DdyzVUUl32
— One India News (@oneindianewscom) July 31, 2025
આ કેસમાં મુખ્ય આરોપીઓમાં ભૂતપૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, રિટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાય, તેમજ સુધાકર ચતુર્વેદી, અજય રાહિરકર, સુધાકર ધર દ્વિવેદી અને સમીર કુલકર્ણી સામેલ હતા. 29 સપ્ટેમ્બર, 2008ના રોજ માલેગાંવમાં એક મસ્જિદની બહાર પાર્ક કરેલી બાઇકમાં વિસ્ફોટક સામગ્રી ફાટી નીકળી હતી, જેના કારણે છ લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
NIA Court acquits all accused in Malegaon blast case | Accused acquitted of all charges of Unlawful Activities (Prevention) Act (UAPA), Arms Act and other charges. https://t.co/GNyiAclfz7
— ANI (@ANI) July 31, 2025
આ કેસમાં UAPA (ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકથામ અધિનિયમ) અને ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનાઓ લાગુ કરવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટે નક્કી કર્યું કે આરોપીઓ સામે પૂરતા પુરાવા રજૂ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. ચુકાદામાં જજે સ્પષ્ટ કર્યું કે તપાસ દરમિયાન ગંભીર ખામીઓ રહી હતી. પંચનામું યોગ્ય રીતે નહીં કરવું, ઘટના સ્થળથી ફિંગરપ્રિન્ટ્સ ન મળવા, અને વિસ્ફોટની વાસ્તવિક સ્થિતિ અંગે સ્પષ્ટતા ન થવી જેવી બાબતો નોંધવામાં આવી હતી. ખાસ કરીને એ મુદ્દો મહત્વનો રહ્યો કે સરકાર પક્ષ આ સાબિત કરવામાં નિષ્ફળ ગયો કે વિસ્ફોટ સ્કૂટરમાં થયો હતો.
Addressing the judge in the NIA Court, Sandhvi Pragya Singh says, "I said this from the very beginning that those who are called for investigation there should be a basis behind that. I was called by them for investigation and was arrested and tortured. This ruined my whole life.… https://t.co/GNyiAclNoF pic.twitter.com/zSxIYurGX0
— ANI (@ANI) July 31, 2025
આ કેસ 2018માં કોર્ટે ચલાવવાનું શરૂ કર્યું હતું અને 19 એપ્રિલ 2025ના રોજ સુનાવણી પૂર્ણ થઈ હતી, ત્યારબાદ ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. વર્ષોથી ચાલી રહેલા આ સંવેદનશીલ કેસમાં ચુકાદાએ દેશભરમાં નવા ચર્ચા અને પ્રતિક્રિયાનો માહોલ ઊભો કર્યો છે, કારણ કે આ કેસ માત્ર કાયદાકીય જ નહિ, રાજકીય રીતે પણ અત્યંત ચર્ચાસ્પદ રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel