ખેડા જિલ્લામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે એક અગત્યની બેઠક રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને કલેક્ટરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. નડિયાદ રેલવે સ્ટેશનના રિ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, વૈશાલી અંડર પાસ, બસ સ્ટેન્ડ, કપડવંજ – મોડાસા રેલવે લાઇન તથા અન્ય પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી.
આ બેઠક ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, કલેકટર અમિત પ્રકાશ યાદવ અને રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ સાથે કામો જેમ કે, સરદાર સાહેબના જન્મ સ્થળની થીમ પર નડિયાદ રેલવે સ્ટેશનનું રી-ડેવલપમેન્ટ કરવાનું કામ, વૈશાલી અંડરપાસ ખાતે બ્લોક પુસિંગની ટાઈમ લાઇન, નડિયાદ મિશન રોડ ઓવરબ્રિજને નવો બનાવવાની મંજૂરી આપી નવો બ્રિજ બનાવવાનું કામ, શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજની કામગીરી, નડિયાદ કમળા કાંસને ઊંડો કરી નવું ગરનાળુ બનાવવા, નડિયાદ બસ સ્ટેશન અંગેના પ્રશ્નો, નડિયાદ મોડાસા રેલવે લાઇનના કામ સહિતના રેલવે વિભાગને લગતા અગત્યના પડતર પ્રશ્નો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.