આસામમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો (સંકલ્પ પત્ર) સત્તાવાર રીતે જાહેર કર્યો છે.
આ કાર્યક્રમ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
ભાજપના આ સંકલ્પ પત્રમાં આસામના સર્વાંગી વિકાસ, સાંસ્કૃતિક સુરક્ષા અને આર્થિક પ્રગતિને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે.
Inculcating the suggestions of the people of Assam and guided by Adarniya @narendramodi ji’s vision, @BJP4Assam released its Sankalpa Patra for #AssamElections2026.
After delivering 10 years of good governance, presenting our vision and promises 🧵#BJPSankalp4VikasitAssam pic.twitter.com/A31M63mail
— Himanta Biswa Sarma (@himantabiswa) March 31, 2026
મુખ્ય વચનો અને રણનીતિ
ભાજપે પોતાના ઘોષણાપત્રમાં કુલ 31 મહત્વપૂર્ણ મુદ્દાઓને આવરી લીધા છે. જેમાં ખાસ કરીને નીચેના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે:
- રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની પ્રતિબદ્ધતા
- બાંગ્લાદેશી ઘૂસણખોરો દ્વારા કબજે કરાયેલી જમીનોને મુક્ત કરાવી મૂળ નિવાસીઓને પરત આપવી
- આસામના પાયાના માળખાકીય વિકાસ માટે ₹5 લાખ કરોડના વિશાળ રોકાણનો દાવો
- રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાનો લક્ષ્ય
✅Free Ration and Rice, masur dal, sugar, salt & mustard oil
✅Free education from KG to PG
✅Phased Orunodoi increase to ₹3,000/month
✅₹11,000/annum support to small farmers
✅₹5lakh cr in infra creation
✅$150 billion economy by 2031
✅₹50,000 crore for health infra
— Himanta Biswa Sarma (@himantabiswa) March 31, 2026
વિકાસ અને સ્થિરતા પર ભાર
સંકલ્પ પત્ર રજૂ કરતાં નિર્મલા સીતારમણએ જણાવ્યું હતું કે આસામમાં શાંતિ અને વિકાસ માટે સ્થિર સરકાર અત્યંત જરૂરી છે.
તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ જે કામ 60 વર્ષમાં કરી શકી નથી, તે ભાજપે છેલ્લા દાયકામાં પૂર્ણ કર્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપની નીતિઓને કારણે આસામના યુવાનો માટે રાજ્યમાં જ રોજગારના નવા અવસર ઊભા થયા છે, જેના કારણે ઘણા યુવાનો પરત ફરી રહ્યા છે.
સુરક્ષા મુદ્દે તેમણે Armed Forces Special Powers Act (AFSPA)ને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી હટાવવાનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું, જેને શાંતિ અને સ્થિરતાનું પ્રતિક માનવામાં આવે છે.
‘જનતાનો અવાજ’ – સર્બાનંદ સોનોવાલ
કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલએ જણાવ્યું હતું કે ભાજપનું આ સંકલ્પ પત્ર માત્ર રાજકીય દસ્તાવેજ નથી, પરંતુ આસામની જનતાની આશાઓ અને અપેક્ષાઓનું પ્રતિબિંબ છે.
તેમણે માહિતી આપી કે પક્ષના કાર્યકરોએ રાજ્યભરમાં ઘર-ઘર જઈને લગભગ 3 લાખથી વધુ લોકોના સૂચનો એકત્ર કર્યા હતા, જેના આધારે આગામી પાંચ વર્ષ માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.
ચૂંટણી ક્યારે છે?
આસામ વિધાનસભાની કુલ 126 બેઠકો માટે 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે મતગણતરી અને પરિણામ મે મહિનામાં જાહેર કરવામાં આવશે.
ભાજપ આ ચૂંટણીમાં “સ્થિરતા અને વારસાનું રક્ષણ” જેવા બે મુખ્ય એજન્ડા સાથે મેદાનમાં ઉતરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom